Indian Idol 12: અરુણિતાના અવાજના ફેન થયા કરણ જોહર, આપી દીધી આટલી મોટી ઓફર, જાણો

ફિલ્મ નિર્માતા કરણ જોહર આ અઠવાડિયે ઇન્ડિયન આઇડલ 12 માં ખાસ મહેમાન તરીકે આવવા જઇ રહ્યા છે. જ્યાં સ્પર્ધકો તેમની ફિલ્મોના સુપરહિટ ગીતો પર પરફોર્મ કરશે.

Indian Idol 12: અરુણિતાના અવાજના ફેન થયા કરણ જોહર, આપી દીધી આટલી મોટી ઓફર, જાણો
Karan Johar become a fan of singer Arunita Kanjilal after her performance in Indian Idol 12
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 7:51 AM

સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) તેના છેલ્લા પડાવ પર છે. શોમાંથી કોઈ એક થોડા દિવસોમાં વિજેતા બનશે. હાલમાં ટોપ 6 સ્પર્ધકોની જાહેરાત કરવામાં આવી છે. દર અઠવાડિયે એક ખાસ મહેમાન શોમાં આવે છે, જે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરે છે. ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) આ અઠવાડિયે શોમાં આવવા જઈ રહ્યા છે. આ સપ્તાહ કરણ જોહર (Karan Johar) માટે ખાસ રહેશે. જેમાં સ્પર્ધકો કરણની ફિલ્મોના ગીતો ગાશે. તેમજ આઈડલની સ્પર્ધક અરુણિતાને (Arunita Kanjilal) ખાસ તક મળવા જઇ રહી છે.

અરુણીતાના ફેન બન્યા કરણ જોહર

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઈન્ડિયન આઈડલ 12 પર કોઈપણ મહેમાન આવે તો તે અરુણિતાના (Arunita Kanjilal) અવાજના દીવાના બની જાય છે. આ અઠવાડિયે શોમાં ગેસ્ટ જજ તરીકે આવનાર કરણ જોહર પણ અરુણિતાના અવાજના ફેન બનવા જઈ રહ્યા છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં કરણ જોહર તેના વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં કરણ જોહન તેને ધર્મા ફેમિલીનો ભાગ બનવાનું કહી રહ્યો છે.

ધર્મા પરિવારનો ભાગ બનશે

અરુણિતા કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમનું ગીત મેરી સાંસો મેં તુ હૈ સમાયા પર સ્ટેજ પર પરફોર્મ કરશે. કરણ જોહર તેનું ગીત સાંભળીને ખુશ થશે. જે બાદ કરણ જોહર કહે છે કે આજે હું એક અન્ય સિંગરનો ફેન થઇ ગયો છું. તેનું નામ અરુણિતા છે. હું તને ધર્મા પરિવારમાં આવકારવા માંગુ છું. આ બાદ કરણ સ્ટેજ પર જઈને તેને ભેટ આપે છે.

ફિનાલે થશે ધમાકેદાર

તમને જણાવી દઈએ કે ઈન્ડિયન આઈડલ 12 નું સમાપન 15 ઓગસ્ટના રોજ થવાનું છે. આ દિવસે દેશને 12 મી સિઝનનો વિજેતા મળશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તે ખૂબ જ ખાસ બનશે. આ ફિનાલે 12 કલાક સુધી ચાલશે. ઇન્ડિયન આઇડલના ઇતિહાસમાં પ્રથમ વખત આવું થવાનું છે. જેના વિશે સાંભળીને ફેન્સ વધુ ઉત્સાહિત થઈ ગયા છે.

આ પણ વાંચો: Kajol Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે Kajol, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

આ પણ વાંચો: Yo Yo Honey Singh ની પત્નિએ લગાવ્યા તેના પર ગંભીર આરોપ, 10 કરોડના વળતરની પણ કરી માંગ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">