Ahmedabad: ગ્રાન્ટેડ શાળા સંચાલકો ખેલ મહાકુંભનો કરશે બહિષ્કાર, જ્ઞાન સહાયકોને શાળામાં હાજર નહીં કરવાની આપી ચીમકી- Video

Ahmedabad: પડતર પ્રશ્નોને લઈ રાજ્યની રાજ્યની ગ્રાન્ટેડ શાળાના સંચાલકો ખેલ મહાકુંભનો કરશે બહિષ્કાર. સંચાલકો કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. જો માંગ સંતોષવામાં નહીં આવે તો ખેલ મહાકુંભમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો રજિસ્ટ્રેશન નહીં કરાવે અને રજિસ્ટ્રેશન ન થવાથી વિદ્યાર્થીઓ પણ નહીં જોડાઈ શકે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Oct 03, 2023 | 9:20 PM

Ahmedabad: છેલ્લા બે-ત્રણ મહિનાથી આંદોલન ચલાવી રહેલ ગ્રાન્ટેડ શાળા સંચાલકો, આચાર્યો, કર્મચારીઓ હવે આગામી તબક્કામાં સરકાર સામે અસહકારનું આંદોલન ચલાવશે. ગ્રાન્ટેડ શાળા સંચાલકોની સંકલન સમિતિએ પડતર પ્રશ્નોને લઈ ખેલ મહાકુંભનો બહિષ્કાર તેમજ જ્ઞાન સહાયકોને પોતાની શાળામાં હાજર જ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

જ્ઞાન સહાયકોને શાળામાં હાજર નહીં કરવાની પણ ચીમકી

ગ્રાન્ટેડ શાળાઓની પડતર માંગણીઓને લઈ ચાલી રહેલ આંદોલનમાં હવે સંચાલકોએ સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારી છે. શિક્ષકોની કાયમી ભરતી અને અગાઉ મંજૂર કરવામાં આવેલ સાત માંગણીઓ પૂર્ણ નહીં થાય તો સંચાલકો ખેલ મહાકુંભનો બહિષ્કાર કરશે તેમજ ભવિષ્યમાં ગ્રાન્ટેડ શાળાઓને મળનાર જ્ઞાન સહાયકોને શાળામાં નિમણૂંક નહીં આપે. શિક્ષણ સાથે સંકળાયેલ અલગ અલગ પાંચ સંઘની 7 જેટલી પડતર માંગણીને લઇ સંકલન સમિતિએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો સરકાર માંગણીઓ પૂર્ણ નહીં કરે તો કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાનો સંચાલકો વિરોધ કરી DEO તરફથી ફાળવવામાં આવનાર જ્ઞાનસહાયક યોજના હેઠળ મળેલ શિક્ષકોને નિમણૂક નહીં આપે.

વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ન કરવાની ચીમકી

આ સિવાય ખેલ મહાકુંભમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો રજિસ્ટ્રેશન નહીં કરાવે. શિક્ષકોના રજિસ્ટ્રેશન નહીં થવાથી બાળકો પણ નહીં જોડાઈ શકે. મહત્વનું છે કે શિક્ષણ સંકલન સમિતિ છેલ્લા 2 મહિનાથી આંદોલન ચલાવી રહી છે. જેમાં ક્લાર્ક, પટ્ટાવાળા, ગ્રંથપાલની ભરતી ગ્રાન્ટ-ઇન-એડ પસંદગી સમિતિ મુજબ કરવા, 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અને શિક્ષકોની ભરતી કરાર આધારીતને બદલે કાયમી કરવા માંગ થઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

આ પણ વાંચો: Breaking News : અમદાવાદમાં ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવામાં આવશે, એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા કરાશે શરૂ, જુઓ Video

પડતર નહીં પરંતુ વિધાનસભા પૂર્વે સરકારે સ્વીકારેલ માંગણીઓ: અમૃત ભરવાડ

શાળામાં રામધૂન, રેલી, ધરણા, આવેદનપત્ર, થાળી-વેલણ ખખડાવવા સહિતના અનેક આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા બાદ હજીપણ માંગણીઓ ઉભી જ છે. હવે જ્યારે મંગણીઓનો અંત નથી આવ્યો ત્યારે અસહકારની લડત લડવાની જાહેરાત કરી છે. સંકલન સમિતિ સાથે સંકળાયેલ તેમજ અમદાવાદ શાળા સંચાલક મહામંડળના પ્રમુખ અમૃત ભરવાડ જણાવે છે કે આ અમારી પડતર માંગણીઓ નથી પરંતુ 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના શિક્ષણ મંત્રી, નાણાંમંત્રી અને અધિકારીઓએ સ્વીકારેલ અને બાંહેધરી આપેલ બાબતો છે. જેનો બાદમાં સ્વીકાર કરવામાં નથી આવ્યો. એટલા માટે જ હવે અમે ખેલ મહાકુંભનો બહિષ્કાર અને જ્ઞાનસહાયકોને હાજર નહીં કરવાનો નિર્ણય લઈ અસહકારના આંદોલનનું રણશિંગુ ફૂંકયું છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">