Rathyatra 2022: ભગવાનના દર્શન કરવા જાવ છો તો જાણી લો ટ્રાફિક વ્યવસ્થા, રેલ્વે સ્ટેશને જનારા મુસાફરો માટે રહેશે વિશેષ વ્યવસ્થા

અમદાવાદમાં (Rathyatra 2022) રથયાત્રા નીકળે છે તે સમગ્ર રૂટ આજના દિવસ માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો દર્શન કરવા જાવ છો તો અંગેની વ્યવસ્તા જાણી લો.

Rathyatra 2022:  ભગવાનના દર્શન કરવા જાવ છો તો જાણી લો ટ્રાફિક વ્યવસ્થા, રેલ્વે સ્ટેશને જનારા મુસાફરો માટે રહેશે વિશેષ વ્યવસ્થા
Ahmedabad 145th rathyatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 5:10 AM

અમદાવાદમાં (Rathyatra 2022) રથયાત્રા નીકળી છે તે સમગ્ર રૂટ આજે નો પાર્કિંગ ઝોન (No parking zone)જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.  તો રથયાત્રાના દર્શન કરવા ઓફિસ જવા  કે અન્યત્ર જનારા લોકોનો સમય ન બગડે અને શહેરમા સૂચારૂ ટ્રાફિક વ્યવસ્થા  જળવાઈ રહે તે માટે જમાલપુર મંદિરથી  રથયાત્રા નીકળીને પરત આવે  ત્યાં સુધી સમગ્ર રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવાની સાથે સાથે  અન્ય વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે  જે આ પ્રમાણે છે.

રેલ્વે સ્ટેશન જનારા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા

મદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવતા જતા મુસાફરોને અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે કોર્પોરેશન સાથે મળીને AMTS-BRTS બસો અને ઈ રીક્ષાની વ્યવસ્થા કરી છે.રથયાત્રા જ્યારે પ્રેમદરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશનનો રસ્તો બંધ હોવાથી 8 AMTS બસોની વ્યવસ્થા કરાઈ છે.જે બસ દરિયાપુર દરવાજાથી ઈદગાહ ચાર રસ્તા થઈ અસારવા, ચામુંડા બ્રિજ રખિયાલ થઈ સારંગપુર ટર્મિનલ સુધી અવરજવર કરશે.

બહારથી આવતા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા

જો વિગતે વાત કરીએ તો પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાંથી રેલવે સ્ટેશન પહોંચવા માટે ખાસ 8 ઈ- રીક્ષા. પૂર્વ સરકારી લીથો પ્રેસ BRTS કેબીનથી કાલુપુર 4 ઈ- રીક્ષા જશે,કાલુપુર રેલવે સ્ટેશનથી આવતા મુસાફરો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.તોBRTS માં ઓઢવ રિંગરોડથી રેલવે સ્ટેશનનો રૂટ ચાલુ રહેશે તેમજનારોલથી ગીતામંદિર થઈ કાલુપુરનો રૂટ પણ ચાલુ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જ્યારે પશ્ચિમ અમદાવાદનાં વિસ્તારમાંથી કાલપુર રેલવે સ્ટેશન જવા માટેનાં રૂટમાં ઘુમાથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલી શકશે. જ્યારે RTO તરફથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલવાની રહેશે.આ ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

રથયાત્રાનો રૂટ રહેશે નો પાર્કિંગ ઝોન

  1. અમદાવાદમાં રથયાત્રા વહેલી સવારે જમાલપુર જગ્નાનાથ મંદિરે થઇને ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર જશે.
  2. સરસપુરમાં ભગવાનનું સ્વાગત મોસાળિયાઓ કરશે. અહીં રથયાત્રા વિરામ લેશે અને રથયાત્રામાં આવેલા ભક્તો અહીં જુદી જુદી પોળમાં ભોજન લેશે.
  3. જે બાદ પરત સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્લી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક અને ત્યાંથી દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે રથયાત્રા પરત ફરશે.
  4. રથયાત્રાના દિવસે આ તમામ રૂટ બંધ રાખવામાં આવશે. પહેલી જુલાઈએ આ તમામ રુટ પર વાહનચાલકો વાહન પાર્ક કરી શકશે નહીં. આ રુટ રથયાત્રાના દિવસે ‘નો પાર્કિંગ ઝોન’ તરીકે જાહેર કરાયો છે. જે વાહનચાલકો આ રુટ પર વાહન પાર્ક કરશે તેમની સામે કાર્યવાહી કરાશે.

આવતીકાલે  વૈકલ્પિક માર્ગ રહેશે આ પ્રમાણે

રથયાત્રા પસાર થવાની છે તે સમગ્ર રૂટને  નો પાર્કિંગ ઝોન જાહેર કરવાની સાથે સાથે વાહનચાલકો માટે વૈક્લિપક રૂટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે જે આ મુજબ છે.

  1. વાહનચાલકો રાયખડ ચાર રસ્તાથી વિક્ટોરીયા ગાર્ડન, રિવરફ્રન્ટ, ફુલબજાર, જમાલપુર બ્રિજ થઈને વાયા ગીતા મંદિર જઈ શકાશે.
  2. રાયખડ ચાર રસ્તાથી જમાલપુર, ગાયકવાડ હવેલી તરફ જવાશે.
  3. આસ્ટોડિયા ચાર રસ્તાથી ગીતા મંદિર, જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી અને કામદાર ચાર રસ્તાથી હરીભાઈ ગોદાણી સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, ચામુંડા બ્રિજ, યમનપુરા સર્કલ, અસારવા બ્રિજ, ઈદગાહ સર્કલ થઈને વાહનચાલકો જઈ શકશે.
  4. ઈન્કમટેક્ષ ગાંધી બ્રિજથી રાહત સર્કલ, દિલ્લી દરવાજા, ઈદગાહ સર્કલ તરફ જવાશે.
  5. દિલ્લી દરવાજાથી રાહત સર્કલ, દઘીચિ સર્કલ, રિવરફ્રન્ટ, લેમન ટ્રી, રૂપાલી, વીજળીઘર થઈને લાલ દરવાજા તરફ જઈ શકાશે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">