CORONA: જાન્યુઆરીમાં રેલવેની રાજકોટ ડિવીઝનની 62 હજાર ટિકિટ રદ્દ, રેલવેએ 4 કરોડથી વધુનું રિફંડ આપ્યું

રાજકોટમાં 1 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન 3600 ટિકિટ મુસાફરોએ રદ કરાવી છે જેનું રૂ.23 લાખથી વધુનું રીફન્ડ ચુકવવામાં આવ્યું છે. આ ઉપરાંત જામનગર રેલવે સ્ટેશને 20 દિવસમાં 709 યાત્રિકોએ ટિકિટ કેન્સલ કરાવી છે. જેને રેલવે દ્વારા 9,38,130નું રિફંડ ચૂકવાયું છે

CORONA: જાન્યુઆરીમાં રેલવેની રાજકોટ ડિવીઝનની 62 હજાર ટિકિટ રદ્દ, રેલવેએ 4 કરોડથી વધુનું રિફંડ આપ્યું
symbolic image
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 22, 2022 | 2:57 PM

દેશમાં કોરોના (Corona)ની ત્રીજી લહેર ચાલી રહી છે.ત્રીજી લહેરની અસર હવે રેલવે (Railway) તંત્રને પણ પડી રહી છે.1 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી (January) સુધી રાજકોટ રેલવે ડિવીઝનમાં કુલ 62902 ટીકીટ રદ્દ કરી રેલવેએ રૂ.4 કરોડથી વધુનું રીફન્ડ ચૂકવ્યું છે. રાજકોટ-ભક્તિનગર સ્ટેશન પર બુક કરવામાં આવેલી ટિકિટો રદ્દ કરવામાં આવી રહી છે. જેમાં તા.1 જાન્યુઆરીથી ગઈકાલ સુધીમાં 3600 ટિકિટ મુસાફરોએ રદ કરાવી છે જેનું રૂ.23 લાખથી વધુનું રીફન્ડ ચુકવવામાં આવ્યું છે.આ ઉપરાંત જામનગર રેલવે સ્ટેશને 20 દિવસમાં 709 યાત્રિકોએ ટિકિટ કેન્સલ કરાવી છે. જેને રેલવે દ્વારા 9,38,130નું રિફંડ (refund) ચૂકવ્યું છે.

સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે કેસ મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. કોરોના સંક્રમણ વધવાની સાથે ગુજરાત સરકાર દ્વારા રાજકોટ, જામનગર સહિત 8 મહાનગરો તેમજ 17 શહેરોમાં રાત્રી કર્ફયૂ લાદયો છે. તેમજ લગ્ન સમારોહમાં 150 લોકોની મર્યાદામાં છૂટ આપી છે. જેના પગલે લોકોએ પોતાના અનેક મોટા કાર્યક્રમો, મુસાફરી સહિતના આયોજનો મુલત્વી રાખવા પડયા છે. કોરોનાના કેસ વધતા તંત્ર પણ એલર્ટ થઇ ચૂકયું છે.

રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ સહિતના સ્થળોએ પણ કોરોના ટેસ્ટીંગ શરુ કરાયા છે. ત્યારે રાજકોટ રેલવે ડિવિઝનમાં 18 દિવસમાં 55,918 મુસાફરોએ ટિકિટ (ticket) કેન્સલ કરાવી છે. આ મુસાફરોને રાજકોટ રેલવે ડિવિઝને 3.85 કરોડનું રિફંડ ચૂકવયું છે. ઉલ્લેખનિય છે કે, સામાન્ય સંજોગોમાં મે મહિનામાં વિદ્યાર્થીઓને શાળામાં વેકેશન હોય છે. આથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો બહારગામ હરવા-ફરવા તથા યાત્રા માટે જતાં હોય છે. રેલવેમાં મુસાફરો 120 દિવસ અગાઉ ટ્રેનની ટિકિટ બુક કરી શકે છે. આથી યાત્રિકો 120 દિવસ પૂર્વે જ ટિકિટ બુક કરાવી લેતાં હોય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નવેમ્બર-ડિસેમ્બર માસમાં કેસ સાવ નહિંવત હોવાને કારણે લોકોએ ટ્રેનમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. પરંતુ જાન્યુઆરી માસમાં કોરોનાના કેસોમાં મોટાપાયે ઉછાળો આવતાં વિકટ પરિસ્થિતિમાં અનેક લોકોએ ટ્રેનમાં કે, ફલાઇટમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકો ટ્રેન અને ફલાઇટમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. રાજકોટથી જતી લાંબા રૂટની ટ્રેનોમાં પણ હાલ સીટો ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે.

લગ્ન પ્રસંગની મર્યાદા પર ટિકિટ કેન્સલ માટેનું કારણ

હાલમાં કોરોનાની નિયંત્રણોને કારણે કેટલાક પ્રસંગો મોકુફ રહ્યા છે અથવા તો મર્યાદિત રહ્યા છે જેના કારણે બહારના રાજ્યોમાંથી આવતા લોકો મુસાફરી ટાળી રહ્યા છે અથવા તો બહારના રાજ્યોમાં જવાનું ટાળી રહ્યા છે જેના કારણે ટિકીટો રદ્દ થઇ રહી છે..

એરપોર્ટમાં પણ ફલાઇટ મર્યાદિત કરાઇ

કોરોનાની ઇફેક્ટ માત્ર રેલવે નહિ પરંતુ એરપોર્ટ પર પણ થઇ છે.મુસાફરોની સંખ્યા ઘટતા રાજકોટથી મુંબઇ અને દિલ્હીના ફલાઇટ મર્યાદિત કરાઇ છે.ક્યારેક મુસાફરો ઘટના આ ફલાઇટ રદ્દ કરવી પડી રહી છે તો ક્યારેક ડાયવર્ટ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ પણ વાંચોઃ Corona: અંબાજી મંદિર હવે આગામી 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે

આ પણ વાંચોઃ રાજ્યમાં ફરી કમોસમી વરસાદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ઝરમર શરૂ

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">