AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રિયલ લાઈફમાં ટપુ નથી રાખતો જેઠાલાલનું માન? વિવાદ પર દિલીપ જોશીએ આપ્યો જવાબ

દિલીપ જોશી અને રાજ વચ્ચેના વિવાદોએ સોશિયલ મીડિયામાં પણ જોર પકડ્યું હતું. આ બાદ દિલીપ જોશીએ વિષય પર મૌન તોડ્યું છે.

શું રિયલ લાઈફમાં ટપુ નથી રાખતો જેઠાલાલનું માન? વિવાદ પર દિલીપ જોશીએ આપ્યો જવાબ
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: May 31, 2021 | 2:42 PM
Share

સૌથી લોકપ્રિય ટીવી શો તારક મેહતા ક ઉલ્ટા ચશ્માં (Taarak Mehta Ka Ooltah Chashmah) વિવાદોના કારણે પણ એટલો જ ચર્ચામાં રહે છે. તાજેતરમાં શોના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને તેમના ઓન સ્ક્રીન દીકરા ટપુ એટલે કે રાજ અનડકટ (Raj Anadkat) વચ્ચે તકરારના અહેવાલ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ઓફ સ્ક્રીન એટલા સારા સંબંધો નથી જેટલા સ્ક્રીન પર જોવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિલીપ જોશી (Dilip Joshi) અભિનેતા રાજથી નારાજ જોવા મળી રહ્યા છે.

શું હતો વિવાદ?

અહેવાલો અનુસાર સિનિયર એક્ટર હોવા છતાં પણ દિલીપ જોશી હંમેશાં સમયસર સેટ પર પહોંચે છે, જ્યારે રાજ ઘણી વખત મોડેથી સેટ પર આવે છે. આ ટ્રેન્ડ લાંબા સમય સુધી ચાલુ રહ્યો અને દિલીપ જોશીએ રાજની શૂટિંગ માટે રાહ જોવી પડે છે. આ જ કારણ છે કે દિલીપ જોશી ગુસ્સે થયા અને ઇન્સ્ટાગ્રામ પર રાજને અનફોલોવ કર્યા ના અહેવાલ આવ્યા હતા.

આ બાબતે સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ બાદ દિલીપ જોશીએ વિષય પર મૌન તોડ્યું છે. દિલીપ જોશીએ આ વિષય પર વાત કરતા જણાવ્યું હતું કે છેવટે આખી ઘટના શું છે. શું ખરેખર બંને વચ્ચે કોઈ વિવાદ છે કે કેમ.

જેઠાલાલે વિવાદ પર તોડ્યું મૌન

એક અહેવાલ અનુસાર શોમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીને સોશિયલ મીડિયા પર આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે સમગ્ર વિવાદનું ખંડન કર્યું છે. અને કહ્યું કે “આ બધી બકવાસ વાતો છે, કોણ આ ખોટી વાર્તાઓ બનાવી રહ્યું છે?”

શૈલેશ લોઢા સાથેના મતભેદના પણ અહેવાલ

જોવા જઇએ તો અભિનેતાઓ વિશે હંમેશા વિવાદના સમાચાર આવતા રહ્યા છે, અને જ્યારે પણ તેમને આ વિશે પૂછવામાં આવે છે ત્યારે ત્યારે કોઈ અભિનેતા વિવાદને લઈને સહમત નથી થતા. હંમેશા વિવાદની વાતોનું ખંડન જ કરતા રહ્યા છે. અને લોકો તેમની વાતો પર વિશ્વાસ કરી લે છે. તમને જણાવી દઈએ કે દિલીપ જોશીના શૈલેશ લોઢા સાથેના મતભેદ પર પણ અહેવાલ આવ્યા હતા. અને તારક મેહતાનું પાત્ર ભજવતા શૈલેશે તેના પર સફાઈ આપી હતી.

ત્યારે શૈલેશે જેઠાલાલ એટલે કે દિલીપને પોતાના સારા મિત્ર કહ્યા હતા અને બાદમાં સમાચારો પણ વિરામ આવ્યો હતો. હમણાં આ શો મુંબઈની બહાર શૂટ થઇ રહ્યો છે, જેમાં કલાકારો રિસોર્ટમાં સમય વિતાવી રહ્યા છે. હમણા શો પર જેઠાલાલ, બાઘા, પોપટલાલ અને બાપુજી જ જોવા મળે છે.

આ પણ વાંચો: World No Tobacco Day 2021: શું ધુમ્રપાન અને તમાકુના સેવનથી વધી શકે છે કોરોનાનું જોખમ?

રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">