AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અમદાવાદમાં ખરાબ રસ્તાથી લોકો પરેશાન, શહેરીજનોની અગવડતા સામે નથી હાલતુ તંત્રના પેટનુ પાણી!

અમદાવાદ શહેર કે જે વિકસતું શહેર અને સ્માર્ટ તરીકે ઓળખાય છે. અને માટે જ લોકો અમદાવાદ શહેરમાં રહેવા અને વેપાર ધંધા કરવાનું પસંદ કરે છે. જેના કારણે શહેરના વિસ્તાર અને વસ્તીમાં વધારો થયો છે. જેની સામે કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધા આપવાના દાવાઓ પણ કરાય છે. પરંતુ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. જેની ચાડી નારોલ નરોડા હાઇવે ના આ રસ્તા ખાઈ રહ્યા છે. 

Ahmedabad: અમદાવાદમાં ખરાબ રસ્તાથી લોકો પરેશાન, શહેરીજનોની અગવડતા સામે નથી હાલતુ તંત્રના પેટનુ પાણી!
ખરાબ રસ્તાથી લોકો પરેશાન
Darshal Raval
| Edited By: | Updated on: Sep 29, 2023 | 2:47 PM
Share

ચોમાસુ આવતા જ વરસાદ સહેજ પડ્યો નથી કે રસ્તાઓ પર ખાડાઓનુ રાજ શરુ થઈ જતુ હોય છે. રસ્તાઓ કોણ જાણે કેવા મટીરીયલ અને કેવા સુપરવિઝન હેઠળ તૈયાર કરવામાં આવે છે કે, રસ્તાઓ સાવ તકલાદી બનીને તૂટી જઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં આવી જ સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે. વરસાદના કારણે શહેરમાં અનેક રસ્તાઓ ધોવાયા. જેમાં સૌથી વધારે રસ્તાઓની હાલત ખરાબ હોય તો તે શહેરના મધ્ય ભાગમાં આવેલા વિસ્તારોની. પરંતુ તેની સાથે પૂર્વમાં આવેલા વિશાલા થી લઈને નરોડા જતા રસ્તા ની હાલત પણ ખરાબ બની છે. જે ખરાબ રસ્તા ના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચોઃ Aravalli: ભિલોડામાં નશાની હાલતમાં કાર હંકારી યુવકે 4 લોકોને અડફેટે લીધા, કિશોરને 200 મીટર ઢસડ્યો, જુઓ Video

પૂર્વ વિસ્તારમાં આવેલ વિશાલા નરોડા હાઇવે કે જે સૌથી વ્યસ્ત રસ્તો છે. જ્યાં દરરોજ હજારો વાહનો પસાર થતા હોય છે. અને જો ત્યાં રસ્તાની હાલત ખરાબ થાય તો અંદાજો લગાવી શકાય કે તેની અસર કેટલા વાહનો અને વાહન ચાલકોને પડી શકે છે. આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. કે જ્યાં વિશાલાના શાસ્ત્રી બ્રિજ થી લઈને નરોડા સુધી ના રસ્તા પર અલગ અલ સ્થળે નાના નાના પેચમાં રસ્તા પર ખાડા પડયા છે.

પૂર્વ વિસ્તારમાં હાલત ખરાબ

ખરાબ રસ્તા. રસ્તા પર પડેલા ખાડામાં પછડાતા વાહનો અને રસ્તા પર ચાલી રહેલ આ કામગીરી. જે ખાડાના કારણે અને ખરાબ રસ્તા ના કારણે લોકો પરેશાન છે. અને તેમાં પણ સૌથી વધુ હાલાકી ઘોડાસર ચાર રસ્તા પર સર્જાઈ છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જોકે બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. જે કામ થી લોકો પરેશાન છે. તો સૌથી વધુ ખરાબ રસ્તા પણ તે બ્રિજ પાસે જ છે. જે સમસ્યા માંથી લોકો મુક્તિ ઇચ્છી રહ્યા છે.

એટલું જ નહીં પણ નારોલ પાસે કોઝી હોટેલ ચાર રસ્તા પર પણ રસ્તાની હાલત ખરાબ છે. સર્વિસ રોડ બેહાલ છે. જ્યાં ખાડા પડેલા અને પાણી ભરાયા છે. તેમજ ચાર રસ્તા પર અવાર નવાર ખાડા પડવાના પણ લોકોના આક્ષેપ છે. જેના કારણે સ્થાનિક અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકો પરેશાન છે. તો CTM વિસ્તારમાં નીચેનો રસ્તો બંધ કરતા અને બમ્પ બનાવતા તેની કોઈ કોઈ સાઈન બોર્ડ નહીં મુક્યા હોઈ અકસ્માત સર્જાતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. તો કેડીલા બ્રિજ પર પણ રસ્તા પર ખાડા પડયા છે. જે તમામ બાબત થી લોકો પરેશાન છે.

તંત્રનુ નથી હાલતુ પેટનુ પાણી!

અમદાવાદ શહેર કે જે વિકસતું શહેર અને સ્માર્ટ તરીકે ઓળખાય છે. માટે જ લોકો અમદાવાદ શહેરમાં રહેવા અને વેપાર ધંધા કરવાનું પસંદ કરે છે. જેના કારણે શહેરના વિસ્તાર અને વસ્તીમાં વધારો થયો છે. જેની સામે કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધા આપવાના દાવાઓ પણ કરાય છે. પરંતુ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. જેની ચાડી નારોલ નરોડા હાઇવે ના આ રસ્તા ખાઈ રહ્યા છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">