AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Never Give Up : ગુજરાતના 78 વર્ષીય ઉર્મિલા બા માસ્ટર શેફ ઇન્ડિયામાં એવી રસોઈ બનાવી, માસ્ટર શેફ પણ આંગળા ચાટતા રહી ગયા

ઉર્મિલા બા Gujju Ben na Nasta નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેના 95.6K સબ્સ્ક્રાઇબર્સ છે. 78 વર્ષની ઉંમરે તે પોતાનું ઘર ચલાવે છે. તેમણે અથાણાંથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તે પછી તેમણે થેપલા, ઢોકળા, હલવો, સાબુદાણાની ખીચડી બનાવવાનું શરૂ કર્યું.

Never Give Up : ગુજરાતના 78 વર્ષીય ઉર્મિલા બા માસ્ટર શેફ ઇન્ડિયામાં એવી રસોઈ બનાવી, માસ્ટર શેફ પણ આંગળા ચાટતા રહી ગયા
78 વર્ષીય ઉર્મિલા બા માસ્ટર શેફ ઇન્ડિયામાં મળશે જોવાImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 1:56 PM
Share

MasterChef India 7 ની સૌથી પ્રિય અને સૌથી વધુ ઉંમરવાળી સ્પર્ધક ઉર્મિલા બા આ શોમાં ઘણી લાઇમલાઇટ મેળવી રહી છે. માત્ર જજ જ નહીં, આખો દેશ તેમની આ યાત્રાને સલામ કરી રહ્યો છે. ઉર્મિલા બા (Urmila Ba) માસ્ટર શેફની વિજેતા બનશે કે નહીં તે હવે જોવું રહ્યું પરંતુ તે આખા દેશની નજરમાં માસ્ટર શેફ બની ગયા છે. આ સ્ટેજ સુધી પહોંચવાની તેની સફર પહેલાથી જ તેને વિજેતા બનાવી ચૂકી છે.

એક કહેવત છે કે, હિમત કરનેવાલો કી કભી હાર નહિ હોતી, 78 વર્ષની ઉર્મિલા બાની શાનદાર સ્ટોરી પણ આ જ ઉદાહરણ રજૂ કરે છે.જે ઉંમરે લોકો હાર માની લે છે, અને કહીએ કે રિાટયર્ડ થઈ અને નિવૃતીનું જીવન પસાર કરે છે. તેના પરથી આ ઉંમરે તમામ પ્રકારનો બોજ હળવો થઈ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમણે તેની આ ઉંમરે પણ હાર માની નહિ આજે ટીવીના શો માસ્ટર શેફ 7માં ભલ ભલા સ્પર્ધકને ટક્કર આપી રહ્યા છે. શોના જજ તો તેની રસોઈ ના ટેસ્ટથી આંગળી ચાટતા રહી ગયા હતા. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ઉર્મિલા બાની જેમણે 78 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ ખોલ્યો છે.

એક સમયે આર્થિક તંગીમાં જીવવા મજબૂર ઉર્મિલા બા પાસે હવે પૈસાની કોઈ કમી નથી. ફૂડ સ્ટોરની સાથે તે યુટ્યુબ (Gujju Ben na Nasta) ચેનલ પણ ચલાવી રહ્યા છે.

ઉર્મિલા બા ની પ્રેરણાદાયી સફર

MasterChef India 7 ની સૌથી પ્રિય અને સૌથી જૂની સ્પર્ધક ઉર્મિલા બા આ શોમાં ઘણી લાઇમલાઇટ મેળવી રહી છે. માત્ર ટોચના જજ જ નહીં, આખો દેશ તેમની યાત્રાને સલામ કરી રહ્યો છે. ઉર્મિલા બા માસ્ટર શેફની વિજેતા બનશે કે નહીં, જવાબ મેળવવામાં હજુ સમય છે. પરંતુ આ સ્ટેજ સુધી પહોંચવાની તેની સફર પહેલાથી જ તેને વિજેતા બનાવી ચૂકી છે. બાળકોના મૃત્યુથી લઈને આર્થિક તંગી સુધી જીવન વિતાવનાર ઉર્મિલા બા આજે સ્ટાર બની ગયા છે.આજે તેમની ગુજ્જુ બેન ના નાસ્તાની ચર્ચા સોશિયલ મીડિયામાં થાય છે. ઉર્મિલા બાએ ગુજ્જુ બેન ના નાસ્તા સ્ટોર ખોલ્યો છે, જ્યાં સૂકો નાસ્તો મળે છે. તેઓ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરે છે.

સંઘર્ષથી ભરેલું જીવન

ઉર્મિલા બાનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. ત્રણ સંતાનો ગુમાવ્યા બાદ પણ તેને એકલી જ ઘર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. તેમની અઢી વર્ષની છોકરી ત્રીજા માળેથી પડી હતી, એક છોકરાને હાર્ટ એટેક આવ્યો હતો અને બીજાને બ્રેઈન ટ્યુમર હતી. ત્રણેય બાળકોના મૃત્યુએ તેને તોડી નાખ્યા, પરંતુ તેણે ક્યારેય હાર માની નહીં. તેની બીમાર સાસુની સારવાર કરવાની, આખું ઘર ચલાવવાની, તેના બાળકોની સંભાળ રાખવાની અને પછી તેના પૌત્ર-પૌત્રીઓની સંભાળ લેવાની જવાબદારી તેની હતી. આર્થિક સંકડામણ જોયા પછી પણ તે હંમેશા આત્મનિર્ભર રહી. આજે તેમની આખી ટીમ ઉર્મિલા બા સાથે કામ કરે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">