AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળેલું ‘બ્લેક બોક્સ’ હવે અમેરિકા મોકલાશે, જાણો ભારતમાં તેની તપાસ કેમ નથી શક્ય ?

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મળેલા નુકસાનગ્રસ્ત બ્લેક બોક્સને ડેટા રિકવરી માટે અમેરિકા મોકલવામાં આવ્યું છે. ભારતીય નિષ્ણાતોની ટીમ પણ અમેરિકા જશે. ભારતમાં યોગ્ય ટેકનોલોજીના અભાવે આ નિર્ણય લેવાયો છે.

Breaking News : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળેલું 'બ્લેક બોક્સ' હવે અમેરિકા મોકલાશે, જાણો ભારતમાં તેની તપાસ કેમ નથી શક્ય ?
| Updated on: Jun 19, 2025 | 5:52 PM
Share

અમદાવાદમાં થયેલી દુર્ઘટનાગ્રસ્ત વિમાની તપાસ માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી મળેલું બ્લેક બોક્સ હવે ડેટા રિકવરી માટે અમેરિકા મોકલવામાં આવશે. મળતી માહિતી અનુસાર, આ બ્લેક બોક્સને ગંભીર નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ડેટા મળવામાં મુશ્કેલી આવી રહી છે.

અપેક્ષા હતી કે બ્લેક બોક્સના આધારે દુર્ઘટનાનું ચોક્કસ કારણ ઝડપથી સામે આવશે, પરંતુ વિમાનના ગંભીર નુકસાનને કારણે તે શક્ય બની શક્યું નથી. હાલમાં આ બોક્સને વોશિંગ્ટન ડીસી ખાતે આવેલા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ખાતે મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

ભારતીય ટીમ પણ જશે સાથે

બ્લેક બોક્સ સાથે ભારતીય વિશેષજ્ઞોની ટીમ પણ NTSBના અધિકારીઓ સાથે કામગીરીમાં જોડાશે. ભારતીય સરકાર દ્વારા પણ સમગ્ર તપાસ દરમિયાન જરૂરી પ્રોટોકોલનું પાલન થાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

બ્લેક બોક્સ શું હોય છે?

વિમાનમાં લાગેલું બ્લેક બોક્સ બે ભાગમાં વહેંચાયેલું હોય છે — Cockpit Voice Recorder (CVR) અને Flight Data Recorder (FDR). આ બંને ઉપકરણો વિમાનની યાત્રા દરમિયાન અવાજ અને ટેક્નિકલ ડેટા સતત રેકોર્ડ કરતા હોય છે. કોઈ પણ દુર્ઘટના પછી આ રેકોર્ડ્સ તપાસ કરીને વિમાનના દુર્ઘટનાના કારણો સમજવામાં આવે છે.

બ્લેક બોક્સ અતિમજબૂત હોય છે અને ભારે તાપમાન અને અથડામણ સહન કરવા સક્ષમ બનેલા હોય છે, જેથી ક્રેશ બાદ પણ તેમાં રહેલો ડેટા બચી રહે.

ભારતમાં કેમ નથી શક્ય?

હાલ ભારતમાં એવું યોગ્ય લેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ નથી કે જે વિશ્લેષણ માટે અત્યંત નુકસાનગ્રસ્ત બ્લેક બોક્સમાંથી ડેટા સાફલતાપૂર્વક રિકવર કરી શકે. તેથી તેને અમેરિકામાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. તપાસ પૂરી થવા માટે હવે થોડો વધુ સમય લાગી શકે છે.

ગયા ગુરુવારે અમદાવાદથી લંડન જતી એક આંતરરાષ્ટ્રીય ઉડાનના થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં ગમખ્વાર દૃશ્યો સર્જાયા હતા. વિમાન જમીન પર ક્રેશ થઈને આગની ઝપટમાં આવ્યું હતું. અકસ્માતમાં 242 મુસાફરોમાંમાંથી 241 લોકોના દુઃખદ અવસાનની પુષ્ટિ થઈ છે. સાથે જ, નજીકની બિલ્ડિંગ સાથે અથડામણના કારણે નજીકમાં રહેલા કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં પ્લેનમાં સવાર 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
g clip-path="url(#clip0_868_265)">