AHMEDABAD : સાયન્સ સિટી 4 ઓક્ટોબર 2021થી દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે

એક્વાટિક ગેલેરી ખાતે વિશાળ સંખ્યામાં વિવિધ માછલીઓ અને જળચર પ્રજાતિઓ સાથે અત્યાધુનિક લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ એકવેરિયમ તથા અન્ય થીમ આધારિત પેવેલિયન નિયમિત સારસંભાળ માંગી લે છે.

AHMEDABAD : સાયન્સ સિટી 4 ઓક્ટોબર 2021થી દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે
Ahmedabad Science City will be closed to visitors every Monday from 4 October 2021
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 01, 2021 | 4:50 PM

AHMEDABAD : ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગના નેજા હેઠળ અમદાવાદ ખાતે ગુજરાત સાયન્સ સિટી (Ahmedabad Science City)રાજ્યમાં વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે બહોળા પ્રમાણમાં વિજ્ઞાન શિક્ષણ, વિજ્ઞાન પ્રસાર અને વિજ્ઞાન ટુરિઝમના સ્થળ તરીકે ઊભરી આવ્યું છે.

શરૂઆતથી જ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓ માટે 365 દિવસ, કોઈ પણ સારસંભાળ માટેની રજા વગર હંમેશા ખુલ્લુ રહ્યું છે. નવી એક્વાટિક ગેલેરી, રોબોટીક ગેલેરી, નેચરપાર્ક જેવા આકર્ષણો સાથે 17 જુલાઇ 2021થી ફરી શરૂ થયું ત્યારથી ગુજરાત સાયન્સ સિટીને દેશભરમાંથી મુલાકાતીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.

એક્વાટિક ગેલેરી ખાતે વિશાળ સંખ્યામાં વિવિધ માછલીઓ અને જળચર પ્રજાતિઓ સાથે અત્યાધુનિક લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ એકવેરિયમ તથા અન્ય થીમ આધારિત પેવેલિયન નિયમિત સારસંભાળ માંગી લે છે. અન્ય સાયંટિફિક ગેલેરીમાં રહેલા વિવિધ કાર્યરત કે બિનકાર્યરત નિદર્શન પણ નિવારક અને સુધારત્મક સરસંભાળ માંગે છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

અઠવાડિયાના અંતમાં ગેલેરીઓમાં મુલાકાતીઓના ભારે ધસારા બાદ નિયમિત સારસંભાળ માટે તમામ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સાયન્સ સેન્ટર્સ, સાયન્સ મ્યુઝિયમો અને પબ્લિક પાર્કની સાથે સુસંગતતામાં સાયન્સ સિટી પણ દર સોમવારે બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને જાહેર જનતાને સૂચિત કરવામાં આવે છે કે ગુજરાત સાયન્સ સિટી 4 ઓક્ટોબર 2021 થી દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે.જે વિવિધ નિદર્શનો, સાધનો,મશીનરી તથા કેમ્પસમાં વિવિધ પેવેલિયનોમાં રહેલા લાઈવસ્ટોકની અવિરત કાર્યક્ષમતામાં વધારો કરશે.

આ પણ વાંચો : Air India ને TATA Group દ્વારા ખરીદવામાં આવી રહી હોવાના સમાચાર વહેતાં થતા જાહેર ક્ષેત્રની બેન્કોના શેર્સમાં ઉછાળો આવ્યો

આ પણ વાંચો : Uttrakhand: કેદારનાથ જતા યાત્રાળુઓ માટે આજથી હેલી સેવા શરૂ, DGCAએ આપી મંજૂરી

Latest News Updates

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">