AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે

અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસને હવે સપ્તાહમાં ચાર દિવસના બદલે પાંચ દિવસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે
Tejas Express (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 4:46 PM
Share

ગુજરાતમાં (Gujarat) કોરોનાના કેસોના વધારાની વચ્ચે અમદાવાદ(Ahmedabad)મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central)તેજસ એક્સપ્રેસ (Tejas Express) ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદથી મુંબઈ અવર જવર કરતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. તેવા સમયે રેલ્વે તંત્ર દ્વારા પણ ટ્રેન વ્યવહારને રાબેતા મુજબ કરવાની શરૂઆત કરી છે.

જેના ભાગરૂપે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસને હવે સપ્તાહમાં ચાર દિવસના બદલે પાંચ દિવસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદથી મુંબઈ જતાં મુસાફરો માટે તેજસ એક્સપ્રેસના ટ્રેનને વધુ એક દિવસ વધારવામાં આવી છે. તેજસ એક્સપ્રેસમાં પ્રવાસીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પ્રત્યેક ટ્રીપમાં 700-1000 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા છે. આ અંગે આઈઆરસીટીસીએ ટ્વિટ કરીને માહિતી આપી છે. જેને લઇને હવે મુસાફરોની મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ અઠવાડિયાના 4 દિવસથી વધારીને અઠવાડિયાના 5 દિવસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન હવે 22 ડિસેમ્બર, 2021થી બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે દોડશે.

ટ્રેન નંબર 82902 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ દર બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે અમદાવાદથી 06.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13.05 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

જ્યારે ટ્રેન નંબર 82901/82902 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ (અઠવાડિયામાં 5 દિવસ), ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ દર બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે મુંબઈ સેન્ટ્રલ 15.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.05 કલાકે અમદાવાદ પહોંચશે. જ્યારે આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર ઉભી રહેશે.

આ પણ  વાંચો :  ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના પાર્થિવદેહને સાંજે ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ અંતિમ દર્શન માટે પહોંચશે

આ પણ વાંચો :  VALSAD : ભરબજારે બે આખલાઓ સામસામે આવતા લોકોના જીવ તાળવે ચોટ્યા, જુઓ વિડીયો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">