કોરોના બાદ 79 ટકા લોકોને આવે છે ડરામણાં સ્વપ્ન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારી વિગતો આવી સામે

કોરોના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું કે, 79 ટકા લોકોને કોરોના બાદ તેઓને ડરામણાં સ્વપ્ન આવે છે.

કોરોના બાદ 79 ટકા લોકોને આવે છે ડરામણાં સ્વપ્ન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારી વિગતો આવી સામે
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 2:25 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક  ભવન દ્રારા તાજેતરમાં લોકોને આવતા સ્વપ્નો પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 1,350 જેટલા લોકો સાથે કરાયેલા સર્વેમાં ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. સંશોધન કરનાર ડો.ધારા દોશીના કહેવા પ્રમાણે 79 ટકા લોકોએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, કોરોના બાદ તેઓને ડરામણાં સ્વપ્ન આવે છે. સર્વે દરમિયાન લોકોને કરાયેલા પ્રશ્નો પર નજર કરીએ.

શુ તમને સ્વપ્ન આવે છે ? જેમાં 92 % એ હા અને 8 % એ ના કહ્યું.

તમને કેવા પ્રકારના સ્વપ્ન આવે છે?

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
  1. 35 % લોકોને ભયને કારણે ઊંઘ ઊડી જાય એવા સ્વપ્ન આવે છે.
  2. 37 % એવા વિચારોના જે કોઈને કહી ન શક્યા હોઈએ તેવા સ્વપ્ન આવે છે.
  3. 15 % બહુ જ આનંદ આપે એવા સ્વપ્ન આવે છે.
  4. 10 % નિષેધક સ્વપ્ન આવે છે.
  5. 3 % વિધાયક સ્વપ્ન આવે છે.

સ્વપ્નના કારણે તમારી ઊંઘ ખરાબ થાય છે? જેમાં 87% એ હા અને 13% એ ના કહ્યું.

શુ તમને દિવસમાં કરેલ ક્રિયાઓ અને વિચારોને અનુલક્ષીને રાત્રે સ્વપ્ન આવે છે? જેમાં 78.80 % એ હા અને 21.2 % એ ના કહ્યું.

ભૂતકાળમાં બનેલ ઘટનાઓને અનુલક્ષીને તમને સ્વપ્ન આવે છે? જેમાં 75 % હા અને 25 %ના કહ્યું.

તમે એવું માનો છો કે સવાર માં જોયેલ સ્વપ્ન સાચું થાય? જેમાં 72 % હા અને 28 % એ ના કહ્યું.

કોરોનાના કારણે તમને ડરામણા સ્વપ્ન આવ્યા છે? જેમાં 79 % હા અને 21 % એ ના કહ્યું.

લોકડાઉનના સમયે ઘરે રહેવાથી વધુ ઊંઘના કારણે સ્વપ્નમાં વધારો જોવા મળ્યો? જેમાં 74.67 % એ હા 25.33 % એ ના કહ્યું.

તમને ક્યારેય પરિવારજનોને કોરોના થઈ જશે એવા સ્વપ્ન આવ્યા છે? જેમાં 79 % એ હા અને 21 % એ ના કહી હતી.

તમારી તબિયત બગડી એવા સ્વપ્ન આવ્યા છે? જેમાં 67 % એ હા 33 % એ ના કહ્યું હતું.

આ પણ વાંચો: SURAT : કારના સ્પેરપાર્ટની ચોરી કરતી ગેંગ સક્રિય, ચાર ઇકો કારમાંથી થઈ ચોરી

સ્વપ્ન અંગેના લોકોએ આપેલા મંતવ્યો:

  1. મને વારંવાર મારા સગા વ્હાલના મૃત્યુના સ્વપ્ન જ આવે છે અને રોજ એક જ સમયે મારી ઊંઘ જતી રહે. ઘણીવાર જ્યારે કોઈના મૃત્યુ વિશે કઈ સાંભળું ત્યારે સતત થોડા દિવસે મને એવા જ સ્વપ્ન આવે છે.
  2. જ્યારે કોઈ અંતિમયાત્રાના રથ જોવ ત્યારે ઊંઘમાં જ હું ચાલવા લાગુ જાણે કોઈની સ્મશાન યાત્રામાં હું જોડાયો હોવ.
  3. મારી પત્નીને વારંવાર મારા મૃત્યુના જ સ્વપ્ન આવે જેથી એ મને ક્યાંય પોતાનાથી અળગો નથી થવા દેતી.

સ્વપ્ન માનસિક ઘટના છે લોકો જેવું જોવે-વિચારે તેવું સ્વપ્ન આવે છે: સર્વે

સ્વપ્ન એક માનસિક ઘટના કે પ્રક્રિયા છે જેનું મનોવૈજ્ઞાનિક રીતે ઘણું મહત્વ છે. કેમ કે, સ્વપ્ન આપણને વ્યક્તિની વીતેલ જીંદગી અને ભવિષ્યની ઘટનાઓ બંને ના વિશે જાણકારી પ્રદાન કરે છે.

આ પણ વાંચો: Madhuri Dixit હવે ઓટીટી પર કરશે ધમાલ, શું સુષ્મિતા, લારા પર પડશે ભારી ?

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">