Ahmedabad : અમદાવાદીઓ પર વિકાસની વર્ષા યથાવત, ગૃહ પ્રધાન અમિત શાહ આજે 33 કરોડના રેલવેના કામોનું કરશે ખાતમુહૂર્ત

કેટલાય સમયથી 4 કરોડના ખર્ચે બનીને પડેલા શાયોના અને ચાંદલોડિયા વિસ્તારને જોડતા રેલવે અંડર પાસને કેન્દ્રીય ગૃહપ્રધાન (Amit Shah) શરૂ કરાવશે. તેમજ તે જ સ્થળ પાસે સભા પણ સંબોધશે.

Ahmedabad : અમદાવાદીઓ પર વિકાસની વર્ષા યથાવત, ગૃહ પ્રધાન અમિત શાહ આજે 33 કરોડના રેલવેના કામોનું કરશે ખાતમુહૂર્ત
Home Minister Amit Shah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 6:59 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah)  બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે સૌ પ્રથમ અમદાવાદ જગન્નાથ મંદિરે (jagannath Temple) તેમણે નાથની આરતી ઉતારી. જે બાદ કલોલ, રૂપાલ સહિતના વિસ્તારોમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હાથ ધરાયુ. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે 47 પર રૂપિયા 137 કરોડના ખર્ચે બનેલા 7 ફ્લાયઓવર જનતાને સમર્પિત કર્યા.આ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સખી સેન્ટરના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું. ગૃહપ્રધાનના હસ્તે વાસણ ગામે તળાવના જીર્ણોદ્ધારનું કાર્ય હાથ ધરાયુ. તો રૂપાલમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. શુક્રવારે એકસાથે રૂપિયા 117 કરોડના કામો ગૃહપ્રધાનના મતવિસ્તારની અંદર શરૂ થયા. તો રૂપિયા 93 કરોડના કામોનું લોકાર્પણ થયું.જેમાં કુલ મળીને રૂપિયા 210 કરોડના કામોની શરૂઆત થઈ છે.

રેલવે અંડર પાસને કેન્દ્રીય ગૃહપ્રધાન શરૂ કરાવશે

આજે અમિત શાહ 33 કરોડના રેલવેના(Railway)  કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં કેટલાય સમયથી 4 કરોડના ખર્ચે બનીને પડેલા શાયોના અને ચાંદલોડિયા વિસ્તારને જોડતા રેલવે અંડર પાસને કેન્દ્રીય ગૃહપ્રધાન શરૂ કરાવશે. તેમજ તે જ સ્થળ પાસે સભા પણ સંબોધશે. જેની સાથે એસજી હાઇવેને જોડતા ચાંદખેડા, ત્રાગડ અને ડી કેબીન ખાતેના અલગ અલગ રેલવે અંડરપાસનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. જે બાદ બાદ થલતેજ ખાતે 85 હજાર વૃક્ષોનું તેઓ મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અમિત શાહે ચૂંટણીના શ્રીગણેશ કર્યો

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં(Gujarat) રથયાત્રા અને અષાઢી બીજના પ્રારંભ સાથે જ રાજ્યમા યોજાનારી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રચારનો શુભારંભ કરી દીધો છે. જેમાં ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાણંદમાં લોકોને વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી. જેના દ્વારા તેમણે આડકતરી રીતે વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને રિપીટ કરવાનો સંકેત આપ્યા છે.મહત્વનુ છે કે, અત્યાર સુધી ગુજરાતમાં ભાજપના કોઇ પણ નેતાએ પોતાની મુલાકાત દરમ્યાન ભાજપના ઉમેદવારને વોટ આપવા અપીલ નથી કરી.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">