Ahmedabad: ઉત્તરાયણમાં તમારી મજા નિર્દોષો માટે ન બને સજા, જીવદયા સંસ્થાઓ આજે ખડે પગે

આ હેલ્પલાઈન (Help line) નંબર પર કૉલ કરીને તમે તાત્કાલિક ઘાયલ થયેલા અબોલ જીવોની માહિતી આપી શકશો, જેના થકી તેમની સારવાર થશે. આ રીતે તમે અબોલ જીવોની સેવા તો કરી જ શકશો, પરંતુ આ સાથે જ લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે.

Ahmedabad: ઉત્તરાયણમાં તમારી મજા નિર્દોષો માટે ન બને સજા, જીવદયા સંસ્થાઓ આજે ખડે પગે
Save Bird Campaign
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 14, 2023 | 9:52 AM

ઉત્તરાયણના પર્વમાં આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાઈ જશે. જોકે પતંગ ચગાવવાની મજા સાથે સાથે કોઈને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને અબોલ પક્ષીઓને દોરીથી થતા નુકસાન માટે કેટલીક સંસ્થાઓ, જે કામ કરે છે તે સાચે જ સરાહનીય છે, ઉતરાયણમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓ માટે શહેરમાં કેટલીક જીવદયા સંસ્થાઓ કાર્યરત છે જેના કાર્યકરો ઉતરાયણમાં ખડેપગે રહેશે.

જો કે સારી વાત એ છે કે જીવલેણ દોરીથી ઘવાયેલા પક્ષીઓની વ્હારે આવી છે એ સંસ્થાઓ જે જીવદયાનું ઉત્તમ કાર્ય કરે છે. કેટલીક ખાનગી સંસ્થાઓ અને NGO આ ઘાયલ અબોલ જીવોની સારવાર કરે છે. આવી જ એક સંસ્થા એટલે આંબાવાડી પાંજરાપોળમાં આવેલી જીવદયા ચેરીટેલબ ટ્રસ્ટ. જે ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરે છે.

365 દિવસ, 24 કલાક અબોલોની સેવા કરતી આ સંસ્થા ઉત્તરાયણના સમયમાં ઓપરેશન થિયેટર અને ઓપરેશન ટેબલ સહિતની વ્યવસ્થા ઉભી કરે છે. આ વર્ષે પણ આ સંસ્થા તરફથી 30થી વધુ ઓપરેશન ટેબલ, 100થી વધુ ડોકટર, 200 વોલેન્ટીયર અને એમ્બ્યુલન્સ વાન પણ તૈયાર કરાઈ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અન્ય દિવસોની સરખામણીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે આ સંસ્થામાં ઘાયલ પશુ-પક્ષીઓની સંખ્યા વધી જાય છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઘવાયેલા પશુ-પક્ષીઓના આંકડાઓ પર નજર કરીએ તો

2015માં 2,808 2016માં 3,173 2017માં 3,252 2018માં 3,149 2019માં 4,200 2020માં 4,100 2021માં 3,300 અને 2022માં 4,000 ઉપરાંત કેસ નોંધાયા હતા

ચિંતાનો વિષય એ છે કે વર્ષ 2015થી 2022 દરમિયાન ઘાયલ પશુ પક્ષીઓની સંખ્યા અને મોતના આંકડામાં વધારો જોવા મળ્યો છે. જો કે 80 ટકાથી વધુ અબોલ પક્ષીઓને બચાવી લેવામાં આવે છે અને આ તો માત્ર એક જ જીવદયા સંસ્થાનો આંકડો છે. આ ઉપરાંત 40થી વધુ સંસ્થાઓ છે, જે અબોલની સારવાર કરે છે. જેના આંકડાઓ પણ ચિંતાજનક છે. આ જ કારણ છે કે દર વર્ષે જીવદયા સહિતની સંસ્થાઓ લોકોને અપીલ કરે છે કે તમારી મજા આ અબોલ જીવો માટે સજા ન બને તેનું ધ્યાન રાખો. આપણી મજા આ અબોલ જીવો માટે સજા ન બને તેનું ધ્યાન આપણે જ રાખવું પડશે.

વિવિધ સંસ્થાઓના હેલ્પલાઈન નંબર

સરકારી કરુણા હેલ્પલાઈન નંબર- 1962 ફાયર બ્રિગેડ નંબર- 101 ઇમરજન્સી નંબર- 108 જીવદયા સંસ્થા નંબર- 78781-71727

આ હેલ્પલાઈન નંબર પર કૉલ કરીને તમે તાત્કાલિક ઘાયલ થયેલા અબોલ જીવોની માહિતી આપી શકશો જેના થકી તેમની સારવાર થશે. આ રીતે તમે અબોલ જીવોનો સેવા તો કરી જ શકશો, પરંતુ આ સાથે જ લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે. જેના થકી દર વર્ષે ઘાયલ થતા પશુ-પક્ષીઓની સંખ્યામાં ઘટાડો કરી શકાય. ત્યારે જ આપણે ખરા અર્થમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરી ગણાશે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">