Ahmedabad : રથયાત્રાની મંજૂરી પૂર્વે હોસ્પિટલ એસોસિએશને કોરોનાની ત્રીજી લહેરને લઇને આપી આ ચેતવણી

રથયાત્રાને લઈને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને (Ahna) એક નિવેદન આપ્યું છે. Ahnaનું માનવું છે કે રથયાત્રા કે કોઈ પણ ધાર્મિક પર્વ કે મેળાવડા ને મંજૂરી ન આપવી જોઈએ.

Ahmedabad : રથયાત્રાની મંજૂરી પૂર્વે હોસ્પિટલ એસોસિએશને કોરોનાની ત્રીજી લહેરને લઇને આપી આ ચેતવણી
Ahmedabad Rathyatra ( File Photo)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 02, 2021 | 3:53 PM

ગુજરાતના કોરોના(Corona)ની બીજી લહેરની અસર ધીરે ધીરે ઘટી રહી છે. તેવા સમયે આગામી સમયમાં રથયાત્રા(Rathyatra )સહિત કોઇપણ ધાર્મિક કાર્યક્રમ કે મેળાવડા ન યોજવા અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન(Ahna)એ સલાહ આપી છે. તેમજ તેમના મતે જો રથયાત્રાને મંજૂરી મળે તો તેમાં ઉમટનારી ભીડ ત્રીજી લહેર જલ્દી નોતરી શકે છે.

રથયાત્રાની મંજૂરી મળશે તો લોકો એકઠા થશે અને કોવિડ નિયમનો ભંગ થશે

અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકળશે કે નહીં તેને લઈને હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. જો કે રથયાત્રા(Rathyatra )ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રથયાત્રાને લઈને મંદિર પરિસરના તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ તૈયારી વચ્ચે રથયાત્રાને લઈને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન(Ahna)એ એક નિવેદન આપ્યું છે. Ahnaનું માનવું છે કે રથયાત્રા કે કોઈ પણ ધાર્મિક પર્વ કે મેળાવડા ને મંજૂરી ન આપવી જોઈએ. કેમ કે જો મંજૂરી મળશે તો લોકો એકઠા થશે અને કોવિડ નિયમનો ભંગ થશે. જે ત્રીજી લહેરને વહેલું આમંત્રણ આપી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સાવધાની રાખવા Ahna એ અપીલ કરી

Ahnaનું એ પણ માનવું છે કે ડિસેમ્બર 2022 સુધી કોઈ પણ પ્રકારના ધાર્મિક કે સામાજિક કે રાજકીય કાર્યક્રમને મંજૂરી ન આપવી જોઈએ. કારણ કે હાલમાં કોરોના(Corona)ની બીજી લહેર માંથી શહેર અને રાજ્ય માંડ માંડ બહાર નીકળી રહ્યું છે અને કોરોનાની ત્રીજી લહેરની શકયતા છે અને ડેલ્ટા પ્લસ વાયરસ પણ ગુજરાતમાં આવી પહોંચ્યો છે. તેવા સમયે જો રથયાત્રાને મંજૂરી આપવામાં આવશે તો તે કોરોનાને ફરી આમંત્રણ આપી શકે છે. જેથી સાવધાની રાખવા ahna એ અપીલ કરી છે.

Ahna નું એ પણ માનવું છે કે ભૂતકાળની ઘટનાઓ પરથી સરકારે અને લોકોએ શીખ લેવી જોઈએ. અને તેમાંથી શીખ મેળવી આ પ્રકારના કોઈ પણ કાર્યક્રમોને મંજૂરી ન આપવી જોઈએ.

નાગરિકે પોતાની ફરજ સમજી નિયમ પાળીને કામ વગર બહાર નીકળવું નહિ

મહત્વનું છે કે બીજી લહેરમાં કોરોના કેસમાં સતત ધટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 3 દિવસ થી રાજ્યમાં 100 ની નીચે કેસ નોંધાયા છે. જેથી કેસમાં ઘટાડો નોંધાતા રાહત મળી છે. પણ તેની સામે સાવચેતી અને સતર્કતા રાખવી તેટલી જ જરૂરી છે. Ahna ના પ્રેસિડેન્ટનું નિવેદન છે કે બીજી લહેરમાં ખાનગી હોસ્પિટલમાં 6500 બેડ હતા જે ફૂલ હતા તેમજ વેઇટિંગ હતું. તે જ 6500 બેડમાં હાલ 5 દર્દી દાખલ છે. આ તમામ બાબતને હળવાશ માં ન લેવી જોઈએ. આ ઉપરાંત દરેક નાગરિકે પોતાની ફરજ સમજી નિયમ પાળીને કામ વગર બહાર નીકળવું નહિ તેવી પણ ahna દવારા સલાહ અપાઈ છે.

Ahna એ કહ્યું છે કે હાલમાં જ્યારે કેસ ઓછા છે ત્યારે કોન્ટેકટ ટ્રેસિંગનો ઉત્તમ સમય છે. તેમજ જે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓને આઇસોલેટ કરવાનું મેન્ડેટરી બનાવવા પણ Ahna એ સૂચન કર્યું છે. જેથી કોરોના કેસને શોધી તેની સારવાર કરી શહેરને કોરોના મુક્ત બનાવી શકાય

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">