Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક, ડોક્ટરોએ કહ્યું- આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ

હાલમાં જ એઈમ્સ તરફથી મળેલી જાણકારી મુજબ રાજુ શ્રીવાસ્તવની (Raju Srivastav) હાલત હજુ પણ નાજુક છે. ડોક્ટરોએ આગામી 24 કલાકનો સમય સારવાર માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે.

રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક, ડોક્ટરોએ કહ્યું- આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ
Raju-Srivastava
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 4:22 PM

રાજુ શ્રીવાસ્તવ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની એઈમ્સમાં (AIIMS) દાખલ છે. તેમના સ્વાસ્થ્ય વિશે દરરોજ નવા અપડેટ્સ સામે આવતા રહે છે. મળતી જાણકારી મુજબ સીનિયર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની (Raju Srivastav) હાલત હજુ પણ નાજુક છે. હાલ તેને આઈસીયુમાં ન્યુરોકાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં તેમની સ્થિતિમાં કોઈ સુધારો નોંધાયો નથી. મળતી જાણકારી મુજબ બ્રેઈન ડેડના સમાચારને ડોક્ટરોએ નકારી કાઢ્યા છે. આગામી 24 કલાકનો સમય સારવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે.

આ દરમિયાન એવા પણ સમાચારો છે કે રાજુ શ્રીવાસ્તવની સારવાર માટે કોલકાતાથી ડોક્ટર એમવી પદ્મ શ્રીવાસ્તવને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ડોક્ટર શ્રીવાસ્તવ એઈમ્સના ન્યુરોલોજી વિભાગના પ્રોફેસર છે. જે કોઈ કામ માટે કોલકાતા ગયો હતો. તેમના ગયા બાદ રાજુ શ્રીવાસ્તવની તબિયત બગડી હતી અને તેના બીજા દિવસે તેમને દિલ્હી પાછા બોલાવવામાં આવ્યા હતા.

રાજુ શ્રીવાસ્તવની તબિયત ખરાબ હોવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી તેમના ફેન્સ અને નજીકના મિત્રો તેમના સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. કોમેડિયનની હાલત જાણવા માટે જોની લીવર અને નરેન્દ્ર બેદી એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તે રાજુના પરિવારજનોને મળ્યા હતા અને તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી.

સ્વપ્ન સંકેત: રાત્રે કયા સમયે જોયેલા સપના સાચા થાય છે?
વિરાટ-સચિનથી પણ વધારે પૈસાદાર છે KKRની માલિક, જુઓ ફોટો
Nails Cutting: રાત્રે નખ કેમ ન કાપવા જોઈએ? જાણો ક્યારે અને કયા દિવસે નખ કાપવા શુભ છે!
ઘરમાં લાલ અને કાળી કીડીઓનું નીકળવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
કિંગ ખાન સાથે જોવા મળતી આ મહિલા કોણ છે, જાણો
અપરાજિતા છોડનું અચાનક સુકાઈ જવું શું સૂચવે છે?

રાજુ શ્રીવાસ્તવનું બ્રેઈન ડેડ નથીઃ AIIMS

કોમેડિયનનું બ્રેઈન ડેડ થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેને એઈમ્સના ડોક્ટરોએ નકારી કાઢ્યા છે. પરંતુ આ વિશે રાજુના મેનેજરે પણ મોટું અપડેટ આપતા કહ્યું છે કે તેનું બ્રેઈન ડેડ નથી. રાજુને મળવા માટે ડોક્ટરોએ બધાને મનાઈ કરી છે, જેમાં તેની પત્નીનું નામ પણ સામેલ છે. ઈન્ફેક્શનના ડરથી ડોક્ટરોએ બધાને મળવાની ના પાડી દીધી છે.

દીપુ શ્રીવાસ્તવે કર્યું પોસ્ટ

રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય વિશે ચિંતિત પરિવારના સભ્યો તેના સ્વાસ્થ્ય વિશે લેટેસ્ટ જાણકારી શેર કરતા રહે છે. શુક્રવારે પણ રાજુના નાના ભાઈ દીપુ શ્રીવાસ્તવે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં કહ્યું હતું કે કેટલાક લોકો પરિવાર સાથે વાત કર્યા વિના ઊંધી સીધી પોસ્ટ શેર કરી રહ્યા છે. પુષ્ટિ કર્યા વિના બધું પોસ્ટ કરો. રાજુની સારવાર માટે એઈમ્સના સીનિયર ડોક્ટરોની ટીમ એકઠી કરવામાં આવી છે. રાજુ ટૂંક સમયમાં જીવનની આ લડાઈ જીતીને તેની કોમેડી દુનિયામાં પાછો ફરશે.

g clip-path="url(#clip0_868_265)">