અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, RTO કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં કરાયો આ ફેરફાર

અમદાવાદમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરી ખાતે પાકા લાયસન્સ મેળવવાના ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવિંગ સ્લોટ 15 થી ઘટાડી 9 કરાયા છે. તેમજ એપોઈન્ટમેન્ટની પણ સંખ્યા વધારાઈ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, RTO કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં કરાયો આ  ફેરફાર
RTO Office Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 11:01 PM

અમદાવાદમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરી ખાતે પાકા લાયસન્સ મેળવવાના ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવિંગ સ્લોટ 15 થી ઘટાડી 9 કરાયા છે. તેમજ એપોઈન્ટમેન્ટની પણ સંખ્યા વધારાઈ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. જેમાં હવે બદલાયેલા સમય અનુસાર અરજદારો લાયસન્સ માટે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. જ્યારે અગાઉ આ સમય સવારના 6.30થી રાત્રિના 10 સુધીનો હતો. તેમજ આ નવા સમયપત્રકનો 13મી માર્ચથી અમલ શરૂ થઈ ગયો છે.

જેમાં મળતી માહિતી મુજબ, પાકા લાયસન્સના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હવે સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં નવા સમયપત્રક મુજબ સવારે 9.30 વાગ્યાથી ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી શરૂ થશે. જેમાં બપોરે 2. 30 થી 3 સુધી રિશેષ રહેશે. જ્યારે બપોરે 3 વાગ્યે બાદ સાંજના 7 વાગ્યા સુધી કામગીરી ચાલશે. આ સાથે હવે સ્લોટમાં ઘટાડો કરાયો છે. જોકે, તેની સામે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા લોકોને સરળતા રહે તે માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. જેમાં ટુ વ્હીલરની 30 અને ફોર વ્હીલર માટે 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે.

રાતના સમયે ટેસ્ટ આપવા આવનાર લોકોની સંખ્યા ઓછી અથવા નહિવત જેવી

આ અંગે જણાવતા, RTO આર.એસ.દેસાઈએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ અગાઉ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા લોકોએ વેટિંગમાં રહેવું પડતું હતું જેને લઈને લોકો માટે સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ વહેલી સવારના તથા રાતના સમયે ટેસ્ટ આપવા આવનાર લોકોની સંખ્યા ઓછી અથવા નહિવત જેવી હતી જેથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

700  અરજીમાં કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ રદ્દ કરી દેવાયા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં દિવસે દિવસે વસ્તી અને વિસ્તાર વધી રહ્યો છે. સાથે જ હરીફાઈ પણ વધી રહી છે. જેની વચ્ચે લોકો કેટલાક નિયમોને ભૂલી રહ્યા છે. જે નિયમનું પાલન નહીં થતા પોતાની સાથે અન્યના જીવ જોખમમાં મુકતા હોય છે. આવી જ રીતે ટ્રાફિક નિયમનું પાલન નહિ કરનાર અને ટ્રાફિકના ગુના કરનાર સામે ટ્રાફિક વિભાગે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. જેમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક વિભાગ દ્વારા RTO કચેરી ખાતે 850 ઉપર અરજી લાયસન્સ રદ કરવા માટે મોકલી આપી છે. જે 800 ઉપર અરજી પૈકી 700 ઉપર અરજીમાં કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ રદ્દ કરી દેવાયા છે.

આ પણ વાંચો : Breaking News: આગામી 3 કલાકમાં પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, છોટા ઉદેપુર સહિત અન્ય જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની વકી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">