Ahmedabad : જુહાપુરામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો, છરીના ઘા મારી ચાર લોકોએ યુવકને મોતને ઘાટ

અમદાવાદ( Ahmedabad) શહેરના જુહાપુરામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકને છરીના ઘા મારી ચાર લોકોએ મોતને ઘાટ ઉતાર્યો છે. તેમજ કુખ્યાત આરોપી સમીર ઉર્ફે પેન્ડીના ભાઇ પાસે મૃતકને લેવાના નીકળતા નાણા બાબતે આ હત્યા થઇ હોવાનું સામે આવ્યું હકે. ત્યારે શકમંદોની અટકાયત કરી વેજલપુર પોલીસે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ શરૂ કર્યા છે.

Ahmedabad : જુહાપુરામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો, છરીના ઘા મારી ચાર લોકોએ યુવકને મોતને ઘાટ
Ahmedabad Murder
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 06, 2022 | 5:05 PM

અમદાવાદ શહેરના જુહાપુરામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકને છરીના ઘા મારી ચાર લોકોએ મોતને ઘાટ ઉતાર્યો છે. તેમજ કુખ્યાત આરોપી સમીર ઉર્ફે પેન્ડીના ભાઇ પાસે મૃતકને લેવાના નીકળતા નાણા બાબતે આ હત્યા થઇ હોવાનું સામે આવ્યું હકે. ત્યારે શકમંદોની અટકાયત કરી વેજલપુર પોલીસે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ શરૂ કર્યા છે.શહેરમાં ફરી એક વાર હત્યાનો બનાવ સામે આવ્યો છે..શહેરના જુપાહપુરામાં રહેતો વસીમુદ્દીન શેખ શનિવારે મોડી રાત્રે તેના ભાઇના ઘરે હાજર હતો.આ દરમિયાન મહેમાન આવતા જ તે ઘરેથી નીકળી ગયો અને થોડી વારમાં પરત આવશે તેમ કહી સંકલિતનગર વિસ્તારમાં ગયો હતો.ત્યાં કોઇ જગ્યાએ તે બેઠો હતો તે દરમિયાન જ કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી અને તેના ત્રણ માણસો આવ્યા.આ ત્રણ આરોપીઓએ વસીમુદ્દીનને પકડી રાખ્યો અને આરોપી સમીર પેન્ડીએ છાતીમાં ત્રણેક ઘા મારતા વસીમુદ્દીનનું મોત થયું છે.

ઉઘરાણીથી કંટાળી સમીર ઉર્ફે પેન્ડીએ હત્યા કરવાનું મનોમન નક્કી કર્યું

તેમજ સમગ્ર બાબતની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેમજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી શહેફીલ ઉર્ફે જબ્બો, ઇરફાન ઉર્ફે મોગલી, સલીમખાન પઠાણ અને કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી પઠાણની શોધખોળ હાથ ધરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકને આરોપી સમીર ઉર્ફે પેન્ડીના ભાઇ પાસે નાણાની ઉઘરાણી હોવાથી તે અવાર નવાર પૈસા માંગતો હતો.જેની ઉઘરાણીથી કંટાળી સમીર ઉર્ફે પેન્ડીએ હત્યા કરવાનું મનોમન નક્કી કર્યું અને તેના માણસો સાથે મળી હત્યાને અંજામ આપ્યો છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

સમીર ઉર્ફે પેન્ડી ગુજસીટોકના દસેક ગુનાના આરોપી સુલતાન ખાનનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું

તેમજ પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી સમીર પેન્ડી સામે અગાઉ અનેક ગુના નોંધાયા છે અને તેની સામે પોલીસે પાસા પણ કરી હતી.તો આરોપી સમીર ઉર્ફે પેન્ડી ગુજસીટોક જેવા ગંભીર દસેક ગુનાના આરોપી સુલતાન ખાનનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું છે.હત્યા પાછળનું કારણ માત્ર રૂપિયાની લેતીદેતી જ હતી અને કે અન્ય કોઇ કારણ હતું તે બાબતને લઇને વધુ તપાસ શરૂ કરાઇ છે.તો આરોપીઓ હાલ રાજ્ય બહાર ભાગ્યા હોવાથી તે બાબતે પણ યોગ્ય તપાસ પોલીસ દ્નારા શરૂ કરાઇ છે.

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">