Surat: મંત્રી મુકેશ પટેલની ફરિયાદ બાદ પેટ્રોલપંપ કંપની આવી હરકતમાં, નયારા કંપનીએ જાતે જ બંધ કર્યો પંપ

ધારાસભ્ય અને ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી મુકેશ પટેલને (Mukesh Patel) એક ફરિયાદ મળી હતી. જેના પર કાર્યવાહી કરતા કંપનીએ સામે ચાલીને પંપ બંધ કરી દીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 6:48 PM

પ્રધાન મુકેશ પટેલની ફરિયાદ બાદ એસ્સાર (Essar) કંપનીનો નયરા પેટ્રોલપંપ કંપનીએ જાતે જ બંધ કરી દીધો છે. સુરતમાં ગઈકાલે પેટ્રોલ-ડીઝલના વેચાણમાં છેતરપિંડી થયાની પેટ્રોકેમીકલ પ્રધાન મુકેશ પટેલે ફરીયાદ નોંધાવી હતી. પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોવાની ફરિયાદને લઈ પેટ્રોલ પંપ પર તવાઈ બોલાવાઈ હતી. અને જેને પગલે તોલમાપ અધિકારીઓએ 10 નોઝલમાંથી ચાર નોઝલ બંધ કરાવ્યા હતા. પરંતુ તે બાદ હાલ કંપનીએ સામે ચાલીને સ્વયંભૂ પેટ્રોલ પંપ બંધ કરી દીધો હતો.

તમને જણાવી દઈએ કે ધારાસભ્ય અને ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી મુકેશ પટેલને (Mukesh Patel) એક ફરિયાદ મળી હતી. જેમાં પેટ્રોલ પમ્પ પર (Petrol Pump) પેટ્રોલ ઓછું પુરતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને મંત્રી પોતે પેટ્રોલ પંપ પર રાત્રી ચેકિંગ માટે ગયા હતા. પ્રધાન મુકેશ પટેલે ત્યાં જઈને જાતે જ ચેકીંગ કર્યું હતું. તેઓ જાતે પોતાની કાર લઈ ડીઝલ ભરાવા ગયા હતા. ત્યાર બાદ તેમની સાથે પણ એવો જ બનાવ બન્યો. પેટ્રોલ પંપ પર ડીઝલ ઓછું ભરવામાં આવતા મંત્રીએ પગલા લીધા. તેમણે આ બાબતે પુરવઠા વિભાગને જાણ કરી હતી. અને તાત્કાલિક ધોરણે તેની અસર જોવા મળી. પુરવઠા વિભાગ દ્વારા પંપ સીલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

આ પણ વાંચો: દિવાળી વેકેશન બાદ મહેસાણાનું ઉંઝા માર્કેટ યાર્ડ શરૂ થયું, તલ,જીરું અને ઈસબગુલની આવક શરૂ

આ પણ વાંચો: દિવાળી વેકેશન બાદ ધોરણ 1 થી 5 ના બાળકોને ઓનલાઇન શિક્ષણમાંથી મળી શકે છે મુક્તિ, સરકારની વિચારના

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">