AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અષાઢી બીજે આ રીતે નીકળશે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે

રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસ વિભાગ પહેલેથી જ સતર્ક છે. આજે પોલીસ કમિશનરે પોલીસ જવાનોના કાફલા સાથે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું.

Ahmedabad : અષાઢી બીજે આ રીતે નીકળશે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 17, 2023 | 11:55 AM
Share

Ahmedabad :  20 જૂન અષાઢી બીજે ભગવાન જગન્નાથની (Lord jagannath) 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસ વિભાગ પહેલેથી જ સતર્ક છે. બીજી તરફ માહિતી મળી છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) મંગળા આરતીમાં હાજરી આપશે. તો ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાના દિવસે પહિંદ વિધિ કરશે. રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Cyclone Biparjoy Video: વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લો જળ બંબાકાર, ઠેર ઠેર પાણી ભરાયા, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસ વિભાગ પહેલેથી જ સતર્ક છે. આજે પોલીસ કમિશનરે પોલીસ જવાનોના કાફલા સાથે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું. આવતીકાલે ફાઈનલ રિહર્સલ કરવામાં આવશે.તો રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર રથયાત્રા ફરશે.

રથયાત્રામાં કોણ કોણ જોડાશે ?

રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે. તો 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે. 30 અખાડા, 18 ભજન મંડળી,3 બેન્ડબાજા પણ રથયાત્રામાં જોડશે. અધોધ્યા, નાસિક,ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો આવશે. રથયાત્રામાં દરમિયાન 3000 કિલો મગ, 500 કિલો જાબું, 500 કિલો કાકડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવશે.

રથયાત્રા પૂર્વે મંદિરમાં ખાસ કાર્યક્રમ

18 તારીખે રવિવારે ભગવાનનો ગૃહ પ્રવેશ કરવામાં આવશે. 18 જુનના રોજ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. નેત્રોત્સવની વિધિ સવારે 8 વાગે યોજાશે. નેત્રોત્સવનાં દિવસે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહેશે. સોમવારે 19 જૂને સવારે 9.30 વાગે ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે. 19 જૂનના રોજ સવારે 10 વાગે સોનાવેશ દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવશે.

પ્રસાદીની તૈયારી

રથયાત્રામાં ભગવાનને ધરાવાના પ્રસાદ માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરમાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ , 500 કિલો કેરી , 400 કિલો કાકડીના પ્રસાદી માટે તૈયારી કરવામાં આવી રહી છે.

રથયાત્રાના મુખ્ય આકર્ષણ

રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા પરંપરાગત માર્ગો પર નીકળશે. જેમાં 18 શણગારેલા ગજરાજ પણ જોડાશે. સાથે જ 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે.

આ વખતે પણ રથયાત્રામાં 30 અખાડા, 18 ભજનમંડળી, 3 બેન્ડવાજા પણ જોડાશે. ઉપરાંત અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">