Nitish Bhardwaj Birthday: મહાભારતના ‘શ્રીકૃષ્ણ’નો આજે જન્મદિવસ, જાણો Nitish Bhardwajને કંઈ રીતે મળી શ્રીકૃષ્ણ તરીકેની લોકચાહના

નીતિશ ભારદ્વાજે (Nitish Bhardwaj) ઘણા પાત્રો ભજવ્યા હતા, પરંતુ પૌરાણિક ગાથા 'મહાભારત' પર (Mahabahrat) બનેલી સિરિયલમાં કૃષ્ણના રોલ માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. આ પાત્ર તેમની સાથે એટલું જોડાઈ ગયું કે આજે પણ લોકો તેમને કૃષ્ણ તરીકે જ ઓળખે છે.

Nitish Bhardwaj Birthday:  મહાભારતના 'શ્રીકૃષ્ણ'નો આજે જન્મદિવસ, જાણો Nitish Bhardwajને કંઈ રીતે મળી શ્રીકૃષ્ણ તરીકેની લોકચાહના
Nitish Bhardwaj Birthday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 1:37 PM

નીતીશ ભારદ્વાજ (Nitish Bhardwaj) અભિનેતા હોવાની સાથે-સાથે દિગ્દર્શક, પટકથા લેખક, નિર્માતા પણ છે. આટલું જ નહીં, તેઓ વેટરનરી ડૉક્ટર છે. તેથી તેમને ડૉક્ટર નીતિશ ભારદ્વાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ આજે તેનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક અભિનેતા તરીકે નીતિશે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં અલગ-અલગ પાત્રો ભજવ્યા છે, પરંતુ તેમને ખરી ઓળખ પ્રખ્યાત ટીવી સીરિયલ ‘મહાભારત’માં (Mahabahrat) ભગવાન કૃષ્ણની ભૂમિકાથી મળી હતી.

લોકો તેમને ભગવાન તરીકે પૂજતા અને માન આપતા

2 જૂન, 1963ના રોજ જન્મેલા નીતિશ ભગવાન કૃષ્ણના રૂપમાં લોકોમાં એટલા પ્રખ્યાત થયા કે તેમને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. નીતીશ જ્યાં પણ ગયા ત્યાં લોકો તેમને ભગવાન તરીકે પૂજતા અને માન આપતા. તેમની લોકપ્રિયતાના કારણે નીતીશ પણ જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે નીતીશ ‘મહાભારત’માં ભગવાન કૃષ્ણની નહીં પણ વિદુરની ભૂમિકા ભજવવા માંગતા હતા.

ઓડિશન વખતે અલગ જ પરિસ્થિતિ બની

જ્યારે પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક બી.આર. ચોપરા ‘મહાભારત’ માટે કલાકારોની પસંદગી કરી રહ્યા હતા, ત્યારે નીતિશ ભારદ્વાજને સૌ પ્રથમ વિદુરની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં નીતિશે કહ્યું હતું કે ‘હું મેક-અપ રૂમમાં હતો. ત્યારે વીરેન્દ્ર રાજદાન ત્યાં આવ્યો અને કહ્યું કે, હું વિદુરનો રોલ કરી રહ્યો છું. મેં કહ્યું કે આ કેવી રીતે થઈ શકે, મને આ રોલ માટે બોલાવવામાં આવ્યો છે. ત્યારે વીરેન્દ્રએ કહ્યું કે, જુઓ, હું કપડાં પહેરીને તૈયાર છું અને શોટ આપવાનો છું. આ સાંભળીને મને નવાઈ લાગી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વિદુરનો રોલ ન મળતા નીતિશ ભારદ્વાજ નિરાશ થયા હતા

નીતિશ ભારદ્વાજે કહ્યું હતું કે ‘જ્યારે રવિ ચોપરાને મળ્યો ત્યારે તેણે કહ્યું હતું કે વિદુરને વૃદ્ધ દેખાવાનો છે અને તું એકદમ યુવાન છે, તેથી જ આ રોલ તમને શોભે નહીં. આ સાંભળીને મારી બધી આશાઓ ખતમ થઈ ગઈ, હું ખૂબ જ નિરાશ થઈ ગયો તેથી બીઆર ચોપરાએ મને ફરીથી નકુલ કે સહદેવનો રોલ કરવા કહ્યું પણ મેં ના પાડી.

બી.આર. ચોપરાએ કૃષ્ણા માટે 55 કલાકારોના ઓડિશન આપ્યા હતા

દરમિયાન, બી.આર. ચોપરા શ્રી કૃષ્ણના રોલ માટે કલાકારની શોધમાં હતા. તેણે લગભગ 55 કલાકારોની કસોટી લીધી પણ મન પ્રમાણે કોઈ મળ્યું નહીં. આવી સ્થિતિમાં રવિ ચોપરાએ ફરી એકવાર નીતિશને ફોન કરીને કહ્યું કે, જો તમારે સારો રોલ જોઈતો હોય તો તમારે સ્ક્રીન ટેસ્ટ આપવો પડશે. નીતીશ સ્ક્રીન ટેસ્ટથી ડરી ગયો હતો, પરંતુ હિંમતથી ટેસ્ટ આપ્યો અને શ્રીકૃષ્ણ બની ગયા. જ્યારે આ સિરિયલ પ્રસારિત થઈ ત્યારે દર્શકો નીતિશના સંમોહનમાં એટલા મશગૂલ થઈ ગયા કે તેઓ તેમને ભગવાન કૃષ્ણ માનવા લાગ્યા.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">