AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો તો પત્ની એ ભર્યું એવું પગલું કે સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો, જાણો ઘટના

પત્નીને ગર્ભવતી બનાવી પતિએ અનૈતિક સબંધ બાંધ્યા, પુત્રીના જન્મ બાદ પત્નીને નોકરી કરવા દીકરીને તેની માતાના ઘરે મૂકી આવ્યો. પત્ની દીકરીને મળવા કરગરતી રહી અને આપઘાત કર્યો.

Ahmedabad: પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો તો પત્ની એ ભર્યું એવું પગલું કે સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો, જાણો ઘટના
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 05, 2023 | 5:45 PM
Share

Ahmedabad Police: અમદાવાદમાં વધુ એક યુવતીએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીના આપઘાતથી ફક્ત દોઢ વર્ષના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો છે. પત્ની ગર્ભવતી બની તો પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો અને અનૈતિક સંબંધની લડાઈમાં પત્નીએ આપઘાત કરીને જીવનનું અંતિમ પગલું ભર્યું.

અમદાવાદમાં નારોલ વિસ્તારમાં એક યુવતીએ પતિના અનૈતિક સંબધ અને તેની પૈસાની લાલચને કારણે કંટાળીને આત્મહત્યા કરી છે. વાત અનૈતિક સબંધો કે પૈસાની લાલચથી નથી અટકતી પણ પોતાની ત્રણ મહિનાની દીકરીને પણ તેનાથી અલગ કરી પોતાના માતા પિતા પાસે મોકલી દીધી હતી. આખરે કંટાળીને પત્નીએ આપઘાત કર્યો હતો.

આરોપી રજત હુંડાનાં ત્રાસથી તેની પત્ની અનુએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રજતે અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધ બનાવ્યા તેમજ બાળકીના જન્મ બાદ તેને પોતાની માતા પાસે મુકી આવીને પત્નીને નોકરી કરવા દબાણ કર્યું. એટલું જ નહીં પત્ની દીકરી માટે કરગરતી હતી છતાં તેને દિકરીને મળવા ન દીધી. પતિના અનૈતિક સંબંધ અને લાલચ તેમજ દીકરીના વિયોગ વચ્ચે અનુએ આત્મહત્યા કરીને અંતિમ પગલું ભર્યું.

નારોલ પોલીસે પરિણીતાના આપઘાત કેસમાં આરોપી પતિ રજત હુંડાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. મૂળ હરિયાણાના મનોજકુમાર જાટ અમદાવાદમાં કન્સ્ટ્રક્શન અને હોટેલનું બિઝનેસ કરે છે તેમની ત્રણ બહેનો છે. જેમાં અનુ નામની બહેનના લગ્ન દોઢ વર્ષ પહેલાં રજત હુંડા સાથે થયા હતા. લગ્ન બાદ રજત અને અનુ પોતાના વતનમાં થોડાક મહિના રહ્યા બાદ અમદાવાદ આવ્યા હતા પોતાની બહેન અમદાવાદમાં સુખી રહે અને તેને કોઈ તકલીફ ન પડે તે માટે ભાઈએ પોતાની હોટલમાં રજતને મેનેજર તરીકે નોકરી માટે રાખ્યો હતો.

લગ્નના થોડા સમય બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. જે દરમ્યાન અનુ ગર્ભવતી થઈ હતી તે સમયે પતિ રજત અન્ય યુવતીઓ સાથે અનૈતિક સંબધ શરૂ કર્યા હતા. જેની જાણ અનુને થતા બંને વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર થતા રજત અનુને માર પણ મારતો હતો.

આ પણ વાંચો  : રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી, ત્રણ લોકોના મોત

આ હેરાનગતિને લઈને અનુએ પોતાના પરિવારને જાણ કરી, પરંતુ પરિવારે ઘર સંસાર સાચવાની સલાહ આપી હતી. આ દરમ્યાન અનુએ બાળકીને જન્મ આપ્યો અને બાળકીને જન્મ બાદ પણ રજતે તેની આ હરકત ચાલુ રહી હતી અને પૈસાની લાલચમાં રજતે અનુને નોકરી કરવા માટે દબાણ શરૂ કર્યું હતું, પરંતુ બાળકી નાની હોવાથી તેણે નોકરી કરવાની ના પાડી એટલે રજત ચાર મહિનાની બાળકીને તેની માતા પાસે વતનમાં મૂકી આવ્યો હતો. જેથી અનુ બાળકી વગર સતત પરેશાન થતી હતી.

પરણીતાના આપઘાત કેસમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને દુષ્પપ્રેરણાનો ગુનો નોંધીને રજત હુંડાની ધરપકડ કરી છે. જોકે અનુએ પોતાના ભાઈને આપઘાત પહેલા પતિની હરકતો વિશે જાણ કરી હતી જેથી ઓડિયો રેકોડીગ FSL માં મોકલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">