અમદાવાદમાં એક જ રાતમાં બે હત્યા, બંને મૃતકમાંથી એક ઈસમ 10 ગુનામાં સંડોવાયેલો હતો, જાણો ઘટના

|

Apr 25, 2024 | 9:05 AM

અમદાવાદ શહેરમાં એક જ રાતમાં બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. જેમાં પૂર્વ વિસ્તારમાં દાણીલીમડામાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે, જ્યારે પશ્ચિમમાં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી છે. મહત્વનું છે કે બંને ગુનામાં પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરના પગલાં લેવાઈ રહ્યા છે.

અમદાવાદમાં એક જ રાતમાં બે હત્યા, બંને મૃતકમાંથી એક ઈસમ 10 ગુનામાં સંડોવાયેલો હતો, જાણો ઘટના

Follow us on

અમદાવાદમાં ગણતરીના કલાકોમાં જ એક જ રાતમાં હત્યાના બે બનાવો બન્યા છે. જેમાં પહેલી હત્યા નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આશ્રમ રોડ ઉપર આવેલા શીતલ આઈસ્ક્રીમ પાર્લર પાસે બન્યો હતો.

આરોપી સગીર હોવાની માહિતી

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રાત્રે 9:30 વાગ્યાની આસપાસ જીતુ ઉર્ફે જીતેન્દ્ર દંતાણી નામનો રીક્ષા ચાલક રીક્ષા લઈને ઊભો હતો, તે સમયે આઈસ્ક્રીમ પાર્લર પર એક સગીર યુવક પોતાના નાના ભાઈ સાથે આવ્યો હતો અને દુકાનમાં હાજર કર્મચારી સાથે બોલાચાલી કરી રહ્યો હતો. તે દરમિયાન રીક્ષા ચાલક જીતુ દંતાણીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સગીરે તેઓની સાથે ઝપાઝપી કરી હતી અને પોતાની પાસે રહેલી છરી મારી હતી.

ઘટનાના CCTVમાં કેદ

આ ઘટનામાં રીક્ષા ચાલક યુવકનુ મોત નિપજ્યું છે. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાની જાણ થતા નવરંગપુરા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને સીસીટીવી તેમજ અન્ય બાબતો તપાસ કરી અંતે સગીર વિરુદ્ધ પગલા લીધા છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

બોલાચાલી અને અદાવતમાં એકનું મોત

અમદાવાદમાં અન્ય એક બનાવ શહેરના દાણીલીમડા વિસ્તારમાં બિસમિલ્લાહ હોટલની પાછળ બન્યો હતો. જેમાં જુબેર કુરેશી નામના 31 વર્ષીય યુવકની સૈયદ નામના આરોપીએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. મહત્વનું છે કે બંને વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી બોલાચાલી અને અદાવત ચાલતી હતી. જેના ભાગરૂપે ગઈકાલે ઝુબેરની એકલતાનો લાભ લઈ યુસુફે તેના પર હુમલો કર્યો હતો.

આરોપીએ ગળાના અને છાતીના ભાગે જીવલેણ ઘા મારી ઇજાઓ પહોંચાડી તેની હત્યા નિપજાવી હતી. તેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર યુસુફની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

નવરંગપુરામાં થયેલી હત્યામાં નિર્દોષનો જીવ ગયો છે. જે માત્ર ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડ્યો હતો, તો બીજી તરફ દાણીલીમડામાં 10 ગુનાના સંડોવાયેલ આરોપીની હત્યા થઈ છે. જેથી પોલીસે બંને ગુનામાં આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકઠા કરી વધુ પ્રક્રિયા હાથ ધરી છે.

Next Article