Ahmedabad : ઔડા દ્વારા નવતર પહેલ, SP રિંગ રોડ પર બ્રિજ બનાવતા પૂર્વે RCC સર્વિસ રોડ બનાવાશે

ઔડા દ્વારા તાજેતરમાં એસપી રિંગ રોડ મમતપુરા બ્રિજ બનાવવામાં આવ્યો. તે સિવાય સાયન્સ સીટી, શાંતીપુરા, સનાથલ અને રનાસણ ખાતે બ્રિજ બનાવવામાં આવ્યા છે. જ્યાં બ્રિજપાસે રસ્તા ખરાબ થવાથી લોકોને હાલાકી પડી હતી. જેને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે

Ahmedabad : ઔડા દ્વારા નવતર પહેલ, SP રિંગ રોડ પર બ્રિજ બનાવતા પૂર્વે RCC સર્વિસ રોડ બનાવાશે
Auda New Intiative
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: May 09, 2023 | 7:42 AM

અમદાવાદમાં (Ahmedabad) બ્રિજ બનશે તો જે સમય દરમિયાન વાહન ચાલકોને નિર્માણાધીન  બ્રિજ(Bridge)  પાસે ખરાબ રસ્તામાંથી પસાર થવુ નહિ પડે. કેમ કે ઔડા(AUDA)  દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેનાથી ખરાબ  રસ્તાની સમસ્યા દૂર થશે.  જેમાં એસપી રીંગ રોડ પર સૌપ્રથમ વાર બ્રિજ બનાવતા પૂર્વે  આરસીસી સર્વિસ રોડ બનશે ઓવરબ્રિજ બનતા  પૂર્વે આર સી સી રોડ બનાવી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. બ્રિજની  કામગીરી દરમિયાન લોકોને હાલાકીનો ભોગ ના બનવું પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. રૂ 8 કરોડ નો ખર્ચ આ રોડ બનાવવા પાછળ થશે.

બ્રિજની કામગીરી દરમિયાન સર્જાતી સમસ્યાને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવ્યો

ઔડાએ રિંગ રોડ પર એક નવીન પહેલ કરી છે. જ્યા ઔડા સૌ પ્રથમ વખત RCC સર્વિસ રોડ બનાવાશે. ઔડા ના સી.ઈ.ઓ ડી પી દેસાઈએ કહ્યું કે કમોડ ઓવરબ્રિજ માટે કામગીરી શરૂ થવાની છે. મુખ્ય રિંગ રોડ હોવાથી લાખો વાહનો પસાર થાય છે, જેને ડાયવર્ટ કરવામાં આવશે, જેના માટે સર્વિસ રોડ ઓવર બ્રિજ પહેલા જ બનાવી નાખવામાં આવશે જેનાથી લોકોને ઉબડ ખાબડ રસ્તા પરથી પસાર ના થવું પડે. ઔડા ના અધિકારીની વાત માનીએ તો અગાઉ બનાવવામાં આવેલ બ્રિજની કામગીરી દરમિયાન સર્જાતી સમસ્યાને ધ્યાને રાખી તેવી સમસ્યા અન્ય જગ્યા પર ન સર્જાય તેના માટે આ નિર્ણય લઈને પ્રથમ વાર આ પ્રયોગ હાથ ધરાયો છે.

બ્રિજ બન્યા બાદ ડામર રોડ બનાવવા માં આવે છે જે થોડા જ દિવસોમાં તૂટી જતા હોય છે.

જે RCCરોડનું કામ પૂર્ણ થયા બાદ 90 કરોડના ખર્ચે બ્રિજ નું કામ શરૂ કરવામાં આવશે. જેના ભાગ રૂપે હાલ RCCરોડ બનાવવાની શરૂઆત કરી દેવાઈ છે. જ્યાં અલગ અલગ લેયરમાં કામ કરી RCCરોડ બનાવવામાં આવી રહ્યો છે. કમોડ ગાય સર્કલ પાસે આ આર સી સી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ આર સી સી સર્વિસ રોડ ના બે ફાયદા થશે. વાહન ચાલકોને હાલાકી નહીં પડે અને રોડ ની આવરદા પણ વધશે. સામાન્ય રીતે બ્રિજ બન્યા બાદ ડામર રોડ બનાવવા માં આવે છે જે થોડા જ દિવસોમાં તૂટી જતા હોય છે. જોકે આર સી સી રોડ નું આયુષ્ય 25 વર્ષ જેટલું હોય છે. આ પાછળ રૂ.8 કરોડ નો ખર્ચ થવાની શક્યતા છે. આ રોડ 10 મીટર પહોળાઈ એટલે કે થ્રી લેન નો રોડ બનશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

RCC રોડ બને તે પહેલાં જ લોકોમાં તંત્રની કામગીરીને લઈને નારાજગી જોવા મળી

જેથી ભારે વાહનોની ટ્રાફિકની અવરજવર સરળતાથી થઈ શકશે. સૌથી પહેલા આ RCC સર્વિસ રોડ બનાવવામાં આવશે અને ત્યાર બાદ જ સાઈડમાં બ્રિજ બનાવવા માટે પાટિયા લગાવવામાં આવશે. જેથી લોકોને કોઈ તકલીફ પડે નહીં. જોકે RCC રોડ બને તે પહેલાં જ લોકોમાં તંત્રની કામગીરીને લઈને નારાજગી જોવા મળી છે. સ્થાનિકોના આક્ષેપ છે કે એક તરફ ટ્રાફિકની સમસ્યા છે જ અને RCC રોડ બનાવવા 6 મહિના થી ખોદકામ કરીને મૂકી દેવાયું છે. જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે.

ઔડા દ્વારા તાજેતરમાં એસપી રિંગ રોડ મમતપુરા બ્રિજ બનાવવામાં આવ્યો. તે સિવાય સાયન્સ સીટી, શાંતીપુરા, સનાથલ અને રનાસણ ખાતે બ્રિજ બનાવવામાં આવ્યા છે. જ્યાં બ્રિજપાસે રસ્તા ખરાબ થવાથી લોકોને હાલાકી પડી હતી. જેને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને તે સફળ બનતા અન્ય બ્રિજની કામગીરી દરમિયાન પણ આ જ પ્રયોગ હાથ ધરવામાં આવશે. કેમ કે ઔડા દ્વારા શહેરમાં એસ પી રિંગ રોડ મળી વિવિધ સ્થળે હજુ બનાવ 10 બ્રિજ બનાવવાનું આયોજન છે.

 હાથીજણ રામોલ અને પાંજરાપોળ એમ ત્રણ બ્રિજ 243 કરોડના ખર્ચે,

જેમાં બાકરોલ ખાતે 64 કરોડના ખર્ચે. હાથીજણ રામોલ અને પાંજરાપોળ એમ ત્રણ બ્રિજ 243 કરોડના ખર્ચે, નિકોલ અને દાસ્તાન સર્કલ પર 165 કરોડના ખર્ચે. તપોવન સર્કલ પર 70 કરોડના ખર્ચે. ઓગનજ સર્કલ પર 57 કરોડના ખર્ચે જ્યારે શીલજ અને સિન્ધુભવન ખાતે 188 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા નું આયોજન છે. જે 10 બ્રિજ બનતા હાલમાં ઔડા વિસ્તારમાં સાબરમતી નદી પર બે બ્રિજ મળી મમતપુરા સાથે 13 બ્રિજ છે તે 23 સંખ્યા પર પહોંચશે. જેનાથી ટ્રાફિક સમસ્યા હળવી થવાનો મોટો અંદાજ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">