AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું શ્રેયસ અય્યર ખરેખર ઘમંડી છે ? ‘લોકઅપ’ શોમાંથી બહાર આવી બહેન શ્રેષ્ઠાએ ભાઈના જીવનના અનેક મોટા રહસ્યો ખોલ્યા!

ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરનો લોકઅપ શોમાં સફર પૂર્ણ થઈ ગયો છે. શોમાંથી બહાર આવ્યા બાદ તેણે પોતાના વ્યક્તિગત જીવન અને ભાઈ શ્રેયસ અય્યરના સંઘર્ષ, ત્યાગ અને સફળતા વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

શું શ્રેયસ અય્યર ખરેખર ઘમંડી છે ? 'લોકઅપ' શોમાંથી બહાર આવી બહેન શ્રેષ્ઠાએ ભાઈના જીવનના અનેક મોટા રહસ્યો ખોલ્યા!
Shreyas Iyer Sister Shresta IyerImage Credit source: X
| Updated on: Jul 09, 2026 | 2:32 PM
Share

શ્રેષ્ઠા અય્યરે તેના ભાઈ શ્રેયસ ઐયરના સંઘર્ષો વિશે બોલતા કહ્યું કે , મને લાગે છે કે શ્રેયસ વધુ સારું લાયક છે. મેં તેની મહેનત અને સંઘર્ષને ખૂબ જ નજીકથી જોયા છે. તેણે પોતાના જીવનમાં ઘણો ત્યાગ કર્યો છે. મને જે સરળ જીવન મળ્યું, તે તેને ક્યારેય મળ્યું નહોતું. શ્રેયસને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેણે વધુમાં જણાવ્યું કે શ્રેયસ પરિવારના મોટા હોવાથી બાળપણથી જ અનેક જવાબદારીઓ ઉઠાવી હતી.

શ્રેયસે પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવ્યો

શ્રેયસની બહેન કહે છે કે તેના (શ્રેયસ) કારણે અમારું પરિવાર સારું જીવન જીવી રહ્યું છે. હું તેને તેનો શ્રેય આપું છું કારણ કે તેણે અમારા માતાપિતાને આર્થિક રીતે ટેકો આપ્યો છે. તેની કારકિર્દી અને સફર ખૂબ જ મુશ્કેલ રહી છે. તેણે આગળ વધવા માટે કોલેજ અને મુસાફરી સહિત બધું જ બલિદાન આપ્યું છે. શ્રેયસ પોતાની પ્રેક્ટિસ માટે દરરોજ વહેલી સવારે બસમાં જતો હતો જેથી ટેક્સીનો ખર્ચ બચાવી શકાય.

કેપ્ટનશિપ અને ઈજાના સમયની વાત

શ્રેષ્ઠાના કહેવા મુજબ, શ્રેયસને કેપ્ટનશિપ ત્રણ વર્ષ પહેલાં જ મળી જવી જોઈએ હતી. જોકે તે હંમેશા સકારાત્મક વિચારે છે. શ્રેષ્ઠાએ એક ભાવુક ક્ષણ પણ શેર કરી. ઈજા બાદ જ્યારે તે હોસ્પિટલમાં શ્રેયસને મળવા ગઈ ત્યારે શ્રેષ્ઠા રડવા લાગી હતી. ત્યારે શ્રેયસે કહ્યું, “જો તારે રડવું હોય તો બહાર જઈને રડ, મારી સામે નહીં.” શ્રેષ્ઠાના જણાવ્યા પ્રમાણે, તેણે પોતાના ભાઈને માત્ર એક જ વખત રડતા જોયો છે. જ્યારે લગભગ 10 મહિના પહેલાં તેના પાળેલા કૂતરાનું મૃત્યુ થયું હતું.

શ્રેયસ ઘમંડી નથી: શ્રેષ્ઠા

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો શ્રેયસ અય્યરને ઘમંડી કહે છે. આ અંગે શ્રેષ્ઠાએ કહ્યું કે, “આ વાત બિલકુલ સાચી નથી. તે ખૂબ જ સરળ અને પ્રેમળ સ્વભાવનો છે. કોઈપણ ખેલાડી જ્યારે ભોજન કરી રહ્યો હોય અથવા અન્ય કામમાં વ્યસ્ત હોય ત્યારે તેને વારંવાર પરેશાન કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થ થઈ શકે છે.” તેણે જણાવ્યું કે શ્રેયસ પોતે સોશિયલ મીડિયા ચલાવતો નથી. તેની ટીમ આ કામ સંભાળે છે. કારણ કે તે ટ્રોલિંગથી દૂર રહેવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો, Breaking News : IND vs ENG ચોથી T20I કેટલા વાગ્યે શરૂ થશે? શું સમયમાં કોઈ ફેરફાર થશે?

Follow Us
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે
તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે
સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા
સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા
સુરતમાં વરસાદનો વિરામ છતા પૂરની સ્થિતિ, ખાડી પૂરનુ હજુ પણ સંકટ
સુરતમાં વરસાદનો વિરામ છતા પૂરની સ્થિતિ, ખાડી પૂરનુ હજુ પણ સંકટ
તંત્રની નબળી કામગીરી સામે કોંગ્રેસ અને જનતા મેદાને
તંત્રની નબળી કામગીરી સામે કોંગ્રેસ અને જનતા મેદાને
g clip-path="url(#clip0_868_265)">