AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: હોસ્પિટલ ખર્ચ બાદ ક્લેઈમ સામે વળતર ન ચુકવવું ઈન્શ્યોરન્સ કંપનીને ભારે પડ્યુ, ખર્ચની રકમની સાથે માનસિક ત્રાસ અને કાનુની ખર્ચ ચુકવવા ગ્રાહક કમિશનનો આદેશ

Ahmedabad: હોસ્પિટલ ખર્ચ બાદ કરેલા ક્લેઈમ સામે વળતર ન ચુકવનારી ઈન્સ્યોરન્સ કંપની અને ગ્રાહક વચ્ચેની તકરારના કેસમાં ગ્રાહક કમિશને મહત્વનો ચુકાદો આપ્યો છે. કન્ઝ્યુમર ફોરમે ખર્ચની રકમની સાથે માનસિક ત્રાસ અને કાનુની ખર્ચ ચુકવવા ઈન્સ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે.

Ahmedabad: હોસ્પિટલ ખર્ચ બાદ ક્લેઈમ સામે વળતર ન ચુકવવું ઈન્શ્યોરન્સ કંપનીને ભારે પડ્યુ, ખર્ચની રકમની સાથે માનસિક ત્રાસ અને કાનુની ખર્ચ ચુકવવા ગ્રાહક કમિશનનો આદેશ
Ronak Varma
| Edited By: | Updated on: Mar 26, 2023 | 6:12 PM
Share

ગ્રાહકોને અવારનવાર વળતરની રકમ ચૂકવવામાં અવનવા કારણો આગળ ધરતી ઇન્સ્યોરન્સ કંપની અને ગ્રાહક વચ્ચેના કેસને લઈ ગ્રાહક કમિશને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વીમા કંપનીએ 2020માં એક ગ્રાહકની બે દિવસનો હોસ્પિટલનો સારવાર ખર્ચ માટેનો મેડી ક્લેઈમ ક્લોઝનો દુરુપયોગ કરી રિજેક્ટ કર્યો હતો.

ક્લેઈમ રિજેક્ટ થતા ગ્રાહકે વીમા કંપની સામે મેડિક્લેઈમ પોલીસીમાં અનફેર ટ્રેડ પ્રેક્ટીસ આચર્યાનો આક્ષેપ સાથે ગ્રાહક કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. બંને પક્ષોની દલીલ સાંભળી ગ્રાહક કમિશને ફરિયાદના 3 વર્ષ બાદ ચુકાદો આપ્યો હતો કે વીમા કંપનીઓ ક્લોઝનો દુરુપયોગ કરીને ગ્રાહકનો ક્લેઈમ નામંજૂર ન કરી શકે. વીમાં કંપનીએ ગ્રાહકને અરજી કર્યાની તારીખથી 8 ટકાના વ્યાજ ક્લેઈમની મુળ રકમ 30 દિવસમાં ચુકવવી પડ્શે. સાથે જ અરજદારને માનસિક ત્રાસ પેટે 2000 અને કાનુની ખર્ચ પેટે 1000 ચુકવવા ગ્રાહક કમિશને હુકમ કર્યો છે.

રમેશભાઈ પરમાર વર્ષોથી અમદાવાદમાં તેમના પત્ની અને પરિવાર સાથે વસવાટ કરે છે. બીમારીના સમયમાં કામ લાગે તેવું વિચારીને અન્ય લોકોની જેમ તેમણે પણ એક મેડિક્લેઈમ પોલીસી લીધી હતી, જેમાં ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની લી. નામની સંસ્થા પાસેથી 21.07.2019ના રોજ રૂ. 3,00,000 સુધીની પોલિસી લેવામાં આવી હતી.

ત્યારબાદ 31.01.2020ના રોજ અચાનક ખભાના ભાગે દુ:ખાવો થતા નિષ્ણાંતોની સલાહ મુજબ ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લીધી હતી અને જેનો ખર્ચ 22,466 આવ્યો હતો. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સાથે પોલિસી ક્લેઈમ કરવા જતા ઈન્શ્યોરન્સ કંપની દ્વારા જુદા જુદા ક્લોઝ બતાવીને હોસ્પિટલમાં થયેલા ખર્ચની રકમ ચુકવવા ઈન્કાર કરી દેવામાં આવતા રમેશભાઈએ ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહના સુચિત્રા પાલને સમગ્ર હકીકતો જણાવતા સમગ્ર મામલે ગ્રાહક તકરાર કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ગ્રાહક તકરાર નિવારણે બંન્ને પક્ષોની દલીલ સાંભળી હતી જેમાં બચાવ પક્ષે ઈન્શ્યોરન્સ કંપની તરફથી બચાવ માટે જુદી જુદી કોર્ટના 8 જેટલા ચુકાદાઓ રેફરન્સ તરીકે ટાંકવામાં આવ્યા હતા. પરંતુ કેસની ગંભીરતા અને ઈન્શ્યોરન્સ કંપની અને અરજદારની તમામ રજૂઆતો સાંભળ્યા બાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશને અરજદારના હકમાં ચુકાદો આપીને ઈન્શ્યોરન્સ કંપનીને ફટકાર લગાવી હતી.

આ સાથે કમિશને પોતાના ચુકાદામાં નોંધ્યું કે અરજદારને હોસ્પિટલ ખર્ચના રૂ.22,466 તો ખરી જ પણ સાથે સાથે સમગ્ર કેસમાં માનસિક ત્રાસ આપવા બદલ રૂ.2000 તથા કાનુની ખર્ચ પેટે રૂ.1000 પણ 30 દિવસની અંદર ચુકવી આપવા આદેશ કર્યો.

આ પણ વાંચો: Ahmedabad: લાંભા રોડ પર બાળક સાથે જઈ રહેલી મહિલાને બાઈકચાલકે લીધી અડફેટે, જુઓ અકસ્માતનો હચમચાવી દેનારો Video

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">