Ahmedabad : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે, 3000 કરોડનું ફુલેકુ ફેરવનાર દંપતીની ધરપકડ

સીઆઇડી ક્રાઇમ ના આર્થિક ગુના નિવારણ શાખામાં વર્ષ 2018 માં ફરિયાદ નોંધવામાં આવી હતી કે આરોપીઓએ એક કરોડ 22 લાખ નું રોકાણ કરાવી એક પણ રૂપિયો વળતર આપ્યા વિના ઓફિસ બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.. સીઆઇડી ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ બાદ છેલ્લા પાંચ વર્ષથી આ ગુનાના તમામ સાત આરોપીઓ નાસ્તા ફરતા હતા.

Ahmedabad : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે, 3000 કરોડનું ફુલેકુ ફેરવનાર દંપતીની ધરપકડ
Ahmedabad Crime Branch
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 10, 2023 | 9:07 AM

Ahmedabad:  અમદાવાદમાં રોકાણકારોને ઉંચુ વ્યાજ આપવાની લાલચે કરોડોનું ફુલેકુ(Fraud)  ફેરવનાર કૌભાંડી દંપતીની સીઆઈડી ક્રાઈમના(CID Crime)  આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામા આવી છે. છેલ્લા 5 વર્ષથી 3000 કરોડ થઈ વધુનું કૌભાંડ આચરી ફરાર થયેલા દંપતિની લખનઉથી ધરપકડ કરવામા આવી છે..જોકે આ ગુનાના અન્ય 5 આરોપી ફરાર છે..જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સીઆઇડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી

વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર લિમિટેડ ના નામે ગુજરાત સહિત દેશભરમાં 650થી વધુ બ્રાન્ચ ખોલી 12 થી 18 ટકા નફો આપવાની લાલચે રોકાણ કરાવી 3000 કરોડનું ફુલેકું ફેરવનાર મુખ્ય આરોપી ઠગ દંપતીની ધરપકડ કરવામાં આવી છે.સીઆઇડી ક્રાઇમ ના આર્થિક ગુના નિવારણ શાખા છેલ્લા પાંચ વર્ષથી ફરાર મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને તેની પત્ની બંધના ચાંદ ની શોધખોળ કરતી હતી.

તેવામાં આરોપી લખનઉમાં છુપાયો હોવાની માહિતી મળતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.. મહત્વનું છે કે કૌભાંડી દંપતી અને તેના સાગરીતોએ મળી માત્ર ગુજરાતમાંથી જ 300 કરોડથી વધુનું ફુલેકુ ફેરવ્યું હતું. જેમાં હજારો રોકાણકારો રાતા પાણીએ રડ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગુનાના તમામ સાત આરોપીઓ નાસતા ફરતા હતા

સીઆઇડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખામાં વર્ષ 2018 માં ફરિયાદ નોંધવામાં આવી હતી કે આરોપીઓએ એક કરોડ 22 લાખ નું રોકાણ કરાવી એક પણ રૂપિયો વળતર આપ્યા વિના ઓફિસ બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.. સીઆઇડી ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ બાદ છેલ્લા પાંચ વર્ષથી આ ગુનાના તમામ સાત આરોપીઓ નાસતા ફરતા હતા.

રાજ્યની પોલીસ આરોપી સુધી પહોંચી શકી ન હતી

મહત્વનું છે કે ઝડપાયેલ આરોપી દંપતિ મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને તેની પત્ની બંધના ચાંદ વિરુદ્ધ દેશભરમાં 70 થી વધુ ફરિયાદો નોંધાય છે જેમાં ગુજરાત, રાજસ્થાન,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ,કલકત્તા, હરિયાણા સહિત સીબીઆઈ માં પણ પાંચ ગુના નોંધાયા છે.. જોકે એક પણ રાજ્યની પોલીસ આરોપી સુધી પહોંચી શકી ન હતી.

કરોડોનું કૌભાંડ આજની ફરાર થયેલા દંપતીની શોધખોળ કરી ધરપકડ કર્યા બાદ હકીકત સામે આવી કે મૂળ ગોરખપુરનું આ દંપતી એ કલકત્તામાં અંદાજિત 700 કરોડની પ્રોપર્ટી વસાવી હતી.તે તમામ સંપત્તિ કલકત્તાના આર્થિક ગુના નિવારણ શાખા અને સેબી દ્વારા કબજે લેવામાં આવી છે.. સાથે જ પોલીસને શંકા છે કે આરોપીઓની ધરપકડ બાદ વધુ કેટલાક ભોગ બનનાર લોકો સામે આવી શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">