AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત હાઇકોર્ટે છૂટાછેડાના કેસમાં બાળકની કસ્ટડી અંગે NGOના અહેવાલને અન્ય ન્યાયાધીશોને મોકલવા જણાવ્યું

અરજદાર એડવોકેટ છે તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે એવા બાળકો કે જેમના માતા-પિતા અલગ રહે છે. તેઓને તેમના માતા-પિતામાંથી કોઈપણ દ્વારા શરૂ કરાયેલી કોર્ટની કાર્યવાહીમાં વારંવાર બોલાવવામાં આવે ત્યારે તેમના નિયમિત અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે છૂટાછેડાના કેસમાં બાળકની કસ્ટડી અંગે NGOના અહેવાલને અન્ય ન્યાયાધીશોને મોકલવા જણાવ્યું
Gujarat Highcourt
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 6:03 PM
Share

ગુજરાત હાઇકોર્ટે છૂટાછેડાના કેસમાં બાળકના હિતમાં સૂચન કર્યું છે. તેમજ પતિ-પત્નીના લગ્ન જીવનના ઝઘડા અંગેના ચાલતા કેસોમાં નિર્દોષ બાળકોના હિતમાં મુંબઇની ચાઇલ્ડ રાઇટ ફાઉન્ડેશન દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા તમામ જયુડિશયલ અધિકારીઓને મોકલી આપવા ખંડપીઠે રજિસ્ટ્રાર જનરલને આદેશ કર્યો છે. હાઇકોર્ટ વધુમાં કહ્યું હતું કે, આ માર્ગદર્શિકા આદેશાત્મક કે ફરજિયાત નથી. દેશની અન્ય હાઈકોર્ટોએ તેને માત્ર વિચારણામાં લેવી જોઇએ અને આ પ્રકારના કેસો ચલાવતા જજીસને મોકલી આપી છે.

પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કેસમાં બાળકો ભોગ બનતા હોય

ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કેસોની ચાલતી કાર્યવાહીમાં બાળકો ભોગ બનતા હોય છે. તેમનો અભ્યાસ બગડે છે. અને તેમના બાળમાનસ ઉપર ગંભીર અસરો પડે છે. ગાર્ડીયન્સ એન્ડ વોર્ડસ એક્ટ હેઠળ બાળકના વચગાળાની કસ્ટડીના નિર્ણયમાં બાળકો જ ભોગ બનતા હોય છે. તેમજ બાળકની કસ્ટડી અંગે કાયમી કે કામચલાઉ અરજીઓ હોય તેનો નિર્ણય 90 દિવસમાં કરવાનો હાઇકોર્ટે આદેશ કરવો જોઇએ. માતા-પિતાને બાળકની કસ્ટડી સરખા દિવસ માટે આપવી જોઇએ.

ઉલ્લેખિત માર્ગદર્શિકા ફરજિયાત નથી

જો કે, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ચાઈલ્ડ રાઈટ્સ ફાઉન્ડેશનના અહેવાલમાં ઉલ્લેખિત માર્ગદર્શિકા ફરજિયાત નથી અને તમામ ન્યાયાધીશોએ કાયદા અનુસાર દરેક કેસનો તેમની પોતાની યોગ્યતાઓ પર નિર્ણય કરવો જોઈએ.

બાળકની કસ્ટડી માતા-પિતાને સરખી મળવી જોઇએ તેવી અરજદારની રજૂઆત

અરજદાર એડવોકેટ છે તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે એવા બાળકો કે જેમના માતા-પિતા અલગ રહે છે. તેઓને તેમના માતા-પિતામાંથી કોઈપણ દ્વારા શરૂ કરાયેલી કોર્ટની કાર્યવાહીમાં વારંવાર બોલાવવામાં આવે ત્યારે તેમના નિયમિત અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી છૂટાછેડાના કેસમાં બાળકની કસ્ટડી માતા-પિતાને સરખી મળવી જોઇએ તેવી અરજદારે રજૂઆત કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">