AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: કારગિલ દિવસ પર અજય દેવગનની કવિતા સાંભળીને રડી પડ્યા અક્ષય કુમાર, તમે પણ સાંભળો આ કવિતા

અજય દેવગનની કવિતાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં અક્ષય કુમારની સાથે અભિષેક બચ્ચને પણ આ કવિતાની પ્રશંસા કરી છે.

Viral Video: કારગિલ દિવસ પર અજય દેવગનની કવિતા સાંભળીને રડી પડ્યા અક્ષય કુમાર, તમે પણ સાંભળો આ કવિતા
Akshay Kumar cried after listening to Ajay Devgn's poem on Sipahi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 7:58 AM
Share

બોલીવુડ અભિનેતા અજય દેવગનનો (Ajay Devgn) એક વિડીયો તાજેતરમાં સામે આવ્યો છે, આ વિડીયોમાં અજય દેવગણ એક કવિતા સંભળાવતા જોવા મળી રહ્યા છે. અભિનેતાની આ કવિતા ખુબ હૃદયસ્પર્શી છે. અક્ષય કુમાર (Akshay Kumar) પણ તેમની આ કવિતા સાંભળીને ખૂબ ભાવુક થઈ ગયા. એટલું જ નહીં, આ કવિતાને સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. અજય દેવગને આ કવિતા સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે, જેમાં તેમણે દેશભક્તિ અને દેશના સૈનિકો સાથે જોડાયેલી ઘણી વાતો કહી છે. અજય દેવગને ઘણી દેશભક્તિની ફિલ્મોમાં કામ કર્યું છે. જેના કારણે આ કવિતા તેની શૈલીમાં પણ વધુ અસરદાર લાગે છે.

ભારતના બહાદુરોને દિલથી શ્રદ્ધાંજલિ

અજય દેવગનની આ કવિતાનું નામ ‘સિપાહી’ છે, જ્યાં તેઓ આ વિડીયોમાં તેને વાંચતા નજરે પડે છે. સોશિયલ મીડિયા પર આ કવિતા શેર કરતા અજય દેવગને લખ્યું ‘ભારતના બહાદુરોને દિલથી શ્રદ્ધાંજલિ.’ આપને જણાવી દઈએ કે, 26 જુલાઈએ દેશભરમાં કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના માટે અજયે આ કવિતા શેર કરી છે. આ કવિતા સરહદ પર તૈનાત જવાનોને એક ટ્રીબ્યુટ હતું. તમને જણાવી દઈએ કે આ કવિતા કવિ અને ગીતકાર મનોજ મૂંતસીરે લખી છે.

અક્ષય કુમાર થયા ઈમોશનલ

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારને અજય દેવગનની કવિતા ખૂબ ગમી ગઈ છે, તેમણે આ કવિતા તેમના ટ્વિટર પર શેર કરી છે. આ કવિતાને સોશિયલ મીડિયા પર શેર કરતાં તેમણે લખ્યું કે, જ્યારે પણ વાસ્તવિક જીવનમાં ભાવનાઓની વાત આવે છે ત્યારે હું એટલું અભિવ્યક્ત નથી કરી શકતો, પરંતુ અજયની આ કવિતા સાંભળ્યા પછી મારા આંસુ વહી ગયા. મને ક્યારેય ખબર નહોતી કે આટલો સારો કવિ પણ તેની અંદર છુપાયો છે. “હજુ કેટલી વાર દિલ જીતશો યાર”

આ ટ્વિટ પછી ટૂંક સમયમાં અક્ષય કુમારે ફરી એક ટ્વીટમાં લખ્યું છે કે “મને હમણાં જ ખબર પડી કે આ અદ્ભુત કવિતા મનોજ મૂંતસીરે લખી છે, જેમાં અજય દેવગને પોતાનો અવાજ આપ્યો છે.” અજય દેવગનના અવાજમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. અક્ષય કુમાર સિવાય ઘણા મોટા સ્ટાર્સ પણ તેને શેર કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આગામી એપિસોડ હશે મજેદાર, જાણો શું આવશે ટ્વીસ્ટ

આ પણ વાંચો: સાગરિકા શોનાનો મોટો ધડાકો: Raj Kundra ની કંપનીએ બિગ બોસની અર્શી ખાનને આટલા લાખની આપી હતી ઓફર

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">