AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમરાઇવાડીમાં ગેસનો બાટલો લિકેજ થતા બ્લાસ્ટ, 3 ઘાયલ, એકની હાલત ગંભીર

બ્લાસ્ટની આ ઘટનામાં દીવાલ તૂટતા કેટલોક ભાગ લોકોને નુકશાન કરે તેવી હાલતમાં પડી રહ્યો છે. જે ઘટનાની ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે સ્થળનું નિરીક્ષણ કરી કેટલોક ભાગ દૂર કર્યો. પણ સાથે જ ફાયર બ્રિગેડે એસ્ટેટ વિભાગને જાણ કરી અન્ય જર્જરિત ભાગ પણ દૂર કર્યો.

Ahmedabad : અમરાઇવાડીમાં ગેસનો બાટલો લિકેજ થતા બ્લાસ્ટ, 3 ઘાયલ, એકની હાલત ગંભીર
Ahmedabad: Blast due to gas bottle leak in Amraiwadi, 3 injured, one seriously injured
Darshal Raval
| Edited By: | Updated on: Jan 22, 2022 | 3:34 PM
Share

Ahmedabad :  અમરાઈવાડી (Amraiwadi)વિસ્તારમાં આજે ઘંટી બસ સ્ટેન્ડ પાસે શ્રીનાથ નગરમાં એક મકાનમાં ગેસ બાટલો લિંક (Gas cylinder leakage)થઇ બાદ બ્લાસ્ટની(Blast)ઘટના સામે આવી. પહેલા તો અવાજના કારણે મોટો બ્લાસ્ટ થયાનું લાગતા આસપાસના લોકો દોડી આવ્યા. જોકે બાદમાં જાણ થઈ કે એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગતા બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી.

વહેલી સવારે બનેલી ઘટનામાં મકાનની એક દીવાલ તૂટી તેમજ મકાનમાં તિરાડો પડી તો મકાનમાં રહેલ ત્રણ લોકો દાઝતા ઘાયલ થયાનું પણ સામે આવ્યું. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.મળતી માહિતી પ્રમાણે ઘાયલ વ્યક્તિમાં એક જયવીરભાઈ. બીજા સીનોદભાઈ અને એક સગીર સની નામનો સમાવેશ થાય છે. જેમાં જયવીરની હાલત ગંભીર છે. જે તમામની સારવાર એલ જી હોસ્પિટલમાં ચાલી રહી છે.

વધુ માહિતીએ પણ સામે આવી કે ઘાયલ પરિવાર ઘટનાસ્થળે જ રહે છે. જોકે બે મહિનાથી પરિવાર યુપીમાં તેમના વતન ગયો હતો. જોકે સગીર પુત્રની પેટના દુખાવાની સારવારને લઈને પરિવાર ગત રોજ અમદાવાદ પરત આવ્યો. અને તેઓએ આવી અન્યના ઘરેથી ગેસનો સિલિન્ડર લીધો હતો. અને સવારે જ્યારે પરિવાર જાગ્યો અને જેવો સ્ટવ શરૂ થયો કે તરત બ્લાસ્ટ થયો અને આગ લાગી અને પરિવારના ત્રણે સભ્યો ઘાયલ થયા. જે ઘટનાએ અન્ય સ્થાનિકોમાં ફફડાટ ઉભો કરી દીધો. જે ઘટના ગેસ સિલિન્ડર લીકેજ (Gas cylinder leakage)હોવાના કારણે રૂમમાં ગેસ ભરાઈ રહેતા બની હોવાનું મનાઈ રહ્યું છે.

બ્લાસ્ટની આ ઘટનામાં દીવાલ તૂટતા કેટલોક ભાગ લોકોને નુકશાન કરે તેવી હાલતમાં પડી રહ્યો છે. જે ઘટનાની ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે સ્થળનું નિરીક્ષણ કરી કેટલોક ભાગ દૂર કર્યો. પણ સાથે જ ફાયર બ્રિગેડે એસ્ટેટ વિભાગને જાણ કરી અન્ય જર્જરિત ભાગ પણ દૂર કર્યો. જેથી અન્ય કોઈ ઘાયલ ન થાય.

આ ઘટના બની ત્યારે પાસેના મકાનમાં લગ્ન પ્રસંગનો માહોલ પણ હતો. જોકે બનાવ પાછળના ભાગે બનતા આગળ કોઈ નુકશાન ન થતા પાડોશીના પ્રસંગ પર કોઈ અસર પડી ન હતી.

આ પણ વાંચો : RAJKOT : ધોરાજી પાલિકાએ વેરાની રકમમાં વધારો કરતા રોષ, જનઆંદોલનની આગેવાનોની ચીમકી

આ પણ વાંચો : CORONA: જાન્યુઆરીમાં રેલવેની રાજકોટ ડિવીઝનની 62 હજાર ટિકિટ રદ્દ, રેલવેએ 4 કરોડથી વધુનું રિફંડ આપ્યું

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">