VIDEO: IT વિભાગનો સપાટો, 2 લાખ અમદાવાદીઓને ઈન્કમટેક્સ વિભાગની નોટિસ
સામાન્ય રીતે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરનારાઓને આવકવેરા વિભાગની નોટિસ મળે તો નવાઈ ન લાગે. પરંતુ 50 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન પર પણ હવે નોટિસ મળી રહી છે. અમદાવાદ શહેરમાં 50 હજારથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનારા 2 લાખ લોકોને આવકવેરા વિભાગે નોટિસ પાઠવી છે. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે […]
સામાન્ય રીતે લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરનારાઓને આવકવેરા વિભાગની નોટિસ મળે તો નવાઈ ન લાગે. પરંતુ 50 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન પર પણ હવે નોટિસ મળી રહી છે. અમદાવાદ શહેરમાં 50 હજારથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનારા 2 લાખ લોકોને આવકવેરા વિભાગે નોટિસ પાઠવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જે કરદાતાઓએ બેન્કમાં 50 હજારથી વધુનું ટ્રાન્ઝેકશન કર્યું છે તેમને ઈન્કમટેક્સ વિભાગે મેસેજ કરીને નોટિસ પાઠવી છે. પાન નંબર પર હાઈ વેલ્યૂના ટ્રાન્ઝેક્શન થયા હોવાના કારણે ટેક્સ ભરવાનો થતો હોવાનું જણાવીને 15 માર્ચ પહેલા એડવાન્સ ટેક્સ ભરી દેવા સૂચના આપવામાં આવી છે. કોઈ કરદાતાએ ફિક્સ ડિપોઝિટ, નિવૃત્ત લાભ, પોસ્ટ ઓફિસમાં ઈન્વેસ્ટમેન્ટ, નાના-મોટા હાઉસ હોલ્ડ ખર્ચ વગેરે માટે બેન્કમાં જમા કરાવેલી રકમને ધ્યાનમાં રાખીને કરદાતાઓને મેસેજથી નોટિસ અપાઈ રહી છે.
મહત્વનું છે કે બેન્ક એકાઉન્ટને પાનકાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડવામાં આવતાં કરદાતાએ કરેલા વ્યવહારોની જાણ આઈટી વિભાગને થઈ જાય છે. આ ઉપરાંત કરદાતાએ કરેલી રહેણાંક મિલકતોની ખરીદી, બેન્કમાં એફડી, કરન્ટ એકાઉન્ટમાં કેસ ડિપોઝિટ, ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ, બોન્ડ, ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને ધ્યાનમાં લઈને ઈન્કમટેકસ વિભાગે તપાસ શરૂ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણીમાં રમીલાબેન બારાની પસંદગીથી ભાજપમાં જ નારાજગી?