AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળુ વેકેશનમાં અમદાવાદથી આ તમામ ફરવાના સ્થળોની મળશે ડાયરેક્ટ ફલાઈટ, જાણો તમામ વિગતો

આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસન માટેના વિવિધ રમણીય સ્થળોની મુલાકાત માટેનો સમય આવી ગયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) આપને 27થી વધુ રમણીય સ્થળો સાથે જોડી રહ્યું છે.

ઉનાળુ વેકેશનમાં અમદાવાદથી આ તમામ ફરવાના સ્થળોની મળશે ડાયરેક્ટ ફલાઈટ, જાણો તમામ વિગતો
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 8:05 PM
Share

Ahmedabad: આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસન માટેના વિવિધ રમણીય સ્થળોની મુલાકાત માટેનો સમય આવી ગયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) આપને 27થી વધુ રમણીય સ્થળો સાથે જોડી રહ્યું છે. આ ટૂરીસ્ટ ડેસ્ટીનેશન્સમાં પર્વતો બીચ, હેરિટેજ, સ્માર્ટ સિટીઝ વગેરેનો સમાવેશ થાય છે. કોરોના બાદ લોકો મનપસંદ સ્થળોની વધુમાં વધુ મુલાકાત લઈ શકે તે માટે SVPI રન-વેનું કામ નિર્ધારિત સમય કરતાં 45 દિવસ વહેલા પૂર્ણ કર્યા બાદ હવે પ્રવાસન માટે વધુ ફ્લાઈટ્સના આવાગમન માટે તૈયાર છે. પ્રવાસીઓની સુવિધા માટે અમદાવાદના એરપોર્ટે દેશના દુર્ગમ અને જોવાલાયક સ્થળો સુધી પહોંચવા તેમજ એક સ્થળેથી બીજાને જોડતી ફ્લાઈટ્સની કનેક્ટીવીટી વધારી છે.

SVPI એરપોર્ટે પર્વતીય સ્થળોને હવાઈમાર્ગોના પ્રવાસન માટે વિવિધ ફ્લાઈટ્સ ઉપલબ્ધ કરાવી છે. દાર્જિલિંગ (Darjeeling), ચાલસા, સિલિગુડી (Siliguri), ગુવાહાટી (Guwahati) અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળોનો પ્રવાસ કરવા તમે અમદાવાદથી બાગડોગરા (Bagdogra) ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈ શકો છો. દેશના પૂર્વોત્તર રાજ્યોની યાત્રા માટે પટનાથી ગુવાહાટી સુધી અઠવાડિયામાં 6 દિવસ સીધી ફ્લાઈટ પણ ઉપલબ્ધ છે.

  • બાગડોગરા, દેહરાદૂન ડાયરેક્ટ નોન-સ્ટોપ ફલાઈટ.
  • કુર્ગ, કન્યાકુમારી, પૂર્વોત્તરનું ગુવાહાટી વાયા પટના કનેક્ટિવીટી.
  • મેંગ્લોરની ફ્લાઈટ પૂણે/મુંબઈ સાથે કનેક્ટેડ.
  • ત્રિવેન્દ્રમ ફ્લાઈટ પુણે, ચેન્નાઈ અથવા બેંગ્લોર સ્ટોપ કનેક્ટીવીટી.
  • દેહરાદૂનની ફ્લાઇટ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ચારધામની કનેક્ટીવીટી.

ઉત્તરના રાજ્યો હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ઉનાળુ વેકેશન ગાળવા માંગતા મુસાફરોને SVPI એરપોર્ટ પરથી સાનુકૂળ કનેક્ટીવીટી મળી રહેશે. અમદાવાદ એરપોર્ટથી દહેરાદૂન (Dehradun) સુધીની દૈનિક અને સીધી ફ્લાઇટ મુસાફરોને માલસી ડીયર પાર્ક, મસૂરી, ઉત્તરાખંડ અને ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) કરવામાં પણ મદદ કરશે. એટલું જ નહી, દેહરાદૂન એરપોર્ટથી માત્ર 45 કિમી દૂર ઋષિકેશ (Rishikesh) ખાતે ગંગાની ગોદમાં આધ્યાત્મિક અનૂભૂતિની પણ કરી શકાશે. ધર્મશાલા અને શ્રીનગર જેવા સ્થળો માટે પણ ન્યૂનતમ સ્ટોપ અવર સાથે સાનુકૂળ કનેક્ટિવિટી છે.

SVPI એરપોર્ટ પરથી તમે વાઈલ્ડલાઈફ, જંગલો કે બીચ પર જઈ પ્રકૃતિના વિવિધ રંગોનો આનંદ માણી શકો છો. અમદાવાદ એરપોર્ટથી મેંગલોર અને ત્રિવેન્દ્રમ માટે દૈનિક વન-સ્ટોપ ફ્લાઈટ છે. વેકેશન ગાળવા માટે કુર્ગ, કુદ્રેમુખ અને વાયનાડ જેવા સ્થળો પરફેક્ટ ડેસ્ટિનેશન છે. ત્રિવેન્દ્રમ એરપોર્ટથી કોવલમ બીચ કે કન્યાકુમારીની મુસાફરી પણ કરી શકો છો. ભારતના મનપસંદ બીચ ડેસ્ટિનેશન ગોવા માટે દરરોજની સીધી નોનસ્ટોપ ફ્લાઈટ્સ રાખવામાં આવી છે.

(With inputs from Darshal Raval)

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">