AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: 3 મહિના બાદ AMTS અને BRTS સેવાનો શહેરીજનોએ લીધો લાભ, જાણો પહેલા દિવસે કેટલી થઈ કમાણી?

AMTS-BRTS બસોમાં 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે. શહેરમાં સીટી બસ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલું રહેશે. હાલ 50 ટકા બસો જ ચાલુ કરવામાં આવશે.

Ahmedabad: 3 મહિના બાદ AMTS અને BRTS સેવાનો શહેરીજનોએ લીધો લાભ, જાણો પહેલા દિવસે કેટલી થઈ કમાણી?
Ahmedabad : ત્રણ મહિના બાદ AMTS અને BRTS શરૂ
Rahul Vegda
| Edited By: | Updated on: Jun 07, 2021 | 11:51 PM
Share

Ahmedabad: શહેરમાં કોરોનાનો કહેર ઘટતા AMTS-BRTS બસ ફરી ચલાવવાનો નિર્ણય કર્યો હતો. શનિવારે બસ ફરી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી બસનું સંચાલન બંધ હતું. ત્યારે આજથી AMTS-BRTS બસ ફરી શરૂ થઈ હતી. બસને પહેલા સૅનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ત્રણ મહિના બાદ શરૂ થયેલી AMTS , BRTSના આવકના આંકડાની વાત કરીએ તો પહેલા દિવસે AMTSને રૂપિયા 3.45 લાખ આવક થઈ છે. જ્યારે BRTSને રૂપિયા 3.57 લાખ આવક થઈ છે. AMTSમાં 300 બસમાં 44,731 મુસાફરોએ મુસાફરી કરતા રૂપિયા 3.45 લાખ આવક થઈ છે, જ્યારે જ્યારે BRTSમાં 28,263 મુસાફરોએ મુસાફરી કરતા રૂપિયા 3.57 લાખ આવક થઈ છે.

AMTS-BRTS બસોમાં 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે. શહેરમાં સીટી બસ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલું રહેશે. હાલ 50 ટકા બસો જ ચાલુ કરવામાં આવશે. બસોને સેનિટાઈઝ સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

વેપાર ધંધા શરૂ થતાં લોકોને પરિવહનના સાધનની જરૂર હોવાથી AMTS-BRTS ચાલુ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ મુસાફરોએ પણ મુસાફરી દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે. બસના કર્મચારી નિયમ ભંગ કરશે તો 200 રૂપિયા દંડ કરવામાં આવશે તો બીજી તરફ મુસાફરોને નક્કી કરેલ સ્ટેશનની જ ટિકિટ આપવામાં આવશે.

કોરોના પહેલા AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. તેથી AMTSની રોજની આવક 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તેથી અઢી લાખ લોકો જ બસનો ઉપયોગ કરતા હતા.

AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે. સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવર્સ અને કંડકટર્સની રોજગારી ઉપર પણ અસર થઈ છે. જે સરકારે રાજયના તમામ શહેરોમાં પચાસ ટકા ક્ષમતા સાથે શહેરીબસ સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે.

આ પણ વાંચો : Rajkot: ભુતવડની સરસ્વતી વિદ્યાપીઠમાં મંજૂરી વગર પરીક્ષા યોજાઈ, મેસેજ દ્વારા વિદ્યાર્થીઓને જાણ કરી સંસ્થાએ પરીક્ષા માટે બોલાવ્યા

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">