AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: વર્લ્ડ કપની ફાઈનલ પહેલા યોજાશે ઍૅર શો, ઍર ફોર્સની સૂર્ય કિરણ ટીમ દ્વારા કરાયુ ગ્રાન્ડ રિહર્સલ

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને સહુ કોઈની ધડકનો તેજ થઈ ગઈ છે અને હવે આ મેચને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ રોમાંચક મેચને વધુ રોમાંચક બનાવવા ઍરફોર્સની ટીમ દ્વારા ઍર શો પણ યોજવામાં આવશે. જેને લઈને બે દિવસથી તેનુ રિહર્સલ પણ કરવામાં આવી રહ્યુ છે.

અમદાવાદ: વર્લ્ડ કપની ફાઈનલ પહેલા યોજાશે ઍૅર શો, ઍર ફોર્સની સૂર્ય કિરણ ટીમ દ્વારા કરાયુ ગ્રાન્ડ રિહર્સલ
Narendra Rathod
| Edited By: | Updated on: Nov 17, 2023 | 11:27 PM
Share

વિશ્વનું સૌથી વિશાળ સ્ટેડિયમ, સૌથી રોમાંચક મુકાબલો અને ઐતિહાસિક એર શો. ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ પહેલા અમદાવાદનું આસમાન સુર્ય કિરણ પ્લેનના કરતબથી ગૂંજી ઉઠશે. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ મેચ શરૂ થતા પહેલા દિલધડક કરતબો કરશે. 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. જેમાં ભારતીય એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક એરશૉ યોજશે. ફાઇનલના દિવસે એરશૉ યોજાય એ પૂર્વે  વિશેષ ગ્રાન્ડ રિહર્સલ યોજાયું. જેમાં સૂર્યકિરણ ટીમના 9 એરક્રાફ્ટ જોડાયા હતા.

ફાઈનલ મુકાબલા પહેલા ઍર શોના રિહર્સલે પણ જમાવ્યુ ભારે આકર્ષણ

રવિવારે બપોરે 2 કલાકે વનડે ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલના દિવસે ભારતીય એરફોર્સની સૂર્યકિરણ ટીમ એરશૉ યોજશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આકાશી ભાગમાં યોજાનાર એર શૉ માટે વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમે શુક્રવાર બપોરે 1:30 કલાકે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. સુર્યકિરણ ટીમે ગઈકાલે 4 એરક્રાફ્ટ સાથે રિહર્સલ કર્યું હતું. જ્યારે આજે(17.11.23) પુરા 9 વિમાનો સાથે રિહર્સલ કર્યું હતું.

PM મોદી, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચાર્ડ માર્લ્સ રહેશે ઉપસ્થિત

આ રિહર્સલ સમયે ઘોંઘાટના કારણે મોટેરા, ચંદલોડીયા, GTU વિસ્તારમાં લોકો આશ્ચર્ય સાથે બહાર જોવા નીકળી ગયા હતા. રવિવારે ફાઇનલ મેચની શરૂઆત થાય એ પૂર્વે બપોરે દોઢથી બે વાગ્યા દરમિયાન ઍર શો યોજાશે. એ સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે.

શું છે સુર્યકિરણ ટીમ?

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ 9 વિમાનોની એરોબેટીક ટીમ છે. આ ટીમનું ગઠન 1996માં થયું હતું. 2011 સુધી ઍર શૉ કર્યા બાદ આ ટીમને વિખેરી નાખવામાં આવી હતી. પુનઃ 2017માં સૂર્યકિરણ ટીમનું ગઠન કરવામાં આવ્યું. જે HAWK MK-132 એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટ સાથે દુનિયા ભરના એર શૉ કરે છે. આ વિશેષ ટીમના વિમાનનો કલર વ્હાઈટ અને ઓરેન્જ હોય છે. ભારતીય વાયુસેના ટ્રેનિંગ માટે પણ આ ઍરક્રાફ્ટનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: ICC દ્વારા વર્લ્ડ કપની ફાઈનલ મેચની રૂપરેખા જાહેર, મ્યુઝિક કમ્પોસર અને સિંગર પ્રિતમ 500 ડાન્સર સાથે કરશે પરફોર્મન્સ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">