AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: આમ કેમ ઉજવીશું ઉતરાયણ ? પતંગ-દોરીના ભાવમાં વધારો સાંભળીને તમે ચોંકી જશો

જાણીને નવાઈ લાગશે કે આટલો ભાવ વધારો થોડો હોય. પણ આ અમે નહિ પણ પતંગ દોરીના વેપારીઓ કહી રહ્યા છે. સરસપુરમાં વર્ષોથી પતંગ દોરીનો વેપાર કરતા ઇકબાલ ભાઈએ નિવેદન આપતા જણાવ્યું કે ઇતિહાસમાં ન વધ્યો હોય તેવો ભાવ વધારો આ વર્ષે ઉત્તરાયણ પર્વ પર પતંગ દોરીના ભાવમાં નોંધાયો છે.

Ahmedabad: આમ કેમ ઉજવીશું ઉતરાયણ ? પતંગ-દોરીના ભાવમાં વધારો સાંભળીને તમે ચોંકી જશો
અમદાવાદ-ઉતરાયણ પર મોંઘવારીનો માર
Darshal Raval
| Edited By: | Updated on: Dec 27, 2021 | 4:38 PM
Share

Ahmedabad: આ વર્ષે ઉત્તરાયણ (Kite Festival) ફીકી જોવા મળી શકે છે. કેમ કે ઇતિહાસમાં પહેલી વાર પતંગ (kite) દોરીના ભાવમાં અધધ 30 થી 50 ટકા ભાવ વધારો. કાપ્યો છે અને લપેટના નારા લાગવાને હવે થોડા દિવસ બાકી રહ્યા છે. પણ આ વર્ષે તમને આ નારા કદાચ ઓછા સાંભળવા મળે. કેમ કે પતંગ દોરીના ભાવમાં ઇતિહાસમાં ન થયો હોય તેવો ભાવ વધારો આ વર્ષે નોંધાયો છે. અને તે છે 30 થી 50 ટકા ભાવ વધારો.

જાણીને નવાઈ લાગશે કે આટલો ભાવ વધારો થોડો હોય. પણ આ અમે નહિ પણ પતંગ (kite) દોરીના વેપારીઓ કહી રહ્યા છે. સરસપુરમાં વર્ષોથી પતંગ દોરીનો વેપાર કરતા ઇકબાલ ભાઈએ નિવેદન આપતા જણાવ્યું કે ઇતિહાસમાં ન વધ્યો હોય તેવો ભાવ વધારો આ વર્ષે ઉત્તરાયણ પર્વ પર પતંગ દોરીના ભાવમાં નોંધાયો છે.

પતંગ દોરીના ભાવમાં અધધ વધારો થતા પતંગ દોરી બજાર પર અસર પડી છે. પતંગ દોરી બજારમાં ખરીદીનો માહોલ તો છે. જોકે ભાવ વધારાને કારણે લોકો ઓછી ખરીદી કરતા જોવા મળ્યા. કેમ કે આ વર્ષે પતંગ દોરી ના ભાવમાં 30 થી 50 ટકા જેટલો ભાવમાં વધારો નોંધાયો છે.

વેપારીઓની વાત માનીએ તો મટીરીયલના ટેક્સમાં વધારો તેમજ કોરોનાને કારણે અસર પડી છે. તેમજ મટીરીયલ સાથે મજૂરી વધતા પણ ભાવ વધારો થયો છે. ગત વર્ષે જે એક હજાર વાર દોરી 160માં મળતી તે દોરીનો ભાવ આ વર્ષે 200 સુધી ભાવ પહોંચ્યો છે. તો પતંગના ભાવમાં પણ 30 ટકા ઉપર વધારો થયાનું વેપારી જણાવી રહ્યા છે. જે ભાવ વધતા વેપારીઓએ ઓછો સ્ટોક કર્યો છે. તો દોરી રંગાવવા અને ઘસાવવા સહિતની મજૂરીમાં પણ ભાવ વધારો થયો તેમજ કોરોનાને કારણે કારીગરો ઓછા થતા પણ તેની અસર જોવા મળી છે. જે તમામ બાબતો ઉત્તરાયણ પર્વ પર અસર કરતી જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે હોલસેલમાં ભાવ વધતા રિટેલ બજારો પર પણ તેની અસર પડે તે સ્વભાવિક બાબત છે. જેના અંદાજ પ્રમાણે રિટેઇલ બજારમાં 50 ટકા ભાવ વધારો નોંધાયો છે. જે ભાવ વધતા ખરીદી કરવા આવનાર લોકો ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. ત્યારે લોકો પણ ઇચ્છી રહ્યા છે કે વધતા ભાવમાં ઘટાડો થાય. જેથી ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવી શકાય.

આ પણ વાંચો : Bhavnagar : આખલાએ વૃદ્ધ વ્યક્તિનો લીધો જીવ, વાયરલ વીડિયો જોઇને રુંવાડા ઉભા થઇ જશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">