AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ઉત્તરાયણમાં તમારી મજા નિર્દોષો માટે ન બને સજા, જીવદયા સંસ્થાઓ આજે ખડે પગે

આ હેલ્પલાઈન (Help line) નંબર પર કૉલ કરીને તમે તાત્કાલિક ઘાયલ થયેલા અબોલ જીવોની માહિતી આપી શકશો, જેના થકી તેમની સારવાર થશે. આ રીતે તમે અબોલ જીવોની સેવા તો કરી જ શકશો, પરંતુ આ સાથે જ લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે.

Ahmedabad: ઉત્તરાયણમાં તમારી મજા નિર્દોષો માટે ન બને સજા, જીવદયા સંસ્થાઓ આજે ખડે પગે
Save Bird Campaign
Darshal Raval
| Edited By: | Updated on: Jan 14, 2023 | 9:52 AM
Share

ઉત્તરાયણના પર્વમાં આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાઈ જશે. જોકે પતંગ ચગાવવાની મજા સાથે સાથે કોઈને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને અબોલ પક્ષીઓને દોરીથી થતા નુકસાન માટે કેટલીક સંસ્થાઓ, જે કામ કરે છે તે સાચે જ સરાહનીય છે, ઉતરાયણમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓ માટે શહેરમાં કેટલીક જીવદયા સંસ્થાઓ કાર્યરત છે જેના કાર્યકરો ઉતરાયણમાં ખડેપગે રહેશે.

જો કે સારી વાત એ છે કે જીવલેણ દોરીથી ઘવાયેલા પક્ષીઓની વ્હારે આવી છે એ સંસ્થાઓ જે જીવદયાનું ઉત્તમ કાર્ય કરે છે. કેટલીક ખાનગી સંસ્થાઓ અને NGO આ ઘાયલ અબોલ જીવોની સારવાર કરે છે. આવી જ એક સંસ્થા એટલે આંબાવાડી પાંજરાપોળમાં આવેલી જીવદયા ચેરીટેલબ ટ્રસ્ટ. જે ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરે છે.

365 દિવસ, 24 કલાક અબોલોની સેવા કરતી આ સંસ્થા ઉત્તરાયણના સમયમાં ઓપરેશન થિયેટર અને ઓપરેશન ટેબલ સહિતની વ્યવસ્થા ઉભી કરે છે. આ વર્ષે પણ આ સંસ્થા તરફથી 30થી વધુ ઓપરેશન ટેબલ, 100થી વધુ ડોકટર, 200 વોલેન્ટીયર અને એમ્બ્યુલન્સ વાન પણ તૈયાર કરાઈ છે.

અન્ય દિવસોની સરખામણીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે આ સંસ્થામાં ઘાયલ પશુ-પક્ષીઓની સંખ્યા વધી જાય છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઘવાયેલા પશુ-પક્ષીઓના આંકડાઓ પર નજર કરીએ તો

2015માં 2,808 2016માં 3,173 2017માં 3,252 2018માં 3,149 2019માં 4,200 2020માં 4,100 2021માં 3,300 અને 2022માં 4,000 ઉપરાંત કેસ નોંધાયા હતા

ચિંતાનો વિષય એ છે કે વર્ષ 2015થી 2022 દરમિયાન ઘાયલ પશુ પક્ષીઓની સંખ્યા અને મોતના આંકડામાં વધારો જોવા મળ્યો છે. જો કે 80 ટકાથી વધુ અબોલ પક્ષીઓને બચાવી લેવામાં આવે છે અને આ તો માત્ર એક જ જીવદયા સંસ્થાનો આંકડો છે. આ ઉપરાંત 40થી વધુ સંસ્થાઓ છે, જે અબોલની સારવાર કરે છે. જેના આંકડાઓ પણ ચિંતાજનક છે. આ જ કારણ છે કે દર વર્ષે જીવદયા સહિતની સંસ્થાઓ લોકોને અપીલ કરે છે કે તમારી મજા આ અબોલ જીવો માટે સજા ન બને તેનું ધ્યાન રાખો. આપણી મજા આ અબોલ જીવો માટે સજા ન બને તેનું ધ્યાન આપણે જ રાખવું પડશે.

વિવિધ સંસ્થાઓના હેલ્પલાઈન નંબર

સરકારી કરુણા હેલ્પલાઈન નંબર- 1962 ફાયર બ્રિગેડ નંબર- 101 ઇમરજન્સી નંબર- 108 જીવદયા સંસ્થા નંબર- 78781-71727

આ હેલ્પલાઈન નંબર પર કૉલ કરીને તમે તાત્કાલિક ઘાયલ થયેલા અબોલ જીવોની માહિતી આપી શકશો જેના થકી તેમની સારવાર થશે. આ રીતે તમે અબોલ જીવોનો સેવા તો કરી જ શકશો, પરંતુ આ સાથે જ લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે. જેના થકી દર વર્ષે ઘાયલ થતા પશુ-પક્ષીઓની સંખ્યામાં ઘટાડો કરી શકાય. ત્યારે જ આપણે ખરા અર્થમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરી ગણાશે.

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">