Ahmedabad: 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશોત્સવની મંજૂરી મળતા માટીની મૂર્તિની વધી ડિમાન્ડ, POP મૂર્તિકારોની હાલત કફોડી?

ગણેશ પંડાલોના આયોજકો દ્વારા આ વખતે માટીની મૂર્તિની જ સ્થાપના કરવા નક્કી કરાયું. માટીની મૂર્તિ pop કરતા મોંઘી હોવા છતાં ઘરે વિસર્જન કરવાને લઈને પસંદગી કરાઈ રહી છે.

Ahmedabad: 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશોત્સવની મંજૂરી મળતા માટીની મૂર્તિની વધી ડિમાન્ડ, POP મૂર્તિકારોની હાલત કફોડી?
ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 01, 2021 | 5:46 PM

કોરોનાકાળમાં દરેક લોકો માનસિક રીતે તૂટી ગયા તો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. તેવામાં કેસ ઘટતા લોકો છૂટછાટ મળશે તેની રાહ જોતા હતા અને તે છુટ મળી સાથે જ તહેવારોમાં પણ હવે છૂટછાટ મળી રહી છે. ત્યારે રથયાત્રા બાદ હવે ગણેશોત્સવને (Ganeshotsav) સરકારે 4 ફૂટની મૂર્તિ સાથે ઉજવણી કરવા છૂટછાટ આપી છે. જે છૂટછાટ આપતા જ ગણેશ મૂર્તિની ડિમાન્ડ વધી છે. જોકે તેમાં માટીની મૂર્તિની ડિમાન્ડ વધી છે. જેમાં માટીની મૂર્તિમાં 15 ટકા જેટલું બુકીંગ વધ્યું, જ્યારે POP મૂર્તિમાં બુકીંગ નહિવત નોંધાયું છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ઉલ્લેખનીય છે કે માટીની મૂર્તિના મટીરીયલના ભાવ વધવા છતાં મૂર્તિની ડિમાન્ડ વધી છે. જેમાં ઘરમાં સ્થાપના કરી ઘરમાં જ વિસર્જન કરવાને લઈને ડિમાન્ડ વધી હોવાનું હાલ તારણ છે. મીઠાખડી વિસ્તારમાં મૂર્તિ બનાવનાર મૂર્તિકાર વિજય નાઈક જે 25 વર્ષ કરતા વધુ સમયથી માટીની મૂર્તિ બનાવે છે, તેમનું નિવેદન છે કે ગત વર્ષે 1,100 મૂર્તિનું બુકીંગ થયું હતું. જ્યારે આ વર્ષે હાલ સુધી 1,200 મૂર્તિનું બુકીંગ થયું તો વધારાના બુકીંગ કરવાના બંધ કરી દીધા છે.

કેમ કે કોરોનાને લઈને ભાવમાં અસર તેમજ ઓછા કારીગરો હોવા છતાં ડિમાન્ડને પહોંચી વળવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. તહેવાર વચ્ચે ઓછો સમય હોવા છતાં વધુ ઓર્ડર નહીં લઈને ડિમાન્ડને પહોંચી વળવા  મૂર્તિકાર વિજય નાઈકનો પ્રયાસ છે. જેમાં 3 ફૂટની મૂર્તિની સૌથી વધુ ડિમાન્ડ હોવાથી તેના પર વધુ કામ ચાલતું હોવાનું માટી મૂર્તિકારે નિવેદન આપ્યું હતું.

ત્યારે ગણેશ પંડાલોના આયોજકો દ્વારા આ વખતે માટીની મૂર્તિની જ સ્થાપના કરવા નક્કી કરાયું. માટીની મૂર્તિ pop કરતા મોંઘી હોવા છતાં ઘરે વિસર્જન કરવાને લઈને પસંદગી કરાઈ રહી છે. આયોજકોનું માનવું છે કે જ્યાં સ્થાપના ત્યાં જ વિસર્જન કરવાને લઈને માટીની મૂર્તિ યોગ્ય છે. જેથી મોટાભાગે આયોજકો માટીની મૂર્તિની સ્થાપના કરવા નક્કી કર્યું. મહત્વનું છે કે દર વર્ષે 4 લાખ મૂર્તિ સ્થાપન થાય છે. જેમાં ગત વર્ષે 90 ટકા મૂર્તિ માટીની મૂર્તિની સ્થાપના થઈ, જે આ વર્ષે આંક વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

બીજી તરફ માટીની મૂર્તિની ડિમાન્ડ વધતા અને pop મૂર્તિની ડિમાન્ડ ઘટતા popના મૂર્તિકરોની હાલત કફોડી બની છે. 2012ના નવા નિયમ પ્રમાણે pop મૂર્તિના ઉપયોગ પર પ્રતિબંધ લદાતા ઘટેલી ડિમાન્ડ સાથે આ વર્ષે લોકોએ પણ pop મૂર્તિ નહીં ખરીદતા popના મૂર્તિકારોની હાલત કફોડી થઈ છે.

ગુલબાઈ ટેકરા ખાતે 5 હજાર, જ્યારે અમદાવાદના 10 હજાર મૂર્તિકારોની હાલત કફોડી બનતા Pop મૂર્તિકારોએ સરકાર પાસે pop મૂર્તિને મંજૂરી આપવાની માંગ કરી છે અને જો pop મૂર્તિની મંજૂરી ન આપે તો માટીની મૂર્તિ માટે યોગ્ય તાલીમ અને સામગ્રી આપવા માંગ કરી છે. સાથે જ છેલ્લા કેટલાક વર્ષથી popના મૂર્તિકારોની હાલત ખરાબ હોવાનું જણાવી બહારના રાજ્યમાંથી આવતા ઓર્ડર પણ આ વખતે નહીં મળ્યાનું મૂર્તિકારો જણાવી, આ વર્ષે હાલત સૌથી વધુ કફોડી બની હોવાનું જણાવી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો : Junagadh: ભારે પવનને કારણે સતત છઠ્ઠા દિવસે ગિરનાર રોપવે બંધ, પવનનો વિડીયો થયો વાયરલ

આ પણ વાંચો : ગુજરાતમાં વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદત લંબાવાઇ, વેપારી સંગઠનોએ નિર્ણયને આવકાર્યો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">