બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે ગુજરાત, 26 મેથી 2 જૂન સુધી સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજાશે વિવિધ કાર્યક્રમ

સુરત (Surat) પ્રવાસથી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. બાગેશ્વર (Bageshwar Baba) સરકારના કાર્યક્રમ માટે રાજ્યના શહેરોમાં તૈયારીઓ થઇ રહી છે.

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે ગુજરાત, 26 મેથી 2 જૂન સુધી સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજાશે વિવિધ કાર્યક્રમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 4:07 PM

બાગેશ્વર ધામ (Bageshwar Dham) સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ગુજરાત મુલાકાતે આવશે. 26 મેથી 2 જૂન સુધી ગુજરાતના મોટા શહેરોમાં દરબાર લગાવશે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર લાગશે. સુરત પ્રવાસથી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. બાગેશ્વર (Bageshwar baba) સરકારના કાર્યક્રમ માટે રાજ્યના શહેરોમાં તૈયારીઓ થઇ રહી છે. પોલીસ મંજૂરીથી માંડીને VVIPની હાજરી સુધીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચો- TV9 Exclusive: પોતાની સાથે થયેલા વિવાદમાં બોલ્યા બાબા બાગેશ્વર, જુઓ TV9 સાથેની ખાસ વાતચીતનો વીડિયો

આગામી 26 મેથી 2 જૂન સુધી બાગેશ્વર ધામ સરકાર ગુજરાતના વિવિધ શહેરોમાં કથાવાર્તા સાથે દિવ્ય દરબાર યોજશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની સુરતથી શરૂઆત થશે. સુરતમાં 26મેથી બે દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં દિવ્ય દરબાર ભરાશે. સુરતના કાર્યક્રમ માટે પોલીસ મંજૂરી લઇ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલુ જ નહીં વીવીઆઇપીનો પણ અહીં જમાવડો થાય તેવી શક્યતા છે. સુરત બાદ 29 મેના રોજ અમદાવાદ અને 1 જૂનના રોજ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

રાજકોટમાં મોરારી બાપુ સાથે મુલાકાતની શક્યતા

તો બાગેશ્વર ધામ સરકાર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી મળી રહી છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મોરારી બાપુ સાથે મુલાકાત કરી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન મોરારી બાપુ સાથે મુલાકાત થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત નહીં

મહત્વનું છે કે 1 જૂનથી 2 દિવસ માટે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવાનો છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરાયું છે ત્યારે રાજકોટમાં કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી મોરારી બાપુને મળી શકે છે. જોકે બંને મહાનુભવોની મુલાકાતને લઇને કોઇ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઇને માહોલ ગરમાયો

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુની પ્રશંસા કરી હતી અને બાપુને આધુનિક યુગના તુલસી સાથે સરખામણી કરી હતી. જોકે આ મુદ્દે જ્યારે બાપુને પુછવામાં આવ્યું તો મોરારી બાપુએ ધીરેન્દ્ર શાસ્ત્રીને નહીં ઓળખતા હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઇને માહોલ ગરમાયો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">