કિડની ફેલ… ડાયાલિસિસ માટે નથી પૈસા, ‘મેરે સાંઈ’ ફેમ અનાયા સોનીની હાલત ગંભીર
ટીવી શો 'મેરે સાંઈ'ની લીડ એક્ટ્રેસ અનાયા સોનીની (Anaya Soni) તબિયત બગડી છે, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે તેની પાસે સારવાર માટે પૈસા નથી.
ટેલિવિઝનનો પોપ્યુલર શો મેરે સાંઈ ફેમ એક્ટ્રેસ અનાયા સોની (Anaya Soni) વિશે એક હેરાન કરનાર સમાચાર સામે આવ્યા છે . ટીવી એક્ટ્રેસની (TV Actress) તબિયત લથડી છે. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘મેરે સાંઈ’ના સેટ પર શૂટિંગ દરમિયાન અનાયાને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગઈ હતી. જે બાદ એક્ટ્રેસને શૂટિંગની વચ્ચેથી જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલ તેની હાલત ગંભીર છે.
સમાચાર મુજબ અનાયાની તબિયત બગડવાનું કારણ તેની કિડની છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ એક્ટ્રેસની કિડની ખરાબ થઈ ગઈ છે, જેના કારણે તે હાલમાં ડાયાલિસિસ પર છે. આ દરમિયાન સમસ્યા એ છે કે તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક છે. અનાયા સોનીના પિતાએ જણાવ્યું કે તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમની પાસે એટલા પૈસા પણ નથી કે તેઓ અનાયાની સારવાર કરાવી શકે. આવી પરિસ્થિતિમાં તેને ચિંતા છે કે તેની પાસે કિડની રિપ્લેસમેન્ટ અને ડાયાલિસિસ માટે પૈસા ક્યાંથી આવશે.
અનાયા સોનીની પોસ્ટ
હાલમાં જ અનાયાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેના સ્વાસ્થ્ય વિશેની જાણકારી શેયર કરવામાં આવી છે. અનાયા સોનીએ લખ્યું છે કે ‘ડોક્ટરો કહી રહ્યા છે કે મારી કિડની ફેલ થઈ ગઈ છે અને મારે ડાયાલિસિસ કરાવવું પડશે. મારું creatinine 15.67 પર આવી ગયું છે અને હિમોગ્લોબિન 6.7 છે તેથી સ્થિતિ ઘણી ગંભીર છે.
આ સમય પણ થઈ જશે જલ્દી પસાર
આનાથી આગળ ટીવી એક્ટ્રેસ અનાયા સોનીએ લખ્યું કે સોમવારે હું અંધેરી ઈસ્ટ સ્થિત હોલી સ્પિરિટ હોસ્પિટલમાં એડમિટ છું. મારા માટે પ્રાર્થના કરો. મારું જીવન સરળ રહ્યું નથી. પરંતુ હું આજે જીવીને તેને સરળ બનાવવાની કોશિશ કરી રહી છું. પણ હા આ સમય આવવાનો હતો, મને ખબર હતી. પરંતુ, આ પણ ટૂંક સમયમાં પસાર થશે. હું ટૂંક સમયમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીશ. હું ડાયાલિસિસ પછી કિડની માટે એપ્લાય કરીશ.