Mumbai: તરુણ ખન્નાએ આઠમી વખત મહાદેવનું પાત્ર નિભાવીને બનાવ્યો રેકોર્ડ , સિરિયલનાં શુટીંગ માટે ગુજરાત પર પસંદગી

Mumbai : ધાર્મિક સિરિયલ બનાવનાર સાગર વર્લ્ડના શિવસાગર પ્રોડક્શન હાઉસ  દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, તેઓ વૈષ્ણોદેવી પર આધારિત નવી વેબ-સિરીઝ લઈને આવી રહ્યા છે.

Mumbai: તરુણ ખન્નાએ આઠમી વખત મહાદેવનું પાત્ર નિભાવીને બનાવ્યો રેકોર્ડ , સિરિયલનાં શુટીંગ માટે ગુજરાત પર પસંદગી
તરૂણ ખન્ના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 4:39 PM

Mumbai : એક્ટર તરુણ ખન્નાએ એક નવો રેકોર્ડ(Record)  પ્રસ્થાપિત કર્યો છે. વૈષ્ણોદેવીની કથા પર આધારિત વેબ સિરીઝમાં  (web series) આઠમી વખત મહાદેવનું પાત્ર નિભાવીને નવો રેકોર્ડ સર્જયો છે.

એક્ટર તરુણ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) પર  જોવા મળશે, જે વેબ સિરીઝ માતા વૈષ્ણોદેવી પર બનેલી છે. આ સિરિઝમાં લગભગ 12 એપિસોડમાં તરુણ મહાદેવની (Mahadev) ભૂમિકા નિભાવતા જોવા મળશે અને સાથે જ  તે ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં આઠમી વખત મહાદેવનું પાત્ર નિભાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરશે.

ધાર્મિક સિરિયલ બનાવનાર સાગર વર્લ્ડના શિવસાગર પ્રોડક્શન હાઉસ  દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, તેઓ વૈષ્ણોદેવી પર આધારિત નવી વેબસિરીઝ લઈને આવી રહ્યા છે. આ પ્રોડક્શન દ્વારા અનેક ધાર્મિક સિરીયલો બનાવવામાં આવી છે, જેમાં દર્શકોએ રામાયણની સિરીયલને ખૂબ પ્રેમ આપ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મળતા અહેવાલ પ્રમાણે, વૈષ્ણોદેવી પર આધારિત  શરૂ થનારી આ વેબસિરીઝમાં 10 થી 12 એપિસોડ હશે અને તેમાં ઉદ્યોગના જાણીતા કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ સિરિઝમાં લોકપ્રિય અભિનેતા તરુણ ખન્ના મહાદેવની ભૂમિકા નિભાવતા જોવા મળશે. જ્યારે, રામાયણમાં માતા સીતાનું પાત્ર નિભાવનાર ઈશિતા ગાંગુલી(Ishita ganguly)  અને મહાભારતમાં દુર્યોધનનું પાત્ર નિભાવનાર પુનીત ઈસ્સારનો પુત્ર સિધ્ધાંત ઈસાર (Sidhant issar)  પણ આ સિરીઝથી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે, તરુણ ખન્નાએ સંતોશી સિરીયલમાં સૌપ્રથમ વાર મહાદેવની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત, પરમવીર શ્રી કૃષ્ણ અને રાધા કૃષ્ણ સહિત  સાત સિરીયલોમાં મહાદેવનું પાત્ર ભજવીને લોકપ્રિયતા હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે ‘અવિનાશ આઈપીએસ’ શો (Avinash IPS) દ્વારા તરુણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ગુજરાતના ઉમરગાંવમાં થઈ રહ્યું છે શુટિંગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિરીઝનું શૂટિંગ ગુજરાતના ઉમરગામમાં (Umargam)ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, ધાર્મિક સિરીયલો (serial) માટે નિર્માતાઓની (Producer) પહેલી પસંદ ગુજરાતનુ ઉંમરગામ છે, અહીંયા અનેક પૌરાણિક શો નું શુટીંગ કરવામાં આવ્યું છે. હાલમાં ઉમરગાંવમાં રાધાકૃષ્ણ, અહિલ્યાબાઈ અને મેરે સાંઈ જેવા શો નું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે, આજકાલ ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં (TV Industries)  પૌરાણિક કથાનો દોર જોવા મળી રહ્યો છે. સિરીયલો ઉપરાંત ફિલ્મોમાં પણ ધાર્મિક કથાઓ પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">