Ahmedabad: યાત્રાધામ પીરાણાના વિકાસ કામોનું લોકાર્પણ, ફોરલેન રોડ શરૂ કરાયો

અમદાવાદ  જિલ્લાના દસક્રોઈ તાલુકાના પીરાણા મુકામે ભગવાન શ્રીનિષ્કલંકી નારાયણના સતપંથ ધર્મીઓનું પવિત્ર યાત્રાધામ તથા સૂફી સંતશ્રી ઇમામશાહ બાવાની 600 વર્ષ જૂની સમાધીનું પવિત્ર યાત્રાધામ આવેલ છે.

Ahmedabad: યાત્રાધામ પીરાણાના વિકાસ કામોનું લોકાર્પણ, ફોરલેન રોડ શરૂ કરાયો
પ્રવાસન મંત્રી પૂરણેશ મોદી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા યાત્રાધામ પીરાણાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Mar 01, 2022 | 5:24 PM

પ્રવાસન મંત્રી પૂરણેશ મોદી (Tourism Minister Purnesh Modi) અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા યાત્રાધામ પીરાણાના વિવિધ વિકાસ (development) કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ (Ahmedabad)  જિલ્લાના દસક્રોઈ તાલુકાના પીરાણા મુકામે સૂફી સંતશ્રી ઇમામશાહ બાવાની 600 વર્ષ જૂની સમાધીનું પવિત્ર યાત્રાધામ તથા ભગવાનશ્રી નિષ્કલંકી નારાયણના સતપંથ ધર્મીઓનું પવિત્ર યાત્રાધામ આવેલ છે. ભગવાનશ્રી નિષ્કલંકી નારાયણ ના દર્શનાર્થે દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. સદર યાત્રાધામ સ્થળ અમદાવાદ રીંગરોડથી 5 કિમીના અંતરે કમોડ પીરાણા માર્ગ ઉપર આવેલ છે.

કમોડ-પીરાણા માર્ગ અન્ય જિલ્લા માર્ગ કક્ષાનો માર્ગ છે. તેમજ આ રસ્તા ઉપર બંને બાજુ પર ખૂબ જ પ્રમાણમા ઔદ્યોગિક વિકાસ થયેલ છે. કમોડ પીરાણા માર્ગ ઉપર દર્શનાર્થીઓના તેમજ ઔદ્યોગિક વાહનોની પુષ્કળ પ્રમાણમા અવર જવર થતી હોય દર્શનાર્થે તેમજ ઔદ્યોગિક ટ્રાંફિકને સુગમતા રહે તે માટે હયાત 19 મીટરના રોડનું ચાર માર્ગીયકરણ કરવાની કામગીરી માટે સરકાર દ્વારા 18 કરોડ રૂપિયામાં મંજુર કરી હતી.

આ કામગીરી ખૂબ જ ટૂંકા સમયમા પૂર્ણ કરવામાં આવેલ છે. કમોડ પીરાણા રોડના ચાર માર્ગીયકરણ થવાથી દેશભરમાંથી ભગવાનશ્રી નિષ્કલંકી નારાયણના દર્શનાર્થે આવનાર યાત્રાળુઓ સરળતાથી યાત્રાધામની મુલાકાત લઈ શકશે. તેમજ સદર માર્ગ આજુબાજુ ના ગામો જેવા કે પીરાણા , નાઝ, ગિરમથા, મિરોલી, ટીમબા, વસઈ ની અંદાજીત 15437 વસતીને અમદાવાદ શહેર સાથે જોડતો અતિઆવશ્યક માર્ગ હોય ગામોના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અમદાવાદ ધોળકા હાઈવેથી પ્રેરણાપીઠને જોડતા એવા કુલ 4.10 કિમી લંબાઇના પીરાણા પાલડી કાનકજ ગ્રામ્ય માર્ગનું 1 કરોડના ખર્ચે રિસરફેસિંગ કામ કરવામાં આવ્યું છે પાલડીના લાટથી પીરાણા માર્ગ જે પરાઓના ખેડૂતોને કમોડ -પીરાણા માર્ગ સાથે જોડતા એવા 1.20 કિમી લંબાઈના ગ્રામ્ય કક્ષાનું 25 લાખના ખર્ચે રિસરફેસિંગ કામ પૂર્ણ કરવામા આવેલ છે.જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે..

પીરાણા મુકામે આવેલ ગુરુકુળ વિદ્યાવિહાર ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિવિધ કામો જેવા કે હોસ્ટેલ કેમ્પસ ખાતે પેવર બ્લોકની કામગીરી , આંતરીક રસ્તાઓ, પીરાણા તળાવથી ગુરુકુળ વિધ્યાવિહાર ને જોડતા નવીન રસ્તાના કામો, પીરાણા પ્રેરણાપીઠ મંદિર પરીસર ખાતે પેવર બ્લોક તથા આંતરીક રસ્તાના રીસરફેસની કુલ કામગીરી 1.86 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે..વિષેશમાં આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સીધી નિમણૂકથી નવી ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 102 અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) તથા 11 અધિક મદદનીશ ઈજનેર (વિધયુત) ને નિમણૂક આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આરોગ્યમંત્રીએ વડનગર ખાતેથી રાજ્યના 31 તાલુકાઓમાં ડાયાલિસિસ કેન્દ્રોનું ઇ-લોકાર્પણ કર્યું, અંતરિયાળ વિસ્તારોના લોકોને ફાયદો થશે

આ પણ વાંચોઃ જામનગરના મહારાજાએ પોલેન્ડના 1000 બાળકોને આશ્રય આપ્યો હતો, અત્યારે પોલેન્ડ પાસે આ ઋણ ઉતારવાનો સમય છે

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">