AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ટ્રાફિકના દંડ મુદ્દે લોક અદાલત યોજાઈ, 25 હજાર જેટલા વાહન ચાલકોએ ઇ મેમોના રૂ. 1.61 કરોડ ભરી દીધા

લગભગ 30 હજાર જેટલા વાહન ચાલકોને કે જેમના ઇ મેમો બાકી છે તેઓને મેસેજ મારફતે ટ્રાફિક પોલીસ દ્વારા જાણ પણ કરવામાં આવી હતી.

Ahmedabad: ટ્રાફિકના દંડ મુદ્દે લોક અદાલત યોજાઈ, 25 હજાર જેટલા વાહન ચાલકોએ ઇ મેમોના રૂ. 1.61 કરોડ ભરી દીધા
Lok Adalat
Mihir Soni
| Edited By: | Updated on: Jul 05, 2022 | 4:35 PM
Share

અમદાવાદ (Ahmedabad) ટ્રાફિક (Traffic) ના દંડને લગતા વિવાદોના નિકાલ માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલત (Lok Adalat)માં મોટી સંખ્યામાં વાહનચાલકો જોડાયા હતા અને વિવાદનું નિરાકરણ આવતાં તેઓ ઇ-મેમો સહિતના દંડ ભરવા તૈયાર થયા હતા. આમ અમદાવાદમાં ઇ-મેમો નહીં ભરનાર વાહન ચાલકોએ લોક અદાલતમાં કરોડો રૂપિયાનો દંડ ભરી દીધો. લોક અદાલતમાં લગભગ 25 હજાર વાહન ચાલકો દંડની રકમ ભરી ચૂકી છે. જેમાં પ્રથમ વખત અમદાવાદમાં યોજાયેલ લોકઅદાવત માઘ્યમથી દંડની માતબર રકમ વસુલાઇ છે. જોકે હજી ઇ-મેમોનો કરોડો રૂપિયાનો દંડ ભરવાનો લોકોને બાકી છે. ટ્રાફિક દંડ બદલ ઇ-મેમો આવ્યો હોય પણ દંડ ન ભર્યો હોય તેવા લોકોની સંખ્યા પણ હજુ ઘણી મોટી છે. પોલીસે તેવા લોકોને વહેલી તકે દંડની રકમ ભરી દેવા અપીલ કરી છે.

ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને આપવામાં આવેલ ઇ-મેમોને લઇને લોક અદાલતનું 26 જૂનના દિવસે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 30 હજાર જેટલા વાહન ચાલકોને કે જેમના ઇ મેમો બાકી છે તેઓને મેસેજ મારફતે ટ્રાફિક પોલીસ દ્વારા જાણ પણ કરવામાં આવી હતી. જેને લઇ લગભગ 25 હજાર જેટલા વાહન ચાલકો ઇ મેમો દંડની રકમ 1.61 કરોડ રૂપિયા ભરી ચુક્યા છે. જોકે લોક અદાલતના દિવસે જ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે, મિરઝાપુર કોર્ટ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ માં રૂબરૂ જઇને દંડની રકમ ભરી શકે તે માટે વિશેષ આયોજન કરાયુ હતુ. જેના કારણે પ્રથમ વખત રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં કરોડો રૂપિયા દંડની રકમ ભરી હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચો

અમદાવાદના વાહન ચાલકો ટ્રાફિકના નિયમો પાળવામાં ખૂબ બેદરકાર જોવા મળ્યા છે કારણ કે અત્યાર સુઘીમાં 57 લાખ 61 હજાર ઈ-ચલણ સામે કરોડો રૂપિયા જેટલી માતબર રકમનાં ઈ-ચલણ વાહનચાલકોને ભરવાના બાકી છે. જો કે વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા હોવાથી ગુજરાત હાઈકોર્ટે આ મામલે પોલીસ વિભાગને ટકોર કરતા આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતુ. નોધનીય છે કે 30 હજાર વાહન ચાલકો મેસેજ મારફતે એક ચેતવણી આપવામાં આવી હતી જેમાં 5 હજાર જેટલા ઇમેમોને નહી ભરનારને લાઇસન્સ રદ્દ કરવાની પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે. નોધનીય છે કે અત્યાર સુધી ઈ-ચલણ ન ભરનારા 800 થી વધુ વાહન ચાલકોના છેલ્લા 6 મહિનામાં લાયસન્સ રદ કરી દેવાયા છે. તેવામાં લોકોને પોતાના ઈ-ચલણ ભરવા માટે ટ્રાફિક પોલીસે અપીલ કરી છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">