VALSAD : ભરબજારે બે આખલાઓ સામસામે આવતા લોકોના જીવ તાળવે ચોટ્યા, જુઓ વિડીયો

VALSAD NEWS : ધોબીતળાવ ચોકી પાછળ બજાર ભરાય છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, તે જ સમયે આખલાં બાખડતાં લોકોના જીવ જોખમાયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 12:05 PM

VALSAD : વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં પણ બે આખલાની લડાઈથી લોકોના જીવ અધ્ધર થયા.વલસાડના ધોબીતળાવ પોલીસ ચોકી પાછળ બે આખલા વચ્ચે લડાઈ થઈ. ધોબીતળાવ ચોકી પાછળ બજાર ભરાય છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, તે જ સમયે આખલાં બાખડતાં લોકોના જીવ જોખમાયા.છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આખલાઓના ત્રાસથી સ્થાનિકોના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે આ બાબતે વલસાડ નગરપાલિકા ધ્યાન આપી જોખમી આખલાઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડે તેવી માગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જુનાગઢથી આવા જ એક સમાચાર આવ્યા હતા. જુનાગઢ શહેરમાં જોશીપરાની સર્વોદય સોસાયટીમાં આખલાઓનું એક ટોળુ ઉભુ હતુ. જેમાંથી એક આખલાએ અહીંથી પસાર થઇ રહેલી મહિલા પર હુમલો કર્યો. મહિલા રસ્તા પરથી પસાર થતા જ આખલો મહિલા પાછળ દોડ્યો અને મહિલાને ઇજા પહોંચાડી. અહીં અવારનવાર રખડતા ઢોરના હુમલાની ઘટનાઓ બની રહી છે. છતા મનપા તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી.

રાજ્યના અન્ય શહેરમાં પણ રખડતા ઢોર આતંક મચાવી રહ્યા છે અને સ્થાનિક તંત્ર કૂંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે. મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. તો નિર્દોષ નાગરિકો સમસ્યાનો શિકાર બની રહ્યા છે. રાજ્યના શહેરોમાં રખડતા ઢોરના આતંકના આ દ્રશ્યો વીડિયોમાં જોઇ શકાય છે.

આ પણ વાંચો :VC ચોર હૈ : ચિલ્ડ્રન યુનિવર્સિટીની દિવાલ પર કુલપતિ અને સ્ટાફ વિશે અભદ્ર લખાણ

આ પણ વાંચો : SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">