TMKOC : તારક મહેતાની સિરિયલમાં કામ કરી ચુકેલા એક્ટરનું 40 વર્ષની વયે નિધન, સિરિયલથી મળી હતી ખ્યાતિ

Sunil Holkar Passed Away : સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા સુનીલ હોલકરનું 40 વર્ષની વયે અવસાન થયું છે. સુનીલ લીવર સોરાયસીસથી પીડિત હતો. તેણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 'ગોશ્ટ એકા પૈઠાણીચી'માં કામ કર્યું હતું.

TMKOC : તારક મહેતાની સિરિયલમાં કામ કરી ચુકેલા એક્ટરનું 40 વર્ષની વયે નિધન, સિરિયલથી મળી હતી ખ્યાતિ
40 વર્ષના અભિનેતા સુનીલ હોલકરનું અવસાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 1:35 PM

Sunil Holkar Passed Away : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેમજ અનેક હિન્દી અને મરાઠી ટીવી સિરિયલોથી દર્શકોનું મનોરંજન કરનારા અભિનેતા સુનીલ હોલકરનું નિધન થયું છે. તેઓ 40 વર્ષના હતા. તેના પરિવારમાં તેની માતા, પિતા, પત્ની અને બે બાળકો છે. તેણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘ગોશ્ટ એકા પૈઠાણીચી’માં કામ કર્યું હતું. તેઓ નાટકો, ફિલ્મો અને ટીવી સિરિયલો ત્રણેય માધ્યમો દ્વારા દર્શકોનું મનોરંજન કરતા હતા.

લીવર સોરાયસીસથી પીડિત હતા

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુનીલ છેલ્લા કેટલાક દિવસોથી લીવર સોરાયસીસથી પીડિત હતો. તેણે સારવાર પણ શરૂ કરી હતી, પરંતુ શુક્રવારે 13 જાન્યુઆરીએ તેનું મૃત્યુ થયું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તેનું પાત્ર દર્શકો આજે પણ યાદ કરે છે.

આ પણ વાંચો : દિશા વાકાણી કરતા વધુ બોલ્ડ છે નવા દયાબેન, ટૂંક સમયમાં TMKOC માં આ એક્ટ્રેસ કરશે એન્ટ્રી?

View this post on Instagram

A post shared by Sunil Holkar (@holkar_sunil)

મિત્રને વોટ્સએપ સ્ટેટસ પર તેનો છેલ્લો સંદેશ શેર કરવા કહ્યું હતું

સુનિલને તેના મૃત્યુનો અહેસાસ થઈ ગયો હતો. એટલા માટે તેણે તેના મિત્રને વોટ્સએપ સ્ટેટસ પર તેનો છેલ્લો સંદેશ શેર કરવા કહ્યું, જ્યાં તેણે લખ્યું કે, ‘આ તેની છેલ્લી પોસ્ટ છે’. દરેકને ગુડબાય કહેતા પહેલા તે તેને મળેલા પ્રેમ માટે આભાર કહેવા માંગે છે અને જો તેની ભૂલ થઈ હોય તો તે માફી માંગે છે અને તેનો મિત્ર તેના વતી આ સંદેશ પોસ્ટ કરી રહ્યો છે.

અભિનેતા અને વાર્તાકાર તરીકે જાણીતા હતા

સુનીલ હોલકરે અશોક હાંડેની ચૌરાંગ નાટ્ય સંસ્થામાં ઘણાં વર્ષો સુધી કામ કર્યું. તેઓ ખાસ કરીને અભિનેતા અને વાર્તાકાર તરીકે જાણીતા હતા. તેમણે 12 વર્ષથી વધુ સમય સુધી થિયેટર દ્વારા રંગભૂમિની સેવા કરી. સુનીલે માત્ર 40 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. સુનીલ હોલ્કરનું નિધન ચાહકો માટે મોટા આંચકા સમાન છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">