ઓપરેશન ગંગા હેઠળ ગુજરાતનાં અટવાયેલા વિદ્યાર્થીઓ પરત ફરવાના શરૂ, 100 વિદ્યાર્થી પહોચ્યા ગુજરાત, આંતરરાષ્ટ્રીય સંબંધ ભારતને કામ લાગ્યા: જીતુ વાઘાણી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમના કુશળમંગળ પૂછ્યા હતા.

ઓપરેશન ગંગા હેઠળ ગુજરાતનાં અટવાયેલા વિદ્યાર્થીઓ પરત ફરવાના શરૂ, 100 વિદ્યાર્થી પહોચ્યા ગુજરાત, આંતરરાષ્ટ્રીય સંબંધ ભારતને કામ લાગ્યા: જીતુ વાઘાણી
Chief Minister welcomed 100 young students Who reached Gujarat under Operation Ganga
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:13 AM

યુક્રેન રશિયા યુદ્ધની (Ukraine Russia war) સ્થિતિ ચાલી રહી છે ત્યારે ભારત સરકારના પ્રયાસોથી આજે વહેલી સવારે ગુજરાતની 100 જેટલા વિદ્યાર્થી ગુજરાત પહોંચ્યા છે. આ વિદ્યાર્થીઓનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani)પણ મુખ્યપ્રધાન સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પ્રસંગે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય સંબંધ ભારતને કામ લાગ્યા છે જેથી આ વિદ્યાર્થી ઘરે પરત ફરી શક્યા છે.

યુક્રેન રશિયા યુદ્ધની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી યુવા વિદ્યાથીઓને ઓપરેશન ગંગા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રયાસોથી સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન અન્વયે આવેલી પહેલી ફલાઇટમાં ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાથીઓ મુંબઈ અને દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી વોલ્વો બસ મારફતે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવકાર્યા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને મુખ્યપ્રધાને તેમને આવકાર્યા હતા અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી તેમજ અગ્ર સચિવ હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય વગેરે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

મુખ્ય પ્રધાને આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ રાજ્ય સરકાર તેમની મદદ માટે તત્પર હોવાનું જણાવ્યુ હતુ. તો શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે ગઈકાલે 50 જેટલા વિદ્યાર્થીઓને યુક્રેનથી ગુજરાતમાં લાવવામાં સફળતા મળી છે. વડાપ્રધાન મોદીએ જે રીતે આંતરરાષ્ટ્રીય સંબંધો બાંધ્યા છે, તેના કારણે ભારતીયોને ગુજરાત માં લાવવામાં સફળતા મળી છે.

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે હજુ પણ કેટલાક બાળકો યુક્રેનમાં છે, વેસ્ટર્ન ઝોનમાં રશિયા અને યુક્રેનનું ઓપરેશન ચાલુ છે. ત્યાંથી વિદ્યાર્થીઓ નીકળી શકે છે. પોલેન્ડની સરહદ હવે ભારત માટે ખુલી છે. ભારત દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ત્યાં કેમ્પ લગાવવામાં આવ્યો છે. ત્યાં અધિકારીઓ પણ ગયા છે.

તો વિદ્યાથીઓને વતન પરત લાવવાની વ્યવસ્થા માટે માતા પિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમજ ગુજરાત સુધી પહોંચાડવાની સુવિધા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કર્યો હતો.

આ પણ વાંચો

Vadodara : સાવલી તાલુકાના કોંગ્રેસ નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, શોધખોળ શરૂ

આ પણ વાંચો-

Somnath માં મહાશિવરાત્રીની ઉજવણીની તડામાર તૈયારીઓ, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">