AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે ગુજરાત, 26 મેથી 2 જૂન સુધી સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજાશે વિવિધ કાર્યક્રમ

સુરત (Surat) પ્રવાસથી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. બાગેશ્વર (Bageshwar Baba) સરકારના કાર્યક્રમ માટે રાજ્યના શહેરોમાં તૈયારીઓ થઇ રહી છે.

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે ગુજરાત, 26 મેથી 2 જૂન સુધી સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજાશે વિવિધ કાર્યક્રમ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 4:07 PM
Share

બાગેશ્વર ધામ (Bageshwar Dham) સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ગુજરાત મુલાકાતે આવશે. 26 મેથી 2 જૂન સુધી ગુજરાતના મોટા શહેરોમાં દરબાર લગાવશે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર લાગશે. સુરત પ્રવાસથી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. બાગેશ્વર (Bageshwar baba) સરકારના કાર્યક્રમ માટે રાજ્યના શહેરોમાં તૈયારીઓ થઇ રહી છે. પોલીસ મંજૂરીથી માંડીને VVIPની હાજરી સુધીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચો- TV9 Exclusive: પોતાની સાથે થયેલા વિવાદમાં બોલ્યા બાબા બાગેશ્વર, જુઓ TV9 સાથેની ખાસ વાતચીતનો વીડિયો

આગામી 26 મેથી 2 જૂન સુધી બાગેશ્વર ધામ સરકાર ગુજરાતના વિવિધ શહેરોમાં કથાવાર્તા સાથે દિવ્ય દરબાર યોજશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની સુરતથી શરૂઆત થશે. સુરતમાં 26મેથી બે દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં દિવ્ય દરબાર ભરાશે. સુરતના કાર્યક્રમ માટે પોલીસ મંજૂરી લઇ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલુ જ નહીં વીવીઆઇપીનો પણ અહીં જમાવડો થાય તેવી શક્યતા છે. સુરત બાદ 29 મેના રોજ અમદાવાદ અને 1 જૂનના રોજ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે.

રાજકોટમાં મોરારી બાપુ સાથે મુલાકાતની શક્યતા

તો બાગેશ્વર ધામ સરકાર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી મળી રહી છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મોરારી બાપુ સાથે મુલાકાત કરી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન મોરારી બાપુ સાથે મુલાકાત થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત નહીં

મહત્વનું છે કે 1 જૂનથી 2 દિવસ માટે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવાનો છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરાયું છે ત્યારે રાજકોટમાં કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી મોરારી બાપુને મળી શકે છે. જોકે બંને મહાનુભવોની મુલાકાતને લઇને કોઇ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઇને માહોલ ગરમાયો

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુની પ્રશંસા કરી હતી અને બાપુને આધુનિક યુગના તુલસી સાથે સરખામણી કરી હતી. જોકે આ મુદ્દે જ્યારે બાપુને પુછવામાં આવ્યું તો મોરારી બાપુએ ધીરેન્દ્ર શાસ્ત્રીને નહીં ઓળખતા હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઇને માહોલ ગરમાયો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">