AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: AMC દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરના 7 ઝોનમાં 70થી વધુ વિસર્જન કુંડ બનાવાયા

અમદાવાદમાં (Ahmedabad) ગણેશ ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણેશ ઉત્સવ મનાવી રહ્યા છે. અમદાવાદમાં ઘરે ઘરે અને સોસાયટીઓમાં દૂંદાળા દેવની સ્થાપના થઈ ચુકી છે.

Ahmedabad: AMC દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરના 7 ઝોનમાં 70થી વધુ વિસર્જન કુંડ બનાવાયા
અમદાવાદમાં 7 ઝોનમાં 70થી વધુ વિસર્જન કુંડ બનાવાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 2:21 PM
Share

ગણેશ મહોત્સવનો (Ganesh Chaturthi 2022) તહેવાર અમદાવાદમાં (Ahmedabad) ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. એક તરફ જ્યાં શહેરના બજારોમાં ભક્તો બાપ્પાની પૂજા અર્ચના કરવામાં વ્યસ્ત છે. જ્યાં બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) તરફથી ગણેશ વિસર્જનની તૈયારીઓમાં લાગી ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગણેશ વિસર્જન માટે શહેરમાં વિવિધ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં ગણેશ ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણેશ ઉત્સાહનો પર્વ મનાવી રહ્યા છે. અમદાવાદમાં ઘરે ઘરે અને સોસાયટીઓમાં દૂંદાળા દેવની સ્થાપના થઈ ચુકી છે. ભક્તોએ અવનવી થીમ પર ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ત્યાં બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ગણેશ ભક્તો શ્રીજીની સેવા ન કરી શક્યા. પરંતુ આ વર્ષે મોટી સંખ્યામાં લોકોએ ઘરે શ્રીજીની સ્થાપના કરી છે. ત્યારે સ્વાભાવિક છે કે જેટલી મોટી ઉજવણી થઇ રહી છે તેટલી જ મોટી અને સુયોગ્ય વ્યવસ્થા પણ પાલિકાએ કરવી પડે. જેથી ગણેશ વિસર્જન દરમિયાન ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે AMCએ સાત ઝોનમાં 70થી વધુ ગણેશ વિસર્જન કુંડની વ્યવસ્થા કરી છે.

આ વર્ષે 7 ઝોનમાં 70થી વધુ વિસર્જન કુંડ તૈયાર કર્યા છે. જેમાં સૌથી વધુ કુંડ પશ્ચિમ ઝોનમાં બનાવવમાં આવ્યા છે. મોટી સંખ્યામાં વિસર્જન કુંડ બનાવવા પાછળનું કારણ એ જ છે કે એક જ સ્થળ પર ભક્તોની ભીડ ન થાય સાથે જ યોગ્ય રીતે સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરી શકાય. આ સાથે જ મેયરે પણ ભક્તોને ઈક્કો ફ્રેન્ડલી ગણેશાની સ્થાપના કરવાની પણ અપીલ કરી છે.

બીજી તરફ અમદાવાદમાં ગણપતિ વિસર્જનને લઈને પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 70થી વધુ વિસર્જન કુંડ કાયમી ધોરણે રાખવાનો નિર્ણય લેવાયો છે. દર વર્ષે શ્રાવણ અને ભાદરવા મહિનામાં કુંડ બનાવવા પાછળ ચાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. જેથી કુંડ પાછળ દર વર્ષે ખર્ચ ન કરવો પડે અને તે રૂપિયાના જનતાના હિત માટે વપરાય તે માટે આ નિર્ણય કરાયો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">