AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: દેશભરમાંથી આવેલા વિવિધ રાજ્યોના ડેલિગેટ્સે આજે અમદાવાદના સાયન્સ સિટીની મુલાકાત લીધી

કોવિડની પરિસ્થિતિ બાદ 16 જુલાઈ - 2021થી 5 જુલાઈ, 2022 સુધીમાં એટલે કે છેલ્લા એક વર્ષમાં 10 લાખથી વધુ વિઝિટર્સે ઓનલાઇન બુકિંગ કરાવીને સાયન્સ સિટીની મુલાકાત લીધી છે,

Ahmedabad: દેશભરમાંથી આવેલા વિવિધ રાજ્યોના ડેલિગેટ્સે આજે અમદાવાદના સાયન્સ સિટીની મુલાકાત લીધી
Science City
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 05, 2022 | 5:07 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા ગઈકાલે ગાંધીનગર (Gandhinagar) ના મહાત્મા મંદિર ખાતેથી ‘ડિજિટલ ઇન્ડિયા વીક’ નો શુભારંભ કરાવાયો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત દેશભરમાંથી આવેલા વિવિધ રાજ્યોના ડેલિગેટ્સે આજે અમદાવાદ (Ahmedabad) ના સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ અંગે વાત કરતા સાયન્સ સિટીના ડિરેક્ટર નરોત્તમ સાહૂએ જણાવ્યું હતું કે, આજનો દિવસ સાયન્સ સિટી માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આજે અમદાવાદની સાયન્સ સિટી ખાતે ‘ડિજિટલ ઇન્ડિયા વીક – 2022’ અંતર્ગત અલગ અલગ રાજ્યોથી આવેલા ડેલિગેટ્સની વિઝિટ રાખવામાં આવી હતી. ગઈકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ડિજિટલ ઇન્ડિયા વીક -2022’ અંતર્ગત કેન્દ્ર તથા રાજ્યના વિવિધ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ સ્પેશિયલ પ્રોગ્રામ અંતર્ગત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, પંજાબ, દિલ્હી જેવા દેશનાં વિવિધ રાજ્યોના ડેલિગેટ્સે સાયન્સ સિટીના જુદા જુદા વિભાગો જેમ એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, નેચર પાર્કની મુલાકાત લીધી હતી.’

સાયન્સ સિટીની વધુ એક સિદ્ધિની વાત કરતા નરોત્તમ સાહુએ કહ્યું કે, કોવિડની પરિસ્થિતિ બાદ 16 જુલાઈ – 2021થી 5 જુલાઈ, 2022 સુધીમાં એટલે કે છેલ્લા એક વર્ષમાં 10 લાખથી વધુ વિઝિટર્સે ઓનલાઇન બુકિંગ કરાવીને સાયન્સ સિટીની મુલાકાત લીધી છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.’

‘ડિજિટલ ઇન્ડિયા એક મોટું પ્લેટફોર્મ છે. આવનારા દિવસોમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તેમજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તેમજ સરકારના અલગ અલગ વિભાગો મળીને ડિજિટલ ઇન્ડિયાનો પ્રચાર પ્રસાર કરશે. આવનારી જનરેશન ડિજિટલ ઇન્ડિયાનો મોટા પાયે પ્રચાર પ્રસાર કરે તેમ જ તેનો ઉપયોગ કરે તે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે.’ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો

ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમના મંચ પરથી વડાપ્રધાન મોદીએ અનેકવિધ નવીન ડિજિટલ પહેલને દેશવાસીઓ માટે ખુલ્લી મુકી હતી. વડાપ્રધાને રીમેટ કંટ્રોલનું બટન દબાવી કુલ સાત પ્રોજેક્ટ ખુલ્લા મૂક્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ડિજીટલ અને ટેકનોલોજીના સેક્ટરોમાં યુવાઓને વધુને વધુ સમાવેશ થઈ રહ્યો છે. યુવાનો ઉત્સાહપુર્વક તેમાં આગળ વધી રહ્યા છે. આવા યુવાઓ પોતાના પ્રોજેક્ટ લઈને અહીં આવ્યા છે. ડિજીટલ ટેક્નોલોજીની દિશામાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">