Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા,પૈસા પરત માંગતા યુવકને મળ્યું મોત,ચાર આરોપી ફરાર

પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે મૃતક અઝરૂદ્દીન શેખ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં મારામારીની ફરિયાદ નોંધાઇ હતી.જેમાં આરોપી બાદશાહ ખાનએ અઝરુદ્દીન શેખ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.ત્યારે મૃતક યુવક અઝરુદ્દીન શેખ સહિત બે લોકોએ બાદશાહ ખાન માર માર્યો હતો

Ahmedabad : પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા,પૈસા પરત માંગતા યુવકને મળ્યું મોત,ચાર આરોપી ફરાર
Ahmedabad Murder
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 27, 2023 | 5:00 PM

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.જેમાં પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા કરાઈ છે.પૈસાની બબાલમાં એક મહિના અગાઉ જ મૃતક યુવક વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી.જે મામલે ફરી એક વખત પૈસાની લેતીદેતીમાં ઝઘડો થયો હતો.જેમાં ચાર શખ્સો ભેગા મળી યુવકની હત્યા કરી  હતી. વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી

આ મૃતક જેનું નામ છે અઝરૂદ્દીન શેખ. જેની ઉંમર 33 વર્ષ છે અને પીરાણા પાસે આવેલ સુરેજફામ માં નોકરી કરી પરિવાર નું ગુજરાન ચલાવતો હતો.મૃતક અઝરૂદ્દીન શેખ થોડા માસ અગાઉ આરોપી બાદશાહ ખાનને ત્રણ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા.જે પૈસા મૃતકએ પરત બાદશાહ ખાન પાસે માંગ્યા હતા.જેને લઈ ને ગત મોડી રાત્રે ફતેવાડી વિસ્તારની પાસે ઝઘડો થયો.જે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે આરોપી બાદશાહ ખાન સાથે રહેલા આરોપી સૈજુ ખાન , સાદાબ ખાન અને સોહેલ ખાને ભેગા મળી મૃતક અઝરૂદ્દીન શેખ ને છરીના ઘા મારી દીધા હતા.જેમાં અઝરુદ્દીનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.જો કે ઘટનાને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : Gujarat Video: સુરતમાં ભર ઉનાળે રોડ પર પડ્યો ભૂવો, વરાછા ખોડિયાર નગર પાસે મુખ્ય માર્ગ પર ભૂવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે મૃતક અઝરૂદ્દીન શેખ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં મારામારીની ફરિયાદ નોંધાઇ હતી.જેમાં આરોપી બાદશાહ ખાનએ અઝરુદ્દીન શેખ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.ત્યારે મૃતક યુવક અઝરુદ્દીન શેખ સહિત બે લોકોએ બાદશાહ ખાન માર માર્યો હતો.જે ફરિયાદ લઈ રમઝાન ઈદના દિવસે સમાધાન પણ થઈ ગયું હતું પરતું ગત રાત્રીના સમયે ઉગ્ર ઝઘડામાં આરોપી બાદશાહ સહિત ચારેય શખ્સો તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.જોકે મૃતક અને આરોપી એક જ સોસાયટીમાં રહે છે અને મિત્રો પણ છે પરંતુ પૈસાની લેતીદેતી લઈ બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">