AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yeh Rishta Kya Kehlata Hai: ‘નાયરા’ એ શોને અલવિદા કહ્યું

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, પરંતુ હવે આ શોના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. નાયરાનો રોલ કરનારી શિવાંગી જોશીએ આ શોને અલવિદા કહી દીધો છે.

Yeh Rishta Kya Kehlata Hai: 'નાયરા' એ શોને અલવિદા કહ્યું
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 10, 2021 | 3:35 PM
Share

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, પરંતુ હવે આ શોના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. નાયરાનો રોલ કરનારી શિવાંગી જોશીએ આ શોને અલવિદા કહી દીધો છે. આ માહિતી તેણે ખુદ ચાહકોને આપી છે કે તેનું પાત્ર આ શોથી સમાપ્ત થવા જઈ રહ્યું છે.

ખરેખર, શિવાંગીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહે છે કે, “નાયરાના પાત્રને છોડીને આગળ વધવું ખૂબ મુશ્કેલ રહેશે પરંતુ તેઓ કહે છે કે વાર્તાઓ પૂરી થઈ છે પાત્ર નહી. ખબર ન પડી કે શિવાંગી કયારે નાયરા બની ગઈ અને નાયરા કયારે શિવાંગી. અમે સાથે ઉછર્યા અને આગળ વધ્યા. નાયરાની સાથે મને ઘણા પાત્રો ભજવવાની તક મળી. એક પુત્રી, પુત્રવધૂ અને માતાનું પાત્ર. પરંતુ તમે જાણો છો કે મારા માટે સૌથી સુંદર પાત્ર કયું હતું, એક પત્નીનું. કાર્તિક અને હું એક સાથે કાયરા બન્યા અને દુનિયાની બધી ખુશીઓ મને કાયરાના ભાગ રૂપે મળી. ”

શિવાંગીએ વધુમાં કહ્યું કે, હવે આ સુંદર પાત્રને વિદાય આપવાનો સમય આવી ગયો છે. તેથી નાયરા હંમેશાં મારા અને તમારા હૃદયમાં રહેશે, અને મારો કાર્તિક તમારી સાથે રહેશે. કાર્તિક પરિવાર તરીકે, કૈરવ, કાર્તિક અને અક્ષરા હંમેશા તમારા પોતાના પરિવાર તરીકે તમારી સાથે રહેશે. શું તમે મારા આ કુટુંબને તમારા દિલમાં સ્થાન આપશોને? ”

થોડા દિવસો પહેલા શોના પ્રોમોમાં બતાવવામાં આવ્યું હતું કે ‘નાયરા’નું પાત્ર શોમાંથી સમાપ્ત કરેવામાં આવે છે. તે અકસ્માતમાં મૃત્યુ પામે છે, ત્યારબાદ આ સિરિયલમાં નવો વળાંક આવવાનો છે. તાજેતરમાં શિવાંગી જોશીએ તેમના મૃત્યુની ક્રમ પર પ્રતિક્રિયા આપી હતી.

તાજેતરમાં જ ‘નાયરા’ના મોતની ક્રમ અંગે શિવાંગીએ જણાવ્યું હતું કે તેની પ્રતિક્રિયા કેવી હતી. આ વિશે વાત કરતાં અભિનેત્રી કહે છે કે, “મને લાગે છે કે સેટ પરના દરેકને મારી પહેલી પ્રતિક્રિયાથી વાકેફ છે. મોહસીન પણ ત્યાં હાજર હતો જ્યારે મને મૃત્યુના સિક્વેન્સ વિશે કહેવામાં આવતું હતું. અમે બંને સાથે હતાં. સિક્વન્સ સાંભળ્યા પછી હું રડવા લાગી હતી. હું મારા આંસુઓ બંધ કરવા માંગતી હતી, લાગણીઓને પણ રોકી શકી નહીં. રાજન સાહેબે મને પૂછ્યું કે તમે કેમ રડો છો? મારો પાસે કોઈ જવાબ હતો નહી. હું સાંભળતી વખતે લાગણીઓને લીધે ત્યાં ચોકી ગઈ હતી. “

Follow Us
g clip-path="url(#clip0_868_265)">