GST વિભાગમાં સીધા જ IRS અધિકારીઓની પરંપરા શરુ થવાને લઈ રોષ, અધિકારીઓ-કર્મચારીઓનો વિરોધ
રાજ્યમાં જીએસટી વિભાગમાં સીધા જ ઈન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારીઓની નિમણૂંકની પરંપરા શરુ થવા સહિત ચારેક પડતર પ્રશ્નોને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ માટે અધિકારીઓ અને કર્મચારીઓએ આ માટે ધરણાં ધરીને વિરોધ નોંધાવ્યો છે. સમસ્યાઓનુ નિરાકરણ નહીં આવે ત્યાં લગી દેખાવો જારી રાખવાની ચીમકી પણ કર્મચારીઓ અને અધિકારીઓએ આપી છે.
![GST વિભાગમાં સીધા જ IRS અધિકારીઓની પરંપરા શરુ થવાને લઈ રોષ, અધિકારીઓ-કર્મચારીઓનો વિરોધ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/11/GST-officials-and-employees.jpg?w=1280)
રાજયના જીએસટી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓએ પડતર પ્રશ્નોને લઈ વિરોધ નોંધાવ્યો છે. સીધા જ પેરાશૂટની જેમ આઈઆરએસ અધિકારીઓને નિમણૂંકો આપવાને લઈ વિરોધ શરુ થયો છે. આ ઉપરાંત પણ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના ચાર જેટલા પડતર પ્રશ્નોનો નિવેડો લાવવા માટે માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર
ઝડપથી પ્રમોશન આપવા, એડિશનલ કમિશનરની જગ્યા પર ઇન્ડિયન રેવન્યુ સર્વિસ અધિકારીની સીધી નિમણૂંક સહિતના ચાર પ્રશ્નોને લઈ જીએસટી વિભાગના વર્ગ 1,2 અને 3 ના કર્મચારી-અધિકારીઓ વિરોધના માર્ગે જોવા મળી રહ્યા છે. રાજ્યભરની જીએસટી વિભાગની કચેરી ખાતે રામધૂન કરી દેખાવો કરવામાં આવ્યા. જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી દેખાવો જારી રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી.
માંગણીઓને લઈ આંદોલન
રાજ્યની જીએસટી કચેરીઓમાં એડિશનલ કમિશનરની જગ્યા પર ઇન્ડિયન રેવન્યુ સર્વિસ એટલે કે આઈઆરએસ અધિકારીઓની સીધી નિમણૂક કરવાની શરુઆતને લઈ વિરોધ રજૂ કરાયો છે. પ્રમોશન મેળવી આગળ આવનારા રાજ્ય સરકારના અધિકારીઓની પ્રમોશનની તક છીનવાઈ જવાની ભીતિ રજૂ કરી જીએસટી વિભાગના કર્મચારીઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. રાજ્યની જીએસટી કચેરીઓમાં કામ કરતા વર્ગ 1, 2 અને 3 ના કરતા કર્મચારીઓએ અલગ અલગ ચાર માંગણીઓને લઈ આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસથી કામના કલાકોમાં કાળી રીબીન બાંધી પ્રતીક વિરોધ અને રિશેષના સમયમાં કચેરીએ એકઠા થઇ રામધૂન બોલાવી આંદોલનની શરૂઆત કરાઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતની જીએસટી વિભાગની કચેરીઓએ કર્મચારીઓએ દેખાવો યોજ્યા હતા.
IRS અધિકારીઓની નિમણૂંકનો વિરોધ
જીએસટી વિભાગ શિસ્ત અને જાહેરમાં ભાગ્યે જ આવતો વિભાગ છે. પરંતુ આ વિભાગમાં ખાતાની જગ્યાઓમાં એડિશનલ કમિશનરની જગ્યા પર ખાતાના જ અધિકારીઓને પ્રમોશન આપી નિમણૂંક આપવાને બદલે IRS અધિકારીઓની નિમણૂંક થઈ રહી છે. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય 2 વર્ષનો પ્રોબેશન સમયગાળો પૂર્ણ થઈ 4 વર્ષ થઈ ગયા હોવા છતાં કાયમી માટેના નિમણૂંકપત્રો આપવામાં નથી આવ્યા. સીધી ભરતી થવાના કારણે પ્રમોશન લાયક અધિકારીઓને અન્યાયની લાગણી થઈ રહી છે. કારણ કે જીએસટી કર્મચારીઓની વર્ષોની નોકરી બાદ પણ અધિકારી તરીકે પ્રમોશન અટવાય છે. આ તમામ માંગણીઓને લઈ ગાંધીનગર સહિત વડી કચેરીઓમાં રજૂઆતો બાદ પણ કાર્યવાહી ના થતા આખરે વિરોધનો માર્ગ અપનાવો પડ્યો છે.