Ahmedabad માં કોરોના અને H3N2 વાયરસનો ડબલ એટેક, કોર્પોરેશને લેબ ટેસ્ટિંગ વધાર્યું

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે દરમ્યાન કોરોના સાથે સાથે H3N2 કેસો પણ વધારો જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન અમદાવાદમાં કોરોના અને H3N2 વાયરસનો ડબલ એટેક જોવા મળ્યો છે. તેમજ છેલ્લા એક માસમાં કોરોનાના 205 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં H3N2ના કુલ 43 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ચાલુ મહિને કોરોનાના 146 એક્ટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 14 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Ahmedabad માં કોરોના અને H3N2 વાયરસનો ડબલ એટેક, કોર્પોરેશને લેબ ટેસ્ટિંગ વધાર્યું
Ahmedababad Corona H3N2 Attack
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 5:45 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે દરમ્યાન કોરોના સાથે સાથે H3N2 કેસો પણ વધારો જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન અમદાવાદમાં કોરોના અને H3N2 વાયરસનો ડબલ એટેક જોવા મળ્યો છે. તેમજ છેલ્લા એક માસમાં કોરોનાના 205 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં H3N2ના કુલ 43 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ચાલુ મહિને કોરોનાના 146 એક્ટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 14 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ કોરોના અને H3N2ના કેસો વધતા AMCએ લેબ ટેસ્ટિંગ વધાર્યું છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 13 માર્ચના રોજ નવા 48 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 268એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં 30 , ભાવનગરમાં 4, રાજકોટમાં 4, વડોદરામાં 4, અમરેલીમાં 3, મહેસાણામાં 2, સુરત જિલ્લામાં 2, અમદાવાદ જિલ્લામાં 1, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, પોરબંદરમાં 1, રાજકોટ જિલ્લામાં 1, સાબરકાંઠામાં 1 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.11 ટકા થયો છે. તેમજ કોરોનાથી 23 દર્દી સાજા થયા છે. આજે કોરોનાંથી એક પણ મોત થયુ નથી.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો

ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.

(With Input,Jignesh Patel, Ahmedabad ) 

આ પણ વાંચો : Breaking News : ડૉ. અતુલ ચગ આત્મહત્યા મુદ્દે હાઇકોર્ટે પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી, 28 માર્ચે હાજર થવા આદેશ

Latest News Updates

એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
g clip-path="url(#clip0_868_265)">