AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે 2022-23 માં ટિકિટ ચેકિંગની આવકમાં નવો રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ મંડળે વર્ષ 2022-23 દરમિયાન ટિકિટ વગર યાત્રાના કુલ 3,24,408, અનિયમિત યાત્રા કરનાર 77,340 અને બુક વગરના સામાનના 1121 કેસ નોંધી ને કુલ 4,02,869 કેસ પર 27.80 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

Ahmedabad : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે 2022-23 માં ટિકિટ ચેકિંગની આવકમાં નવો રેકોર્ડ બનાવ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 8:00 AM
Share

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ તેના મુસાફરોની સુવિધા વધારવા માટે સતત પ્રયત્નશીલ છે, તેની સાથે તે રેલવેની આવક વધારવામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા રેલ ટ્રાફિકમાં અનધિકૃત મુસાફરીને રોકવા માટે વિવિધ પ્રકારના ટિકિટ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવે છે. જેમાં ગત વર્ષ 2022-23 દરમિયાન અમદાવાદ મંડળ દ્વારા વિવિધ ટિકિટ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રૂ.27.84 કરોડની આવક થઈ હતી.

કર્મચારીઓને પ્રાદેશિક સ્તરે પુરસ્કૃત કરવામાં આવ્યા

વર્ષ 2021-22 કરતા 39.86 ટકા વધુ છે. જે ટિકિટ ચેકિંગ મંડળની અત્યાર સુધીની શ્રેષ્ઠ કામગીરી માનવમાં આવે છે. તેમજ મુખ્ય મથક ખાતે જનરલ મેનેજર પશ્ચિમ રેલવે દ્વારા ડેપ્યુટી જનરલ મેનેજર, અને મુખ્ય ચીફ કોમર્શિયલ મેનેજર ની હાજરીમાં તપાસ વિભાગોના તમામ મંડળો માંથી કુલ ચાર આવા મહેનતુ અને શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રાદેશિક સ્તરે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. મંડળના બે કર્મચારીઓને મહાપ્રબંધક એવોર્ડ પણ મળ્યો

મુસાફરોની પાસેથી અન્ય 27.80 કરોડ રૂપિયાની થઈ આવક

અમદાવાદ મંડળના બે કર્મચારી મુખ્ય ટિકિટ નિરીક્ષક અમદાવાદના અજમેર સિંહ દ્વારા 1.03 કરોડ અને ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અમદાવાદના શૈલ તિવારી દ્વારા 57 લાખથી વધુ આવક મેળવવા બદલ યોગ્યતા પ્રમાણપત્ર અને રોકડથી પુરસ્કૃત કરવામાં આવ્યા. જે અમદાવાદ વર્તુળ માટે ગૌરવની વાત છે. અમદાવાદ મંડળે વર્ષ 2022-23 દરમિયાન ટિકિટ વગર યાત્રાના કુલ 3,24,408, અનિયમિત યાત્રા કરનાર 77,340 અને બુક વગરના સામાનના 1121 કેસ નોંધી ને કુલ 4,02,869 કેસ પર 27.80 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

આ પણ વાંચો : Ahmedabad: ઓટો વર્લ્ડ એક્ઝિબિશન ઓફ વિન્ટેજ કાર, અહીં છે વિવિધ સ્ટેટની યુનિક કારનું કલેક્શન

રેલ પરિસરમાં ગંદકી કરતા કુલ 2946 મુસાફરો પાસેથી રૂ.4.36 લાખની વસૂલાત કરવામાં આવી હતી. અને આ રીતે અમદાવાદ મંડળના ટિકિટ ચેકિંગ મંડળ દ્વારા કુલ 4,05,815 કેસોમાં રૂ.27.84 કરોડની આવક થઈ હતી. વેઇટિંગ લિસ્ટ ઈ-ટિકિટ પર મુસાફરી કરવાની પરવાનગી નથી. એ જ રીતે પ્લેટફોર્મ ટિકિટ પર પણ મુસાફરી કરવાની મંજૂરી નથી. તેથી, વેઇટિંગ લિસ્ટ ઈ-ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ લઈને મુસાફરી કરશો નહીં તેવી રેલવે એ અપીલ કરી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">